ચકચૂર થઈ શકે – કરસનદાસ લુહાર

પીધા વિનાય પણ જે ચકચૂર થઈ શકે છે;

ખાલી થઈને પણ એ ભરપૂર થઈ શકે છે !

 .

પૂરેપૂરું પોતાનું નૈકટ્ય એ જ પામે;

ઈચ્છે તો જાતથી પણ જે દૂર થઈ શકે છે !

 .

ઘેઘૂર છાંય વાળી એ વૃક્ષતાને વરશે;

જે લાગણીનાં લીલાં અંકૂર થઈ શકે છે !

 .

હોઈ શકે ખરેખર સાચા તવંગરો એ;

દારિદ્રયના જે દેશે મશહૂર થઈ શકે છે !

 .

( કરસનદાસ લુહાર )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.