પીધા વિનાય પણ જે ચકચૂર થઈ શકે છે;
ખાલી થઈને પણ એ ભરપૂર થઈ શકે છે !
.
પૂરેપૂરું પોતાનું નૈકટ્ય એ જ પામે;
ઈચ્છે તો જાતથી પણ જે દૂર થઈ શકે છે !
.
ઘેઘૂર છાંય વાળી એ વૃક્ષતાને વરશે;
જે લાગણીનાં લીલાં અંકૂર થઈ શકે છે !
.
હોઈ શકે ખરેખર સાચા તવંગરો એ;
દારિદ્રયના જે દેશે મશહૂર થઈ શકે છે !
.
( કરસનદાસ લુહાર )