પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

મૃત્યુ,

અમૃત સરોવરમાં ઝબકોળાઈ

નવા નક્કોર થવાની ઘટના

એ જ મૃત્યુ !

જન્મ જન્માંતરના

અવિરત પ્રવાહે

ઓળખ બદલવાની વિરામ ક્ષણ

એ જ મૃત્યુ.

જિંદગીનું એકમેવ નિશ્ચિત

સનાતન સત્ય

એ જ મૃત્યુ.

 .

તું અમૃત, અનિત્ય અમે !

 .

(૨)

શબ્દ,

જાણભેદુની હાથવગી,

હૈયાવગી ઓળખ એ જ શબ્દ.

ઊર્મિઓના ઉત્સવનું સાવ સહજ,

સરળ આંગણું એ જ શબ્દ.

કરણીની એરણ ઉપર શબ્દ ઘડાય

એ જ શબ્દોત્સવ !

શબ્દ ચેતનાના ચમકારે

જાતને ઓળખી જવાની

‘પાનબાઈ’ રમતનું નામ

શબ્દબ્રહ્મ સાક્ષાત્કાર !

 .

તું અર્થ, અક્ષર અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.