એવું કરો કે કોઈ પણ અવશેષ ના રહે
કંઈ પણ ઉમેરો તો ય કશી શેષ ના રહે
.
મરહમને એવી રીતે લગાવો ઓ વૈદ્યજી
જખ્મોનાં નામનો કોઈ પણ દેશ ના રહે
.
જ્યાં જાઉં ત્યાં મારી ભૂમિની ધૂળ પણ મળે
ઈચ્છુ અલાયદો કોઈ પરિવેશ ના રહે
.
ભજવાય બધાં નાટકો મ્હોરા વગર હવે
પહેરી શકાય એવો કોઈ વેશ ના રહે
.
થાળીની ભાખરી ફરી રોપું જમીનમાં
મારી દુવા છે કે એક પણ દરવેશ ના રહે
.
તેનાથી માણસોનાં જુદાં મન થયાં છે દોસ્ત
એકે ય રંગનો ભલે ગણવેશ ના રહે
.
એવી દુવા છે કોઈ પણ સરહદ રહે નહીં
માંથી વછોયા પુત્ર પણ પરદેશ ના રહે
.
( એસ. એસ. રાહી )