એવું કરો કે – એસ. એસ. રાહી

એવું કરો કે કોઈ પણ અવશેષ ના રહે

કંઈ પણ ઉમેરો તો ય કશી શેષ ના રહે

 .

મરહમને એવી રીતે લગાવો ઓ વૈદ્યજી

જખ્મોનાં નામનો કોઈ પણ દેશ ના રહે

 .

જ્યાં જાઉં ત્યાં મારી ભૂમિની ધૂળ પણ મળે

ઈચ્છુ અલાયદો કોઈ પરિવેશ ના રહે

 .

ભજવાય બધાં નાટકો મ્હોરા વગર હવે

પહેરી શકાય એવો કોઈ વેશ ના રહે

 .

થાળીની ભાખરી ફરી રોપું જમીનમાં

મારી દુવા છે કે એક પણ દરવેશ ના રહે

 .

તેનાથી માણસોનાં જુદાં મન થયાં છે દોસ્ત

એકે ય રંગનો ભલે ગણવેશ ના રહે

 .

એવી દુવા છે કોઈ પણ સરહદ રહે નહીં

માંથી વછોયા પુત્ર પણ પરદેશ ના રહે

 .

( એસ. એસ. રાહી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.