(૧)
ગ્રીષ્મની પૂનમ રાતે
સૂકાઈ ગયેલા
સરોવરને કાંઠે
મારા અવાવરું સ્વપ્નો વેચી,
બદલામાં ખરીદું છું
મુઠ્ઠી પતંગિયાઓ !
.
(૨)
તારી પ્રતીક્ષામાં હજુ પણ
ઉઘાડી નથી
મેં મારી બંધ મુઠ્ઠી
જ્યારે તું આવશે
અને મુઠ્ઠી ખોલશે
ત્યારે
એમાં તું શોધી શકીશ
મારા ગત જન્મની
કથાઓ-વ્યથાઓ !
.
( એસ. એસ. રાહી )