બે લઘુકાવ્યો – એસ. એસ. રાહી

(૧)

ગ્રીષ્મની પૂનમ રાતે

સૂકાઈ ગયેલા

સરોવરને કાંઠે

મારા અવાવરું સ્વપ્નો વેચી,

બદલામાં ખરીદું છું

મુઠ્ઠી પતંગિયાઓ !

 .

(૨)

તારી પ્રતીક્ષામાં હજુ પણ

ઉઘાડી નથી

મેં મારી બંધ મુઠ્ઠી

જ્યારે તું આવશે

અને મુઠ્ઠી ખોલશે

ત્યારે

એમાં તું શોધી શકીશ

મારા ગત જન્મની

કથાઓ-વ્યથાઓ !

 .

( એસ. એસ. રાહી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.