પથ્થર-પ્રીતમ લખલાણી

૧.
હે પથ્થર,
જો તને હૃદય ન હોત તો !
શું રામ
ક્યારેય સીતાના હૃદય સુધી
પહોંચી શક્યા હોત ખરા !

૨.
જે પથ્થરો
ફૂલોનો બોજ ઉઠાવવા
સમર્થ બને છે !
શું
તે જ ઈશ્વર તરીકે પૂજાય છે ?

૩.
પ્રત્યેક પથ્થરને
ઈશ્વર થવું હોય છે !
પણ
હથોડી ને ટાંકણું જોઈ
માર્ગની કોરે બેસી જાય છે !

૪.
એકલતાથી ઊછળતા
દરિયાને
સંગાથ દેવા જ
પથ્થરો
નદીને જન્મ આપે છે !

૫.
હે ઘર !
તારા પથ્થરોમાં હજી શું ખૂટે છે ?
કે
માનવી
દિન-રાત ચંદ્ર પર પથ્થર માટે
હડિયું કાઢે છે !

( પ્રીતમ લખલાણી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.