તરંગો હોય ના-રશીદ મીર

તરંગો હોય ના નહિતર સપાટી પર,
વ્યથા છે ડૂબનારાઓની પાણી પર.

બળીને પણ ન છોડ્યો સિંદરીએ વળ,
હતું સર્વસ્વ એનું એજ આંટી પર.

તમારી આંગળી મેળામાં જ્યાં છૂટી,
રહ્યો વિશ્વાસ ના જાહોજલાલી પર.

ગમે તે રીતે ક્ષણ અવઢવની આ વીતે,
અમે છોડી દીધો ઉત્તર સવાલી પર.

ઉકેલી ના શક્યા એક નામ જીવનભર,
લખ્યું’તું સૌપ્રથમ જે પેમ-પાટી પર.

કિનારે પહોંચીને પણ ના મળી મંઝિલ,
હતો તરવાનો બીજો દરિયો છાતી પર.

ગઝલ ખ્વાનીએ પતને ‘મીર’ રાખી છે,
છે એનો દબદબો ગુજરાતી વાણી પર.

( રશીદ મીર )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.