વર્ષગાંઠ-તુષાર શુક્લ

વર્ષગાંઠ
એ વીતેલા સમયને યાદ કરવાનો
અને
આવી રહેલા સમયનું આયોજન કરવાનો અવસર છે

જન્મ આપણા હાથમાં નથી
કર્મ આપણો પુરુષાર્થ છે.
ફળ આપણું પ્રારબ્ધ છે.
જે આપણા હાથમાં છે એ કરીએ.
જે આપણા હાથમાં નથી એને ઓળખી લઈએ.

કર્યાનો સંતોષ રહેશે.
ન મળ્યાની પીડા નહીં થાય
કોઈને મળ્યાની ઈર્ષ્યા નહીં થાય
પોતાને મળ્યાનો આનંદ રહેશે.

મનુષ્ય યત્ન, ઈશ્વરકૃપા…
મનુષ્ય યત્ન એ જ કૃપા !

( તુષાર શુક્લ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.