Category Archives: લેખ

ભવ્યાતિભવ્ય રામ મંદિરનો સાચો ઇતિહાસ (ભાગ-૬)-આશુતોષ ગીતા દેસાઈ

.

૧૯૪૯ની એ સાલ વિશેની વાત આપણે ગત હપ્તામાં કરી હતી. કઈ રીતે આપણા આઝાદ થયેલા દેશના પ્રથમ પ્રધાનમંત્રી મહાન નેતા શ્રી જવાહરલાલ નહેરૂએ રામચન્દ્રજીની મૂર્તિને જાળીવાળી એક દીવાલ બનાવી કેદ કરી દીધા. હવે આગળ…

૧૯૫૦ની સાલમાં હિંદૂ મહાસભાના આધિકારિક વક્તા એવા ગોપાલ વિશારદ સાહેબે ફૈઝાબાદની અદાલતમાં અરજી નાખી. રામ મંદિર માટે બીજીવાર કોર્ટનો દરવાજો ખટખટાવવામાં આવ્યો. પણ આ વખતે ગોપાલ વિશારદ સાહેબની અરજીને માન્ય રાખવામાં આવી. તેમણે અરજીમાં કોર્ટને કહ્યું હતું કે, આ સ્થાન એ હિંદૂઓની આસ્થાનું સ્થાન છે અને નામદાર કોર્ટ આ મંદિરમાં પૂજા કરવા દેવાની પરવાનગી આપે. કોર્ટે અરજી મંજૂર કરી અને હિંદૂઓને ત્યાં પૂજા કરવાની પરવાનગી મળી, પણ માત્ર બહારથી. સામાન્ય જનતા જાળીવાળા પેલા દરવાજાની બહારથી જ મૂર્તિના દર્શન કરી શકતી હતી. મંદિરની અંદર માત્ર પૂજારીને જ જવાની પરવાનગી હતી. ૩૪ વર્ષ સુધી આની આ પરિસ્થિતિ અયોધ્યામાં ચાલતી રહી.

.

૧૯૮૪ની સાલમાં અયોધ્યાના મંદિરની પરિસ્થિતિમાં કદાચ કોઈ મોટો બદલાવ થવાનો હતો. પરંતુ, ત્યાં જ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા થઇ ગઈ અને તે બદલાવની ઘડી થોડી પાછી ઠેલાઇ ગઈ. વાત કંઈક એવી હતી કે, ૧૯૮૪ની સાલમાં વિશ્વ હિંદૂ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીએ ભેગા થઇ એક સમિતિની સ્થાપના કરી. અને નક્કી એવું થયું કે સીતામઢીથી શરૂ કરી અયોધ્યા સુધી આ સમિતિ એક રથયાત્રા કાઢશે. પરંતુ, ત્યાં જ ઈન્દિરાજીના મૃત્યુના સમાચાર આવ્યા અને રથયાત્રાનું પ્લાનિંગ હાલ પૂરતું અભેરાઈએ ચઢાવી દેવું પડ્યું.

.

ઈન્દિરાજીના મૃત્યુ પછી રાજીવ ગાંધી સત્તા પર આવ્યા અને ૧૯૮૬ની સાલમાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા એક એવા કેસનો ચૂકાદો સંભળાવવામાં આવ્યો જે આખાય દેશમાં અત્યંત ચર્ચામાં રહ્યો હતો. કોર્ટમાં અનેકવાર ઉહાપોહ થયો હતો. “શાહબાનો કેસ!” આ વિષે આપણે બધા જ જાણીએ છીએ. શાહબાનો પોતાના પતિ પાસે ગુજરાન ચલાવવાનું ભથ્થું મેળવવા અંગેનો કેસ જીતી ગઈ અને દેશભરના મુસ્લિમોને એવું લાગ્યું કે જાણે સરકાર અને કોર્ટે તેમના શરીયા કાનૂનનું અપમાન કરી નાખ્યું છે. વોટબેન્કની ચિંતામાં ચિંતિત પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ મુસ્લિમોને ખુશ કરવા માટે સંસદમાં એક પ્રસ્તાવ મૂક્યો, તે પ્રસ્તાવ સંસદમાં પાસ પણ કરાવ્યો અને કોર્ટના આખાય ચૂકાદાને જ તેમણે પલટાવી નાખ્યો. આ કોઈ બીજાનું નહિ પણ કોર્ટનું અપમાન હતું. દેશનું અપમાન હતું. હિંદૂઓ ભડક્યા. આ અસંતોષ એટલો મોટો હતો કે આખાય દેશમાં તેનો અવાજ ગૂંજવા માંડ્યો. સંસદમાં પ્રસ્તાવ પાસ કરાવી લઇને મુસ્લિમોને ખુશ કરી જ દીધા હતા. હવે હિંદૂઓને ખુશ કરવાના હતા… તો શું કરવું? રાજીવ ગાંધીએ બીજો એક મહત્વનો નિર્ણય લીધો. બાબરી મસ્જિદમાં હિંદૂઓના પ્રવેશ પર પેલું જે તાળું લાગેલું હતું એ તાળું ખોલાવી નાખ્યું, હિંદૂઓને ત્યાં પૂજા-અર્ચના કરવાની પરવાનગી આપી દેવામાં આવી.

.

પહેલા મુસ્લિમોને ખુશ કર્યા અને ત્યારબાદ હિંદૂઓ ભડક્યા તો તેમને પણ શાંત કર્યા. પણ રાજીવ ગાંધીને કદાચ એ નહોતી ખબર કે, હિંદૂઓને શાંત કરવા માટે તેમણે આ જે નિર્ણય લીધો છે તેનાથી આખોય મામલો શાંત નથી પાડવાનો, પણ ઉલટાનો વધુ ભડકવાનો હતો. ૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૧૯૮૬નો એ દિવસ… હિંદૂઓને તેમના પ્રભુ શ્રી રામની પૂજા કરવાની પરવાનગી મળી તેથી નાખુશ અને ગુસ્સે ભરાયેલા મુસ્લિમોએ એક સમિતિની રચના કરી. “બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિ!”

.

૧૯૮૯ની સાલમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતૃત્વ હેઠળ રામ જન્મભૂમિ કે જે હિંદૂઓ સિવાય બાકીના બધા જ લોકો માટે એક વિવાદિત સ્થળ હતું (કેટલાંક સો કોલ્ડ હિંદૂ માટે પણ). તેની નજીક જ શ્રી રામ મંદિર બનાવવા અંગે પ્રતીકાત્મક પાયો ખોદવામાં આવ્યો. અને તે જ વર્ષે અલ્હાબાદ હાઇકોર્ટનો શ્રી રામમંદિર ઇતિહાસનો સૌથી મહત્વનો, સચોટ, સટીક, સટ્ટાક અને ગૌરવપ્રદ ચૂકાદો આવ્યો. કોર્ટે કહ્યું કે, વિવાદિત સ્થળના મુખ્ય દ્વારો ખોલી નાખવામાં આવે અને તે જગ્યા મૂળતઃ હિંદૂઓની હોય તેનો કબ્જો કાયમ માટે હિંદૂઓને આપી દેવો જોઈએ.

.

કોર્ટના આ ચૂકાદા પછીનો આખોય ઘટનાક્રમ આપણને બધાને જ ખબર છે. કારણ કે કોર્ટના આ નિર્ણય બાદ આ મંદિર બાબતે દરેકે-દરેક ડેવલપમેન્ટ સમાચાર પત્રો અને ટેલિવિઝન ન્યુઝ ચેનલ્સ પર આવતા જ રહ્યા હતા. છતાં, સાવ ટૂંકાણમાં વાત કરી લઈએ.

.

૧૯૯૦ની સાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદૂ પરિષદના નેતૃત્વમાં લાલકૃષ્ણ અડવાણીજીએ ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાનો પ્રારંભ કર્યો. આ રથયાત્રામાં વચ્ચે બિહાર પણ આવતું હોવાથી યાત્રા બિહાર રાજ્યના સમસ્તીપુરમાંથી પસાર થઇ રહી હતી અને તે જ સમયે બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે લાલકૃષ્ણ અડવાણીને પકડી લઇ જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. યાત્રાના યાત્રિકો અને હિંદૂઓ આ ગિરફ્તારી જોઈ ગભરાઈ જશે એવું બિહાર સરકારનું માનવું હતું જે સદંતર ખોટું પડ્યું. અડવાણીજીની ગિરફ્તારી છતાં યાત્રા ચાલૂ રહી અને જે દિવસે તે અયોધ્યા પહોંચવાની હતી તે દિવસે એટલે કે, ૩૦મી ઓક્ટોબર, ૧૯૯૦ના દિવસે હજારો, લાખોની સંખ્યામાં રામભક્તો અયોધ્યા પહોંચી ગયા. અયોધ્યામાં તૈનાત પોલીસે હિંદૂઓને રોકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આટલા વર્ષોનો ગુસ્સો, અસંતોષ, અન્યાયની લાગણી, રામ પ્રત્યેની ભક્તિ, શ્રદ્ધા અને ધર્મની જીત જેવી અનેક લાગણીઓભર્યા એ ટોળાને રોકવું અશક્ય હતું. રામભક્તોએ તે દિવસે બાબરી મસ્જિદના વિવાદિત ઢાંચા પર હિંદૂ ધ્વજ ફરકાવી દીધો.

.

આ ઘટનાના ત્રણ જ દિવસ પછી, એ તારીખ હતી કે જે ભારતનો ઇતિહાસના પાને કાળા ડિબાંગ અને શરમના અક્ષરો દ્વારા લખવાના હતા. ૨જી નવેમ્બર, ૧૯૯૦નો એ દિવસ કે જ્યારે તત્કાલીન ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવે આદેશ કર્યો, બંદૂક ઉઠાવી રામભક્તો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવવાનો! સેંકડો, હજારો રામભક્તોનું તે ગોળીબારીમાં મૃત્યુ થયું. હજારો રામભક્તો પોતાના જ દેશમાં, પોતાના જ ધર્મના મંદિર માટે અયોધ્યા ગયા હતા જે તે દિવસે ઘરે મૃતદેહ તરીકે પણ પાછા ફર્યા નહોતા. કહેવાય છે કે તે દિવસે સરયૂ નદીના કિનારે લાશોનો એટલો મોટો ઢગલો થઇ ગયો હતો કે જો તેમને મેદાની કિનારા પર ગોઠવવામાં આવે તો સરયૂ નદીના પટ કરતા મોટો લાંબો પટ બની શકે.

.

હવે ગુસ્સો બેવડાયો હતો, ભક્તિ અને શ્રદ્ધા બંને હવે હિંદુના દિલ અને દિમાગમાં જૂનૂનનું સ્વરૂપ લેવા માંડી હતી. પોતાના જ દેશમાં પોતાના જ ધર્મ માટે આટલો બધો સંઘર્ષ કરવો પડે એ હિંદૂ હવે ચલાવી લેવા તૈયાર નહોતો. લોહીની સાથે-સાથે હવે હિંદુત્વ પણ નસોમાં વહેવું શરૂ થઇ ચૂક્યું હતું. અલ્હાબાદ હાઇકોર્ટનો નિર્ણય આવી ગયો છતાં, હિંદૂઓને તેમનો હક નહિ મળે. ઉલ્ટાનું એક મુખ્યમંત્રી ગિરફ્તારી કરાવે અને બીજા મુખ્યમંત્રી નિર્દોષ લોકો પર અંધાધૂંધ ગોળીઓ ચલાવવાનો આદેશ આપે? આ હવે પાશવીપણાની હદ હતી. ૬ઠ્ઠી ડિસેમ્બર, ૧૯૯૨. ૨ લાખ કરતાંય વધુ રામભક્તો, કારસેવકો અયોધ્યા પહોંચ્યા. ભીડ એટલી જબરદસ્ત હતી કે પોલીસની તાકાત નહોતી તે સંભાળી શકે. ૬ઠ્ઠી ડિસેમ્બરની બપોરે ૧.૫૫ને બાબરી મસ્જિદનો પહેલો ગુમ્બજ તોડી પાડવામાં આવ્યો. ત્યારબાદ દોઢ કલાકમાં ૩.૩૦ વાગ્યે મસ્જિદનો બીજો ગુમ્બજ પણ જમીન ભેગો કરી નાખવામાં આવ્યો. પાંચ વાગતા સુધીમાં તો ત્રીજો ગુમ્બજ પણ જમીન પર આવી ચૂક્યો હતો. આ કૃત્યની જવાબદારી લેતા તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણસિંહે રાજીનામુ આપી દીધું અને સાંજે સાત વાગ્યે આખાય ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ સાશન લાગૂ કરી દેવામાં આવ્યું.

.

આમ જોવા જઈએ તો આટલો આખોય ઇતિહાસ જાણ્યા પછી અને છેલ્લી ઘટનામાં હિંદૂઓ પર થયેલા અંધાધૂંધ ગોળીબાર પછી કારસેવકો દ્વારા કરવામાં આવેલું મસ્જિદનું પતન જરાય ખોટું નહોતું. વર્ષો પહેલાનું જે ડ્યુ હતું તે જ હિંદૂ ભક્તોએ પાછું મેળવ્યું હતું. છતાં, અવાવરૂ એવી મસ્જિદના ગુમ્બજ તૂટ્યા તેનાથી મુસ્લિમોની લાગણીઓને ઠેસ પહોંચી અને આખાય દેશમાં મુસ્લિમ-હિંદૂ વચ્ચે કોમી રમખાણો ફાટી નીકળ્યા. એકમાત્ર અયોધ્યામાં જ ૧૦૦૦ કરતાંય વધુ લોકોની અને મુંબઈમાં ૯૦૦ જેટલા લોકોની, ગુજરાતમાં અંદાજે ૨૫૦૦ અને મહારાષ્ટ્રમાં ૧૫૦૦ જેટલા લોકોએ આ હુલ્લડોમાં જીવ ગુમાવ્યા. દાઉદ જેવા ગૂંડાઓએ આ ઘટનાનો ફાયદો લઇ બૉમ્બ બ્લાસ્ટસ પણ કરાવ્યા. જે બધું જ આપણે જાણીએ જ છીએ.

.

આ ઘટનાના ૧૦ દિવસ પછી તેની તપાસાર્થે એક સંશોધન સમિતિની રચના કરવામાં આવી જેને લિબ્રહાન સમિતિ તરીકે ઓળખાય છે. લિબ્રહાન સમિતિને આખાય મામલાની તપાસ કરી રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. અને ડેડલાઈન તરીકે સમય આપવામાં આવ્યો હતો, ત્રણ મહિનાનો. વાહ રે મેરી લિબ્રહાન સમિતિ… તેરા કરમ નિરાલા, તેરી જાંચ નિરાલી… ત્રણ મહિનાની ડેડલાઇનને ૧૭ વર્ષનો સમય લાગી ગયો. ૨૦૦૩ની સાલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આયોગ પાસે પણ આ સ્થળની તપાસ અને સંશોધન કરાવવામાં આવ્યું. જે રિપોર્ટમાં તેમને સ્પષ્ટપણે લખ્યું કે, મસ્જિદનો જે વિવાદિત ઢાંચો બનાવવામાં આવ્યો હતો એ નિઃશંક મંદિર તોડીને જ બનાવવામાં આવ્યો હતો. (એ જ શબ્દો, એ જ રિઝલ્ટ જે ૧૮૧૩ની સાલમાં અંગ્રેજો દ્વારા કરાવવામાં આવેલા સંશોધનમાં આવ્યું હતું, ત્યારબાદ ૧૮૩૮ની સાલમાં પણ ફરી એકવાર અંગ્રેજ પુરાતત્વવિદ મોંટેગો મેરી માર્ટિને પોતાના રિપોર્ટમાં કહ્યું હતું.) ૩૦મી જૂન, ૨૦૦૯ જ્યારે લિબ્રહાન કમિટીએ ૭૦૦ પાનાનો એક વિસ્તૃત રિપોર્ટ પોતાના સંશોધનને આધારે બનાવ્યો. જેમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો રિપોર્ટ પણ સામેલ કરવામાં આવ્યો અને તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહને તે સોંપવામાં આવ્યો.

.

આ બધા સરકારી કામો ચાલતા હતા ત્યાં જ ૨૦૧૦ની સાલમાં એક બીજો ઐતિહાસિક ચૂકાદો અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયમાંથી જ આવ્યો. અયોધ્યાનો પૂર્ણ ઇતિહાસ, આજ સુધીના તમામ પુરાવાઓ અને સત્યતા તપાસ્યા બાદ કોર્ટે આ વિવાદિત ઢાંચાવાળી જમીનને રામજન્મભૂમિ જાહેર કરી દીધી. પણ છતાં, કોઈને પૂરેપૂરી ખુશી અને કોઈને પૂરેપૂરું દુઃખ નહિ થાય અને દેશમાં સોહાર્દ જળવાઈ રહે તેવો ચૂકાદો આપવાની પડોજણમાં કોર્ટે કહ્યું કે, શ્રીરામજીની મૂર્તિઓ ત્યાંથી હટાવી લેવામાં આવે અને આખીય જમીનના કૂલ ત્રણ સરખા ભાગ કરી, એક ટૂકડો રામ જન્મભૂમિ ટ્રસ્ટને, એક ટૂકડો નિર્મોહી અખાડાને અને એક ટૂકડો સુન્ની વક્ફ બોર્ડને આપી દેવામાં આવે. આતે કેવી વાત? જ્યારે કોર્ટ સ્વીકારે છે કે તે રામ જન્મભૂમિ જ છે અને આજ સુધી તેના પર ગેરકાનૂની એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું હતું. તો પછી જમીનના ત્રણ ટૂકડા કરવાની વાત ક્યાંથી આવી?

.

કોર્ટનો આ ચૂકાદો હિંદૂ અને મુસ્લિમો બંનેમાંથી એકેય પક્ષને મંજૂર નહોતો. ૨૦૧૧ની સાલમાં આખોય મામલો પહોંચ્યો દિલ્હી સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આખાય કેસ સંબંધિત બધાય કાગળોનું અંગ્રેજીમાં અનુવાદ કરાવો. અહો આશ્ચર્યમ, કાગળોનું અંગ્રેજી અનુવાદ કરવામાં જ વર્ષોનો સમય લાગી ગયો. વર્ષો સુધી આ કેસ બાબતે સુપ્રીમ કોર્ટમાં કોઈ હિઅરીંગ જ નહિ થયું. આખરે, ૯મી નવેમ્બર, ૨૦૧૯ના દિવસે સુપ્રીમ કોર્ટનો એ અંતિમ ચૂકાદો આવ્યો જેની દેશને આટલા વર્ષોથી રાહ હતી. કોર્ટે કહ્યું કે આખીય જમીન રામ જન્મભૂમિ ટ્રસ્ટને સોંપી દેવામાં આવે! કોઈ અંદાજ મૂકી શકો કેટલા વર્ષના લાંબા સંઘર્ષ બાદ આખરે ભારતના હિંદૂઓનું આ મંદિરનું સપનું સાકાર થયું હશે? હવે તો આખોય ઇતિહાસ જાણીએ છીએ તેથી ગણતરી કરી જ શકીએ. પરંતુ, જવા દો નથી કરવી.

.

૪થી ફેબ્રુઆરી, ૨૦૨૦માં એક ટ્રસ્ટ સ્થાપવામાં આવ્યું અને મંદિરનું નિર્માણ કાર્ય આરંભ થયું. જયાં આખરે ૨૨મી જાન્યુઆરી, ૨૦૨૪ના દિવસે પ્રભુ શ્રી રામચંદ્રજીની પાંચ વર્ષની આયુવાળી સુંદર મૂર્તિનો રાજ્યાભિષેક (પ્રાણપ્રતિષ્ઠા) થશે. અને અયોધ્યાની સાથે સાથે ફરી એકવાર આખોય દેશ રામરાજ્યનો સાક્ષી બની રામમય થશે.

.

આ આખીય શૃંખલા લખવાનું, વર્ષો-દિવસો સુધી અથાક મહેનત કરી આટલી બધી માહીતિઓ એકઠી કરવાનું અને તેને ક્રમબદ્ધ કરી શબ્દોમાં આલેખન માટે તૈયાર કરી વાચનયોગ્ય, જાણવા યોગ્ય સાહિત્યનું સ્વરૂપ આપી તમારી સામે પીરસવાનો આશય માત્ર એટલો છે કે, આજે આ તૈયાર થયેલું જે ભવ્ય રામ મંદિર આપણે ઘેરબેઠાં જોઈ રહ્યા છીએ. આવતી કાલે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો જે ભવ્ય સમારોહ, મહોત્સવ આપણે જોશું એ બધું જ શક્ય બન્યું તેની પાછળ પાંચસો વર્ષ કરતાંય વધુ જૂનો એવો હજારો વર્ષનો ઇતિહાસ છે. કેટલાંક સો નહિ, કેટલાંક હજારો પણ નહિ, પરંતુ લાખો લોકોએ તે માટે બલિદાનો આપ્યા છે. ત્યારે આ મંદિર આપણે મેળવી શક્યા છીએ. આ જિંદગી ભર, પેઢીઓ સુધી અને કાળના અંત સુધી યાદ રહેવું જોઈએ!

.

હવે પછી જો કોઈ સેક્યુલરિયા ફુરફુરીયા કે ઈન્ટલેકચૂઅલનો પટ્ટો ગળે પહેરી ભાઉં ભાઉં કરતા વાંકી પૂંછડીવાળા મળે અને સહિષ્ણુતા, સમાનભાવ અને પરમાર્થના કામની પિપૂડી વગાડતા કહે કે, મંદિરની શું જરૂર છે, હોસ્પિટલ કે શાળા બનાવોને,મંદિર માટે આટલા લાડવાની કે જીત્યા પછી આટલા ખુશ થવાની શું જરૂર છે? તો ત્યારે ગર્વથી કોલર ઊંચો કરીને કહેજો… અબે ચલ, નિકલ… હવા આને દે… હોસ્પિટલ અને શાળા જ બનાવવી છે ને તારે? કોઈ ક્લબ, રિસોર્ટ તોડીને બનાવને… અને જો એટલો જ ભરોસો હોય તો કોઈ મસ્જિદ કે ચર્ચ તોડીને હોસ્પિટલ કે શાળા બનાવવાની વાત કરી જો… પછી તું વાત કરવા લાયક કે જીવતો / જીવતી બચે તો આગળ વાત કરશું.

.

(  આશુતોષ ગીતા દેસાઈ )

 

ભવ્યાતિભવ્ય રામ મંદિરનો સાચો ઇતિહાસ (ભાગ-૫)-આશુતોષ ગીતા દેસાઈ

.

જોખમ દેખાવા લાગ્યું. જેનું પરિણામ અત્યંત દુઃખદાયી આવ્યું. કોઈપણ જાતના વાંક ગુના વિના, કોઈપણ વ્યાજબી કારણ વિના કંપની સરકારે તે જ મંદિરની નજીક એક ઝાડ પર તે મૌલવી અને સ્વામી રામચરણદાસજીને એક સાથે લટકાવી દઈ ફાંસી આપી દીધી.

.

અંગ્રેજ સરકાર અને મુસલમાનોના આવા કૃત્યથી દેશના હિંદૂઓ જબરદસ્ત ભડક્યા. અંગ્રેજોને સમજાય ગયું હતું કે જો આ હિંદૂઓ શાંત નહિ થયા તો મોટી મુશ્કેલી સર્જાશે. આથી ફરી એકવાર હિંદુઓની કોણીએ ગોળ વળગાડવામાં આવ્યો. દર્શન અને પૂજાની જુઠ્ઠી લોલીપોપ દરેક હિંદુના મોઢામાં મૂકવામાં આવી. અત્યંત ચાલાક અંગ્રેજ સરકારે તે વિવાદિત સ્થળ પર એક સેન્ટીંગ એટલે કે બોર્ડર બનાવી દીધી. અને મુસલમાનોને અંદરનો હિસ્સો અને હિંદૂઓને પૂજા કરવા માટે બહારનો હિસ્સો આપી દેવામાં આવ્યો. આ રીતે વચ્ચેનો માર્ગ કાઢી અંગ્રેજોએ પ્રયાસ કર્યો કે હિંદૂઓના માનસ પરથી પોતે કરેલી ભૂલ હટાવી શકાય અને મુસલમાનોને ખુશ કરી શકાય. કમાલ જૂઓ કે તેમનો આ પેંતરો કામ કરી પણ ગયો. ઘણા લાંબા સમય સુધી દેશમાં આ મુદ્દે શાંતિ સ્થપાઈ ગઈ.

.

ત્યારબાદ, વર્ષ આવ્યું ૧૮૮૫નું. જ્યારે, હિંદૂઓના રાષ્ટ્રમાં, હિંદૂઓના જ દેવતાના હિંદૂ મંદિર માટે પહેલીવાર કોર્ટનો દરવાજો ખટખટાવવો પડવાનો હતો. નિર્મોહી અખાડાના તે સમયના મહંત શ્રી રઘુવર દાસજીએ પહેલીવાર ન્યાય સિસ્ટીમમાં ભરોસો રાખી રામ જન્મભૂમિના મુદ્દાને કોર્ટમાં લઇ જવાનું નક્કી કર્યું. ફૈઝાબાદની કોર્ટમાં ઘા નાખવામાં આવી. તે સમયે ફૈઝાબાદ કોર્ટના જજ તરીકે હતા, પંડિત હરિકિશન! મહંત શ્રી રઘુવર દાસજીએ કોર્ટને પ્રાર્થના કરી કે, રામ ચબૂતરા પર છતરી લગાડવાની પરવાનગી આપવામાં આવે. પણ, હિંદૂ મેજોરિટીવાળા આ રાષ્ટ્રની કરૂણતા જૂઓ કે કોર્ટે તેમની આ અરજી ફગાવી દીધી. હિંદૂ દેશમાં, હિંદૂ મંદિરમાં જ પૂજા કરવા માટે એક હિંદૂ સંતે કોર્ટમાં અરજી કરવી પડે અને તે અરજી ફગાવી દેવામાં આવે.

.

૧૯૩૪ની સાલમાં ફરી એકવાર હિંદૂઓ અને મુસ્લિમો વચ્ચે કોમી હુલ્લડ થયું અને તેમાં વર્ષોથી અન્યાય સહન કરી રહેલા ગુસ્સે ભરાયેલા હિંદૂઓએ બાબરી મસ્જિદની દિવાલ તોડી પાડી. પણ અંગ્રેજ સરકારે તે દિવાલ પાછી બંધાવડાવી દીધી. આ હુલ્લડનો એક ફાયદો જરૂર થયો. હિંદૂઓએ આ વખતના હુલ્લડ પછી એટલો જબરદસ્ત વિરોધ કર્યો કે અંગ્રેજ સરકારે મુસ્લિમોને ત્યાં નમાજ પઢવા જવાની મનાઈ ફરમાવી દીધી. ત્યારબાદ આની આ જ પરિસ્થિતિ કાયમ રહી અંગ્રેજો આ દેશમાંથી ગયા ત્યાંસુધી, દેશ આઝાદ થયો ત્યાં સુધી.

.

૧૯૪૭ની સાલ આવી. દેશ આઝાદ થયો પરંતુ તે સાથે જ હિંદૂ-મુસ્લિમ આંતર વિગ્રહ પણ તેની ચરમસીમાએ ફાટી નીકળ્યો. મહમ્મદ અલી જિન્નાહને મુસ્લિમો માટે તેનો એક નવો દેશ જોઈતો હતો. હિંદૂઓને થયું કે હવે તો મુસ્લિમોનો નવો દેશ પણ બની ગયો અને મુસ્લિમો ત્યાં ચાલી ગયા. હવે તો હિંદૂઓના અત્યંત ધાર્મિક એવા સ્થળે મંદિર બનશે જ બનશે! પરંતુ, એવું નહિ બન્યું. તત્કાલીન કોંગ્રેસ સરકારની “કરવા જેવા કામો”ની યાદીમાં “રામ મંદિર”નો ક્યાંય ઉલ્લેખ સુધ્ધાં નહોતો. અધૂરામાં પૂરું આઝાદ દેશની નવી બનેલી સરકારે મસ્જિદના દરવાજે જ તાળા લગાવી દીધા. હા, પણ તેમાં એક વાત સારી બની કે, હિંદૂઓને બીજા એક અન્ય દ્વારથી પ્રવેશ માટેની પરવાનગી આપવામાં આવી.

.

અહો આશ્ચર્યમ, ૧૯૪૯ની સાલમાં એક એવી ઘટના ઘટી કે જે કોઈને માનવામાં નહિ આવે. અચાનક એક દિવસ મસ્જિદની અંદરથી ઘંટડીનો અવાજ આવવા માંડ્યો. તપાસ કરવામાં આવી તો ખબર પડી કે, મસ્જિદની અંદર એક મૂર્તિ દેખાય આવી છે. પાકિસ્તાન નહિ ગયેલા ભારતમાં જ રહી ગયેલા જૂજ બચેલા મુસલમાનોમાના કેટલાંક મુસ્લિમોએ આરોપો લગાવ્યા કે હિંદૂઓએ તે મૂર્તિ જાણી જોઈને ત્યાં મૂકી છે. આ વિવાદ એટલો વકર્યો કે મસ્જિદ જે મૂળ મંદિર હતું તે સ્થળે અનેક હિંદૂ અને મુસ્લિમો ભેગા થવા માંડ્યા.

.

જો જો હોં… હવે પછી આવનારી વાત વાંચી બેઠેલી જગ્યા પરથી ગબડી નહિ પડતા… આંખો પણ પહોળી નહિ કરતા… આશ્ચર્ય તો જરા પણ અનુભવતા જ નહિ… આખરે આ વિવાદ એટલું જોર પકડવા માંડ્યો કે વાત છેક દિલ્હીમાં બેઠેલા દેશના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ સુધી પહોંચી ગઈ. અને ચાચા નહેરૂ, બાળકોના પ્રિય એવા નહેરૂ, છાતીએ ગુલાબ લઇ ફરતા આપણાં દેશના પરમ દયાળુ એવા પ્રથમ પ્રધાનમંત્રી નહેરૂજીએ મુસ્લિમોનો પક્ષ લેતા, અયોધ્યાનાં જિલ્લા અધ્યક્ષ શ્રી કે. કે. નાયરને હુકમ કર્યો કે, તેઓ પ્રભુ શ્રી રામની તે મૂર્તિઓને ત્યાંથી હટાવી દે. પણ સદ્દનસીબે તત્કાલીન જિલ્લા અધ્યક્ષ નાયર સાહેબે તેમ કરવાની ના કહી દીધી.

.

તારીખ હતી ૨૭મી ડિસેમ્બર, ૧૯૪૯. ચાચા જવાહરલાલ નહેરૂએ ફરી એકવાર પત્ર દ્વારા શ્રી કે. કે. નાયરને હુકમ કર્યો કે શ્રી રામની મૂર્તિઓ હટાવી લેવામાં આવે. (આ ઓફિશિયલ કોમ્યુનિકેશનની કોપી ઉત્તરપ્રદેશ સરકારના આરકાઈવમાં અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં આજે પણ મોજૂદ મળશે.) પરંતુ, સ્વમાની, ધાર્મિક હિંદૂ એવા કે.કે. નાયરે જવાબમાં પોતાનું રાજીનામુ આપી દીધું અને સાથે કહ્યું પણ ખરૂં કે, મૂર્તિઓ હટાવવાની જગ્યાએ ત્યાં એક જાળીવાળો દરવાજો લગાવી દેવામાં આવે. ભોળા, હિંદૂ ધર્મ પ્રેમી નહેરુજીને નાયરનો આ સુજાવ ગમ્યો. તેમણે પ્રભુ શ્રી રામની મૂર્તિની આસ-પાસ એક જાળીવાળો દરવાજો લગાવવાનો હુકમ કર્યો.

.

અર્થાત, પ્રભુ શ્રી રામ પોતે જ્યાં જનમ્યા હતા તે જ સ્થળે હવે તેઓ એક કેદીની જેમ આજુ-બાજુથી જાળીઓમાં કેદ હતા. બિચારા પ્રભુને કદાચ એ વાત પહેલેથી જ ખબર હતી કે, તેમણે આ રીતે હજી કેટલા વર્ષો સુધી રહેવાનું છે. પરંતુ, ભગવાનને કેદી બનાવી શકે એટલી તાકાત અને હિમ્મત હજી વિશ્વના કોઈ ચમરબંધીમાં આવી નથી અને આવશે પણ નહિ. આથી જ એથી સાવ ઉલટું પરિણામ ભવિષ્યના સૂર્યોદય ક્ષિતિજે ઉદ્દગ્મની રાહ જોઈ રહ્યું હતું. આજની વાતને અહીં વિરામ આપીએ…

.

કાવા દાવાઓની આ મેલી રમત વિષેની વાત આવતીકાલે કરી આ ટૂંકી શૃંખલાને અહીં પૂર્ણ કરીશું. આવતી કાલે આ સીરીઝનો છેલ્લો એપિસોડ. અને સોમવારે આપણે બધા ભેગામળી રામચંદ્રજીના પુન: રાજ્યાભિષેકનો મહોત્સવ મનાવશું!

.

(  આશુતોષ ગીતા દેસાઈ )

ભવ્યાતિભવ્ય રામ મંદિરનો સાચો ઇતિહાસ (ભાગ-૪)-આશુતોષ ગીતા દેસાઈ

ગઈકાલના એપિસોડ સુધી આપણે વાત કરી હતી કે કઈ રીતે હુમાયુએ રામ મંદિર કે જે હવે મસ્જિદ-એ-જન્મસ્થાન, બાબરી મસ્જિદ બની ચૂકી હતી તે ફરી એકવાર હિંદૂ ભક્તોના હાથમાં ચાલી જવાથી તેને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો અને પોતાનું તમામ બળ લગાવી તેને ફરી હિંદૂઓ પાસેથી આંચકી લીધું. હવે આગળ…

.

હુમાયુએ તેના પૂરા સૈન્યબળ સાથે ફરી એકવાર અયોધ્યાની ગેરકાનૂની બાબરી મસ્જિદ (મૂળ રામ મંદિર) પાછી મેળવવા માટે હુમલો કર્યો અને તે યુદ્ધમાં ભારત વર્ષે તેની મહાવીર ક્ષત્રિયાણી રાણી જયરાજ કુમારી અને સ્વામી મહેશ્વરાનંદને ગુમાવવા પડ્યા. ભારતના આ બંને પનોતા સંતાનો અને તેમની સેના (જેમાં સૈન્ય તરીકે સ્ત્રીઓ અને સંતપુરુષો હતા.) લડતા-લડતા લોહી નીંગળતા શરીર સાથે વીરગતિ પામી અને મંદિરના ઇતિહાસમાં વધુ એક રક્તરંજિત પાનું ઉમેરાઈ ગયું.

.

આ ઘટના બાદ પણ અનેક એવી ઘટનાઓ અને કિસ્સાઓ બન્યા કે જ્યારે હિંદૂ વીર લડવૈયાઓએ વારંવાર એ મંદિરના પુનઃ સ્થાપન માટે પોતાના પ્રાણોની આહૂતિ આપી. હુમાયુનું સાશન પૂર્ણ થયું અને અકબરનું સાશન આવ્યું ત્યાં સુધી આ પ્રયત્નો સતત ચાલતા રહ્યા. પણ દરેક સહનશીલતાને એક એવો પોઇન્ટ હોય છે કે જ્યાં સહનશીલતા તેની સપાટીએ આવી જાય અને વ્યક્તિ મરણિયો બની જાય. જયારે અહીં તો કોઈ એક વ્યક્તિનો સ્વાર્થ કે કોઈ એકની વાત જ નહોતી. આખી એક પ્રજાની વાત હતી. જે કેમેય કરી હાર માનવા તૈયાર નહોતી. આખીય એક પ્રજા દ્વારા ચાલતા આ સતત યુદ્ધથી તે સમયે અકબર એવો ગભરાયો કે તેણે બીરબલ અને ટોડરમલની સલાહ માનવી પડી.

.

આખરે ગભરાયેલા અકબરે, પ્રજાનો આંતરવિદ્રોહ રોકવા માટે બીરબલ અને ટોડરમલના કહેવાથી મસ્જિદના ચબૂતરા પર એક ૩ ફૂટનું નાનું રામ મંદિર બંધાવ્યું. જ્યાં હિંદૂઓ પોતાની પૂજા અર્ચના કરી શકે. અકબરના સાશન બાદ આવ્યો જહાંગીર અને ત્યારબાદ આવ્યો શાહજહાં… ભલે નાનું તો નાનું પણ પોતાના ઈશ્વરનું ધામ હતું. હિંદૂઓ એટલી મોટી સંખ્યામાં ત્યાં પૂજા અર્ચના કરી રહ્યા હતા કે જહાંગીર કે શાહજહાંમાંથી કોઈની હિંમત નહોતી કે તે મંદિરને ત્યાંથી હટાવવાની કે તોડી પાડવાની વાત સુધ્ધાં કરે.

.

પણ, સમય ફરી એકવાર બદલાવાનો હતો. એક ભવ્ય મંદિરને અન્યાયપૂર્વક આંચકી લીધા પછી પણ નાનું મંદિર મળ્યું હોવાનો સંતોષ માનતા હિંદૂઓ પર ફરી એક મોટો હથોડો ઝીંકાવાનો હતો. શાહજહાંનું નરાધમ, દૈત્ય સંતાન ઔરંગઝેબ પોતાના સગા બાપને બંધી બનાવી લઇ રાજગાદી પર આવ્યો. અને તેણે ફરી એકવાર મંદિર તોડી પાડવાના પ્રયાસો શરૂ કર્યા. (આખાય ભારતમાં સૌથી વધુ મંદિરો ઔરંગઝેબના સાશનકાળ દરમિયાન તૂટ્યા અને લૂંટાયા છે. આખાય ભારતમાં સૌથી વધુ બળજબરીએ ધર્મ પરિવર્તન પણ ઔરંગઝેબના સાશનકાળ દરમિયાન જ થયા છે.)

.

હવે જે આંકડો તમે વાંચવા જઈ રહ્યા છો તે ખરેખર ચોંકાવનારો છે. ઔરંગઝેબ નામના એ પાશવી મુગલે અયોધ્યાનું એ ૩ ફૂટનું નાનું મંદિર પણ તોડી પાડવા માટે અયોધ્યા પર અંદાજે ૧૦ વાર આક્રમણ કર્યું. દરેક આક્રમણ દરમિયાન તેણે અયોધ્યાના અનેક મંદિરો તોડ્યા અને લૂંટ્યા. પણ આ ભારતવર્ષ છે, સાહેબ… ઔરંગઝેબે જો અયોધ્યા પર દસ વાર હુમલો કર્યો તો ઔરંગઝેબના જ સાશન દરમિયાન એ જ રામંદિરની રક્ષા માટે શ્રી વૈષ્ણવદાસજીએ લગભગ ૩૦વાર ઔરંગઝેબ પર આક્રમણ કર્યું. આ સતત ચાલતા રહેલા યુદ્ધ, યુદ્ધ અને યુદ્ધમાં સાલ આવી ૧૭૧૭ની. જ્યારે જયપુરના રાજા જયસિંહ બીજાએ યુદ્ધથી નહિ પણ વાટાઘાટથી હિંદૂઓનું આ પવિત્ર સ્થાન ફરી હિંદૂઓને મળે તે માટેના પ્રયાસ આરંભ્યા. જયપુરના રાજવી જયસિંહ બીજા એક પ્રભાવશાળી રાજા તો હતા જ સાથે જ તેમની મુગલ સાશકો સાથે સારી મિત્રતા પણ હતી. આથી તેમણે મુગલોને રજૂઆત કરી કે હિંદૂઓને તેમનું ધાર્મિક સ્થળ પાછું સોંપી દેવામાં આવે.

.

પરંતુ, મુગલ સુલતાન ફારૂક સિયાર પોતાના મિત્રની વાત માનવા તૈયાર નહોતો. તેણે ફટ કરતા રાજા જયસિંહ બીજાને ના કહી દીધી. છતાં, જયસિંહે હાર માન્યા વિના પોતાના પ્રયાસો ચાલૂ રાખ્યા અને તે ૩ ફૂટના નાનકડા મંદિરની પાસે તેમણે એક રામ ચબૂતરો બનાવડાવ્યો. જેથી હિંદૂ ભક્તો ત્યાં પૂજા કરી શકે. પુરાવા રૂપે હજી એક પ્રમાણ ભારતના હિંદૂઓને મળે છે. સાલ હતી ૧૭૮૮. ફ્રાન્સના એક પાદરી જોસેફ ટિફનટલર જે સ્વયં તે સમયે ભારતમાં હાજર હતા. તેઓએ લખેલા એક પુસ્તકમાં નોંધે છે કે, બાબરી મસ્જિદ એ શ્રી રામનું મંદિર તોડીને બનાવવામાં આવી હતી એટલું જ નહિ તેમણે પોતાના પુસ્તકમાં રામ ચબૂતરાનો પણ ઉલ્લેખ કર્યો.

.

મુગલો પછી આવ્યા ફિરંગી અને ત્યારબાદ આવ્યા અંગ્રેજો. સાલ હતી ૧૮૧૩ની જ્યારે દેશના હજારો હિંદૂઓએ ભેગા મળી અંગ્રેજો સામે રજૂઆત કરી અને મૂળ હિંદૂઓનું આ પવિત્ર સ્થાન હિંદૂઓને પાછું આપવામાં આવે તે વિષે કહેવામાં આવ્યું. પણ તે સમયે અંગ્રેજો ભારતમાં પોતાના મૂળિયાં હજી એટલા મજબૂત નહોતા કરી શક્યા કે તે કંઈ કરી શકે. મહેમાન અને વ્યાપારી બનીને આવેલા એ વિદેશીઓએ હજી પોતાનો અસલી રંગ દેખાડવાની શરૂઆત જ કરી હતી. છતાં, તેમણે એક સર્વે અને સંશોધન શરૂ કર્યું. જેનો રિપોર્ટ અંગ્રેજ સરકારને જમા કરાવવામાં આવ્યો. તે રિપોર્ટમાં ચોખ્ખે-ચોખ્ખું એવું લખવામાં આવ્યું હતું કે, મસ્જિદની આસપાસ મંદિરની વાસ્તુકલાના પુરાવાઓ મળ્યા છે. અને આ મસ્જિદ મૂળ મંદિર હોવાની પૂરેપૂરી શક્યતા છે. (કોઈ બુદ્ધિજીવી ઈન્ટલેકચૂલે સત્યતા તપાસવી હોય તો, ઇંગ્લેન્ડની “હિસ્ટરી ઓફ બ્રિટિશ ઇન્ડિયા” આરકાઈવમાં આજે પણ આ રિપોર્ટ મોજૂદ છે.) પણ છતાં, દેશના મુસ્લિમ સાશકોને અને અંગ્રેજોને ક્યાં કોઈ ફર્ક પડતો હતો. ૧૮૨૭ની એ સાલ કે જ્યારે અવધના નવાબ નસીરૂદ્દીન હૈદરશાહ દ્વારા ફરી એકવાર મસ્જિદ પર હકદાવો કરવામાં આવ્યો અને તેણે બળજબરીએ તે મસ્જિદ કે જે મૂળ મંદિર હતું તેનો અધિકાર પોતાની પાસે લઇ લીધો. પણ હિંદૂઓની શ્રદ્ધા, આસ્થા, ભક્તિ અને વિદ્રોહ હજીય થમવાનું નામ નહોતું લઇ રહ્યા. કારણ કે તમારો મૂળભૂત અધિકાર કોઈ જુલ્મી છીનવી લે તો પણ અહિંસક બની ભલમનસાઈ દેખાડવી અને કોઈ એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ સામો ધરવા જેવી બુઠ્ઠી, સ્વનો વિનાશ નોતરનારી અને ગળચટ્ટી લોલીપોપ હજી ભારતીયોના મોઢામાં મૂકાઈ નહોતી. નસીરૂદ્દીન હૈદરશાહે જમાવી લીધેલા એ ગેરકાનૂની અધિકાર સામે રામજન્મભૂમિની સ્વતંત્રતા માટે અયોધ્યાના સ્થાનીય લોકોએ ફરી એકવાર ભેગામળી એક સેના બનાવી. અને અયોધ્યા (અવધ)ની સેના પર ત્રણવાર આક્રમણ કર્યું. જેમાં બે વાર તેમણે હારનો સામનો કરવો પડ્યો. હજારો સ્થાનિક લોકોએ તેમાં જીવ ગુમાવ્યો. પણ તે સશક્ત હિંદૂઓએ તેમ છતાં હાર નહિ માની અને ત્રીજીવારના હુમલા બાદ તેમણે અવધના નવાબની તે સેનાને મારી ભગાડી. આખરે વર્ષોની મહેનત રંગ લાવી અને વર્ષો બાદ ફરી એકવાર શ્રી રામ જન્મભૂમિ પર સ્થિત રામ મંદિર (અનઅધિકૃત મસ્જિદ) પર હિંદઓએ આધિપત્ય મેળવ્યું.

.

અવધના નવાબની સેના એટલે કે નવાબની હાર થઇ હતી અને હિંદૂઓ પોતાના રાષ્ટ્રમાં પોતાના ધાર્મિક સ્થળ માટેની લડાઈ ફરી એકવાર જીતી ચૂક્યા હતા. પણ, જુલ્મી, પાશવી અને અત્યાચારી મુગલીયા સાશકો તેના દૈત્યરૂપી કૃત્યોથી ક્યાં બહાર આવવાના હતા. જે સાશકો રાષ્ટ્રના મૂળ હિંદૂ પુરુષોની વૃષણ કોથળીઓ તોડી નાખી તેમને કિન્નર બનાવી દેવા સુધીનો જુલ્મ કરી શકતા હોય તે બીજું શું-શું ન કરી શકે. દિલ્હીના સુલ્તાન અકબરશાહ અને અવધના નવાબ નસીરૂદ્દીન હૈદર શાહે હિંદૂ રાષ્ટ્રમાં, હિંદૂઓના હકના મંદિર માટે થયેલા યુદ્ધની હાર સામે સહિયારી સેના બનાવવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય ભારતના આ મંદિર ઇતિહાસમાં ફરી એકવાર રક્તરંજિત ઇતિહાસ સાબિત થવાનો હતો.

.

દિલ્હીના સુલ્તાન અકબરશાહ અને અવધ નવાબ નસીરૂદ્દીન હૈદર શાહની સમ્મલિત સેનાએ અયોધ્યા રામ જન્મભૂમિ પર હિંદુઓના નરસંહારનો પ્રારંભ કરી દીધો. જે સામે દેખાય તેને ક્રુરતાથી આ સેના મારવા માંડી. બાળક, સ્ત્રી, પુરુષ તેમને મન કોઈ ભેદ નહોતો. દરેક વ્યક્તિને મારી નાખવી એ જ જાણે લક્ષ્ય હોય તે રીતે તેમણે સામૂહિક નરસંહાર ચલાવ્યો. સ્થાનીય હિંદૂઓએ ફરી એકવાર લડવા માટે તેમની સેના બનાવી પણ આટલી વિશાળ સેના સામે તેઓ ક્યાં સુધી ટકી શકે. છેલ્લા શ્વાસ સુધી લડતા રહી તે સ્થાનિક હિંદૂઓની લાશો પર ચઢી ફરી એકવાર તે મુગલોએ જન્મભૂમિ મંદિરનો કબ્જો લઇ લીધો.

.

ત્યારબાદ દિલાસા તરીકે ફરી એકવાર હિંદૂઓને પ્રમાણ મળ્યા. સાલ હતી ૧૮૩૮ની. અંગ્રેજ પુરાતત્વવિદ મોંટેગો મેરી માર્ટિનના વડપણ હેઠળ એક સંશોધન ચલાવવામાં આવ્યું. સંશોધનનો પૂર્ણ રિપોર્ટ સબમિટ કરાવતા મોંટેગો મેરી માર્ટિન તેમાં લખે છે કે, “જે સ્તંભો પર બાબરી મસ્જિદ ઉભી કરવામાં આવી છે તે દરેકે-દરેક સ્તંભ વાસ્તવમાં એક મંદિરના સ્તંભ જ છે!” (આ રિપોર્ટ પણ ઇંગ્લેન્ડની લાયબ્રેરીમાં “હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા”ની આરકાઈવમાં સચવાઈને પડ્યા છે. સો સેક્યુલર્સ, ઈન્ટલેકચૂઅલ્સ પ્લીઝ ગો અહેડ એન્ડ ચેક!) તેમના આ રિપોર્ટ પર દેશના મુસ્લિમોએ ખુબ મોટો વિરોધ કર્યો. ધમાલો કરવા માંડી.

.

૧૮૩૮ના રિપોર્ટની સાબિતી પર આજની વાતને અહીં વિરામ આપીએ. આગળની વાતો આવતીકાલે… *( છેલ્લા બે એપિસોડ બચ્યા છે. સોમવારે રામચંદ્રજી તેમના ધામની રાજગાદી પર ફરી બિરાજશે તે પહેલા રવિવારની સાંજ સુધીમાં આ સિરીઝ પૂર્ણ થઇ ચૂકી હશે અને રામ મંદિરનો પૂર્ણ સત્ય ઇતિહાસ આપણી સામે ઉજાગર થઇ ચૂક્યો હશે.)*

.

( આશુતોષ ગીતા દેસાઈ )

ભવ્યાતિભવ્ય રામ મંદિરનો સાચો ઇતિહાસ (ભાગ-૩)-આશુતોષ ગીતા દેસાઈ

.

સામી છાતીએ વીરગતિને વ્હાલી કરનારા એ સ્થાનિક વીરો, જેમને નહોતી ખબર કે, ભવિષ્યમાં પોતાની ભવ્ય સંસ્કૃતિ ભૂલાવી દેનારા નમાલા થઇ ગયેલા અને અહિંસાનો પાઠ ભણનારા હિંદૂઓ, તેમને ભૂલાવી દેવાના છે. શ્રીહરિના અવતાર એવા મહાપરાક્રમી રાજવી પ્રભુ શ્રીરામ પ્રત્યેની અમારી શ્રદ્ધા અને આસ્થાને હૃદયમાં રાખી અમે જે યુદ્ધ લડ્યા છીએ તે અમારું બલિદાન પણ ભૂલાવી દેવાના છે. પણ ના, કમ સે કમ આપણે તો તેમને નહિ ભૂલાવીએ… સનાતન ધર્મનો સાચો ઇતિહાસ જાણવાની જિજ્ઞાસા રાખી વાંચશું, જાણશું, પ્રશ્નો ઉઠાવશું અને ખોટા આક્ષેપો કરનારાને નિઃશંક ડારશું પણ ખરા જ… તો ચાલો બે એપિસોડ્સમાં થોડી વિગતો જાણ્યા બાદ હવે ત્રીજા એપિસોડ તરફ આગળ વધીએ…

સ્થાનિકોની લાશો જોઈ પોરસાતા બાબરના સેનાપતિ મીર બાકી સામે યુદ્ધ લડવા માટે હવે મહારાજ બદ્રીનાથ અયોધ્યા પહોંચી ચૂક્યા હતા. વાત આખાય કૌશલ પ્રદેશમાં ફેલાઈ ચૂકી હતી. આથી બદ્રીનાથજીની સેના સાથે તે યુદ્ધમાં ઉતરવા માટે અયોધ્યાની આસ-પાસના બીજા અનેક સામાન્ય લોકો પણ જોડાયા. પરંતુ, પાશવી મુસ્લિમ સાશકની તે વિશાળ સેના સામે બદ્રીનાથજીની સેનાનું સંખ્યાબળ ઓછું હતું આથી વીરતાપૂર્વક લડવા છતાં તે યુદ્ધમાં તેમની હાર થઇ.

.

અયોધ્યાની આસ-પાસના વિસ્તારના સામાન્ય લોકો પણ બદ્રીનાથજી મહારાજ સાથે યુદ્ધમાં જોડાયા છે તે વાત આગની જેમ આજૂ-બાજૂ ફેલાવા માંડી. એક ક્ષત્રિયનું લોહી ઉકળી નહિ ઉઠે તો બીજૂ શું થાય? ૧૫ જ દિવસ બાદ હંસવરના મહારાજા રણવિજય સિંહ મંદિરની રક્ષા કરવા માટે અગ્રેસર થયા. મહાન વીર એવા હંસવરના એ રાજવીને ખબર હતી કે દુશ્મનની વિશાળ સેના સામે તેમની નાની સેના ઝીંક નહિ ઝીલી શકે. છતાં પોતાના ૧૦૦૦ સૈનિકોની સેના લઈ રણવિજય સિંહ રામ મંદિરના તે પ્રાંગણ નજીક આવી ચઢ્યા. મીર બાકીને લલકારતા તેમણે કેસરિયા કર્યા અને હિંદૂઓના દુર્ભાગ્યે તેઓ પણ વીરગતિ પામ્યા.

.

આ આખાય લોહિયાળ ઇતિહાસની કથા વિષે કહેવાતા ઈન્ટલેકચૂઅલ્સમાંના કોઈપણ નબીરા કે નબીરીને શક હોય તો, લખનૌ ગેઝેટિયરમાં લખાયેલો ઇતિહાસ ચકાસી શકે છે. જેમાં લખ્યું છે કે, તે સમયે અંદાજે ૧,૭૪,૦૦૦ જેટલા હિંદૂઓ મંદિરની રક્ષા કરતા-કરતા શહિદ થઇ ગયા હતા. પોણા બે લાખ બાહોશ શ્રદ્ધાળુઓનો જીવ લીધા બાદ મીર બાકી આખરે પ્રભુ શ્રી રામનું એ મંદિર તોડી પાડવામાં સફળ થયો. એ મંદિર જે સ્વયં શ્રી રામચંદ્રજીના પુત્ર કુશે બંધાવ્યું હતું, એ જ મંદિર જે મહારાજ પુષ્યમિત્ર શુંગ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, એ જ મંદિર જેનો પુનઃ જીર્ણોદ્ધાર મહારાજા વિક્રમાદિત્યએ કરાવ્યો હતો.

.

હિંદૂ રાષ્ટ્રમાં હિંદૂઓની શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ એવું મંદિર, જે માત્ર કોઈ ભગવાનનું મંદિર નહોતું. પરંતુ, ભવ્ય ભારતના ભવ્યાતિ ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિનું જીવંત સ્વરૂપ હતું. તે હવે તૂટી ચૂક્યું હતું. પાશવી નરાધમો આ કૃત્ય દ્વારા એક અમાનુષી આનંદ લઇ રહ્યા હતા. મંદિર તૂટ્યું અને બાબરના સેનાપતિ મીર બાકીએ ત્યાં પહેલીવાર એક મસ્જિદનો ઢાંચો બનાવડાવ્યો. કુદરતની બલિહારી જૂઓ કે, હિંદુઓનું જે મંદિર તોડી મીર બાકીએ મસ્જિદ બનાવડાવી તેનું નામ શું રાખ્યું? મંદિરના કાટમાળ પર મંદિરના જ સ્તંભો દ્વારા બનેલી તે મસ્જિદને નામ આપવામાં આવ્યું, “મસ્જિદ-એ-જન્મસ્થાન” અર્થાત, જન્મસ્થાનની મસ્જિદ. એટલું જ નહિ, આ મસ્જિદ બનાવી ત્યાં તેણે કોતરણી કરાવી તકતી પર એક સંદેશ લખાવ્યો. “મહાન બાબરના આદેશ પર દયાળુ મીર બાકીએ ફરીશ્તોની આ જગ્યાને મુક્કમલ સ્વરૂપ આપ્યું છે!” કોઈને સમજાય છે, આ સંદેશ વાક્યમાં “ફરિશ્તા” કોને કહેવાયું હશે? જી હા, પ્રભુ શ્રી રામચંદ્રજી માટે શબ્દ વપરાયો હતો “ફરિશ્તા!” અર્થાત તેમણે મંદિર તો તોડી પાડ્યું, ત્યાં મસ્જિદ પણ બનાવી લીધી. પરંતુ, ક્યાંક એ દૈત્યોનો પણ આત્મા ડંખ્યો હશે કે જે તેમને ફરિશ્તાનો ઉલ્લેખ કરવા પર મજબૂર કરી રહ્યો હતો. આ રીતે જે નરાધમે આ મંદિર તોડ્યું તેનું પોતાનું પણ માનવું હતું કે, તેણે જે સ્થાને મસ્જિદ બનાવડાવી છે તે પ્રભુ શ્રી રામનું જન્મસ્થાન હતું. ત્યારબાદ પાછળથી આ જ મસ્જિદને બાબરી મસ્જિદ તરીકે ઓળખવામાં આવી.

.

પરંતુ, તે સમયના બાહોશ હિંદૂઓનું લોહી હજી આપણા જેટલું ઠંડુ નહોતું પડી ગયું. ના તેમને ‘અહિંસા પરમો ધર્મ’ની જુઠ્ઠી અને સ્વનો વિનાશ નોતરનારી જડીબુટ્ટી પીવડાવવામાં આવી હતી. તેથી જ મંદિર તૂટી ગયું હોવા છતાં તે માટેનો સંઘર્ષ હજીય ચાલૂ રહેવાનો હતો. મીર બાકી સાથે યુદ્ધમાં વીરગતિ પામેલા મહારાજા રણવિજય સિંહની વિધવા રાણી જયરાજ કુમારી હંસવર હવે મેદાને પડવાની હતી. વિચાર કરો આ એ જ દેશ છે જ્યાં આજે પણ હજી સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રીને થતા અન્યાય માટેની વાતો ચાલે છે. એ જ દેશની એક વીરાંગના રાણી જયરાજ કુમારી હંસવરે શ્રી રામ મંદિરને દુશ્મનોથી મુક્ત કરાવવા માટે ૩૦૦૦ વીરાંગનાઓની એક સેના બનાવી. એટલું જ નહિ કોઈ તાલીમબદ્ધ સશસ્ત્ર સૈનિકોની સેનાને પણ શરમાવે તે રીતે તેમણે કેટલાય દિવસો સુધી વીરાંગનાઓની તે ટૂકડી સાથે મળી દુશ્મનો સામે છાપામાર યુદ્ધ ખેલ્યું. કોઈ ધારણા મૂકી શકો તેઓ દુશ્મનો સામે આ યુદ્ધ ક્યાં સુધી લડ્યા હશે? પણ એનો જવાબ મેળવવા પહેલા એ જાણી લઈએ કે છાપામાર યુદ્ધ એટલે શું?

.

છાપામાર યુદ્ધ શૈલી એ ગુપ્ત યુદ્ધકળાનો પ્રકાર છે. જેમાં, દુશ્મન સાથે યુદ્ધ મેદાનમાં સામ-સામે યુદ્ધ લડવામાં નથી આવતું. મુખ્યત્વે આ શૈલી ત્યારે અપનાવવામાં આવે છે જયારે દુશ્મનની સેના પોતાની સેના કરતા વધુ વિશાળ અને શક્તિશાળી હોય. શત્રુને અચાનક હુમલા દ્વારા અચંબિત કરી નાખનારી, છૂપાઈને હુમલો કરવાની આ યુદ્ધકળા છે. રાણી જયરાજ કુમારી હંસવરની ૩૦૦૦ વીરાંગનાઓની તે સેના આ યુદ્ધ બાબરના મૃત્યુ પછી હુમાયુના સાશનકાળ સુધી લડતી રહી હતી.

.

દેશની એક વિધવા ક્ષત્રિયાણી જ્યારે ૩૦૦૦ સ્ત્રીઓ સાથે હાર્યા અને થાક્યા વિના આટલા લાંબા સમય સુધી યુદ્ધ કરી શકે તો ઈશ્વર વંદનામાં જીવન વિતાવતા સંતો કેમ નહિ! તે સમયમાં સ્વામી મહેશ્વરાનંદ નામના એક સન્યાસીએ બીજા અનેક સન્યાસીઓને ભેગા કર્યા અને રાણી જયરાજ કુમારીની સેનાને મદદ કરવા માટે તેમની સાથે મળી યુદ્ધમાં જોડાયા. “યુદ્ધ” જે આજ સુધી ક્ષત્રિય પુરુષોનો વીરતાધર્મ ગણાતું હતું તે હવે સ્ત્રીઓ અને ભારત દેશના સન્યાસીઓ લડી રહ્યા હતા. શા માટે? કારણ કે પાશવી શત્રુએ ઈશ્વર વંદનાનું સ્થળ તોડી પાડવાની હિંમત કરી હતી.

.

થાક્યા અને હાર્યા વિના કેટલાંય લાંબા સમય સુધી ચાલતા રહેલા આ યુદ્ધનું આખરે પરિણામ એ આવ્યું કે, રાણી જયરાજ કુમારી હંસવરે, મહેશ્વરાનંદ સ્વામી સાથે મળી રામ મંદિર મુગલોના ચુંગલમાંથી મુક્ત પણ કરાવી લીધું. અર્થાત મંદિર હવે ફરી એકવાર હિંદૂ ભક્તોનું પ્રાર્થના સ્થાન બની ચૂક્યું હતું. પરંતુ, એક સ્ત્રી અને એક સન્યાસી આ રીતે જીતી જાય એ વાત કોઈ નરાધમ સાશક કઈ રીતે ચલાવી લઇ શકે? હુમાયુએ તેને પોતાની પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી લીધો અને તે મંદિર કે જે તેને માટે તો એક મસ્જિદ હતી તે પાછી મેળવવા માટે તેણે પોતાની પૂર્ણ સૈન્યશક્તિ કામે લગાડી દીધી. વિશાળ પાશવી મુગલ સેના સામે ફરી એકવાર હિંદૂઓની નાના સૈન્યબળવાળી સેના હારી ગઈ અને ફરી એકવાર મંદિરનો જે હવે મસ્જિદ બની ચૂકી હતી, તેનો હવાલો કે કબ્જો મુગલો પાસે ચાલી ગયો.

.

રામ જન્મભૂમિ સ્થળ અને મંદિર આ રીતે ફરી એકવાર અનિધિકૃત અને અન્યાયી પગલાંઓ દ્વારા જુલ્મી વિધર્મીઓ પાસે જાતે રહ્યું તેના અફસોસ સાથે આજની વાતને અહીં વિરામ આપીએ, આગળની વાત આવતીકાલે.

.

*નિવેદન -*

આ આખીય શૃંખલા વાંચતી વેળા મનોમન એ હિસાબ રાખતા રહેજો ખરાં કે આપણી સંસ્કૃતિ અને શ્રદ્ધાના સંવર્ધન હેતુ આ એક મંદિર માટે કૂલ કેટલા યુદ્ધો લડાયા હતા અને તેમાં કેટલાં હિંદૂઓએ પોતાનો જીવ આપી દઈ બલિદાન વ્હાલું કર્યું હતું. કારણ કે, લોકો તમને એવું કહેનારા મળશે કે, હિંસા અને વેરનો ભૂતકાળ યાદ રાખવા કે યાદ કરવાથી તમે પણ તેવા જ બની જાવ છો. તેમને ભવિષ્યમાં તમારે કહેવું પડશે કે, જે પ્રજા પોતાનો ભૂતકાળ ભૂલાવી દે છે તે કાળક્રમે નામશેષ થઇ જાય છે.

વિશ્વના કોઈપણ મહાન દેશ કે મહાન સંસ્કૃતિ વિષે જેમણે થોડોઘણો પણ અભ્યાસ કર્યો હશે તેમને ખબર હશે કે, તે જ દેશ અને પ્રજા પોતાનું સ્થાન જાળવી રાખી શકી છે જે પોતાનો ઇતિહાસ નથી ભૂલી. બાકીના અનેક એવા રાજ્યો, દેશ, ધર્મ અને પ્રજા સમયની ગતિમાં વિલીન થઇ આજે ભૂલાઈ ચૂક્યા છે. તેમનું અસ્તિત્વ નામશેષ થઇ ચૂક્યું છે.

.

*વધુ આવતીકાલે…*

.

( આશુતોષ ગીતા દેસાઈ )

 

ભવ્યાતિભવ્ય રામ મંદિરનો સાચો ઇતિહાસ (ભાગ-૨)-આશુતોષ ગીતા દેસાઈ

.

સૂર્યવંશી રાજા રામચંદ્રના જ્યેષ્ઠ પુત્ર કુશ દ્વારા નિર્મિત ભવ્ય રામમંદિરના પહેલા જીર્ણોદ્ધાર સુધીની કહાણી આપણે ગઈકાલના એપિસોડમાં જાણી. હવે આગળ…

.

મહાકવિ કાલિદાસે સનાતન હિંદૂ ધર્મમાં એક અજય અને અમર કહી શકાય એવા ગ્રંથનું સર્જન કર્યું હતું, રઘુવંશમ. જેમાં તેમણે રઘુકૂળ વિશેનું વિસ્તૃત અને અત્યંત રસપ્રદ વર્ણન કર્યું છે. કાલિદાસજીના આ ગ્રંથમાં પણ આપણને અયોધ્યામાં શ્રી રામ મંદિર હોવાનો ઉલ્લેખ મળે છે.

.

તો અહીંથી આગળ વધતા ઈસાપૂર્વ ૧૦૦ વર્ષ, જયારે સૂર્યવંશી મહાપ્રતાપી એવા રામચંદ્રજીનો રાજવંશ અયોઘ્યાનું પ્રભુત્વ ગુમાવી ચૂક્યો હતો. તે સમયમાં એવો ઉલ્લેખ મળે છે કે શ્રી રામ મંદિર ખૂબ જર્જરિત અવસ્થામાં આવી પડ્યું હતું. પરંતુ, તે જ સમય દરમિયાન ઉજ્જૈનના રાજવી વિક્રમાદિત્યનું અયોધ્યા પહોંચવાનું થાય છે. વિક્રમાદિત્ય પોતાની સેના સહીત પ્રવાસમાં હોય તેમણે વિશ્રામના આશયથી અયોધ્યામાં થોડો આરામ કરવા વિચાર્યું. ક્યારેક અત્યંત ભવ્યતા ભોગવી ચૂકેલા તે મંદિરની નજીક વિક્રમાદિત્ય પોતાની સેના સાથે આરામ કરી રહ્યા હતા ત્યારે તેમને મંદિરની આસ-પાસના વાતાવરણમાં અત્યંત દિવ્યતાનો અનુભવ થયો. મંદિરની આસ-પાસના વિસ્તારમાં આવી દિવ્યતાનો અનુભવ શા કારણથી? રાજવીને જિજ્ઞાસા જાગી કે આ જગ્યામાં એવું તે શું છે કે જેને કારણે આ ભૂમિ અને તેની આસ-પાસનું વાતાવરણ આટલું નિર્મળ અને દિવ્ય જણાય છે? તેમણે આસ-પાસના બ્રાહ્મણો પાસે તે સ્થાન વિષે જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એમને ખબર પડી કે તેમણે જ્યાં આશ્રય લીધો છે એ સ્થાન, કોઈ ઓર નહિ પણ સ્વયં ભગવાન શ્રીરામના મંદિરનું પ્રાંગણ છે. અને ક્યારેક ભવ્ય મંદિર હતું જે આજે જર્જરિત અવસ્થામાં પહોંચી ચૂક્યું છે. પ્રભુ શ્રી રામમાં અત્યંત ઘનિષ્ઠ આસ્થા ધરાવતા રાજવી વિક્રમાદિત્યએ ત્યારપછી તે મંદિરનો ફરીવાર જીર્ણોદ્ધાર કરાવ્યો.

.

આ રીતે કુશ નિર્મિત તે મંદિરનો બીજીવાર જીર્ણોદ્ધાર થયો. (આ આખીય ઘટનાનું વર્ણન અને ઉલ્લેખ વિક્રમાદિત્યના સમયમાં મળી આવેલા શિલાલેખોમાં છે. કોઈને આ બાબતે શંકા હોય તો ભારતના આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટની આર્કાઇવમાં ચકાસી શકે છે.) રાજવી વિક્રમાદિત્યએ જીર્ણોદ્ધાર દ્વારા ફરી એકવાર કાળા પથ્થરોથી એક ભવ્ય મંદિરની સ્થાપના કરી જે ૮૪ વિશાળ સ્તંભો પર ઉભું કરવામાં આવ્યું. એ કહેવાની જરૂર નથી કે ત્રેતાયુગમાં સ્થપાયેલા એ મંદિરને બે યુગ જેટલો સમય વીતી ચૂક્યો હતો. અર્થાત, ત્રેતાયુગ બાદ દ્વાપર યુગ પૂર્ણ થઇ ચૂક્યો હતો અને કળિયુગની સ્થાપના થઇ ચૂકી હતી. આ યાદ કરાવવાનું કારણ એટલું જ કે શ્રી રામના મંદિરને આ સમય સુધીમાં કેટલા વર્ષો થયા હશે તેનો અંદાજ તમે લગાવી શકો છો.

.

૬૩૦મી સદીમાં બૌદ્ધ ધર્મનો અનુયાયી એવો એક ચીની યાત્રી હેનત્યસાંગ ભારત આવે છે. પોતે જે ધર્મને અનુસરે છે તેના ગુરૂના જન્મસ્થાન અને જ્ઞાન પ્રાપ્તિ સ્થાનની મુલાકાત દરમિયાન તેણે જોયેલી બાબતો વિષે પોતાના પ્રવાસ વર્ણનમાં તે લખે છે, અયોધ્યા આસ-પાસ લગભગ ૨૦ જેટલા બૌદ્ધ મંદિરો છે. જેમાં ૩૦૦૦ કરતા પણ વધુ બૌદ્ધ ભિક્ષુકો રહે છે. તેમના પ્રવાસ વર્ણનના લેખમાં જ તેઓ આગળ લખે છે. અહીં એક વિશાળ અને ભવ્ય મંદિર છે. જ્યાં હજારોની સંખ્યામાં હિંદૂ ભક્તો દર્શન માટે આવે છે. હેનત્યસાંગ દ્વારા વર્ણિત એ મંદિર બીજૂ કોઈ નહિ પરંતુ, અયોધ્યા સ્થિત વિક્રમાદિત્ય દ્વારા જીર્ણોદ્ધાર કરાયેલું રામમંદિર જ હતું.

.

૧૨મી શતાબ્દી, ભારતના એક મહાદ્રોહી જયચંદને પાપે મહોમ્મદ ઘોરીએ ભવ્ય ભારત વર્ષ પર આક્રમણ કર્યું અને તે સમયે મહોમ્મ્દ ઘોરીનો ચમચો એવો જયચંદ કન્નોજથી અયોધ્યા આવ્યો. તેણે આ મંદિર પર લગાડેલા પ્રશસ્તિપત્ર અને શિલાલેખો પરથી વિક્રમાદિત્યનું નામ હટાવી પોતાના નામની તકતીઓ અને પ્રશસ્તિપત્રો લગાવડાવી દીધા.

.

મંદિરના સ્થાપત્ય અને મંદિર સાથે સંકળાયેલા ઇતિહાસમાં આ રીતે પહેલીવાર છેડખાની અહીંથી શરૂ થઇ. અને કરી કોણે? ભારતવર્ષમાં ઇસ્લામિક આતંકીઓના પગપેસારા માટે જવાબદાર એવા મહોમ્મ્દ ઘોરીના ચમચા જયચંદે. મહોમ્મ્દ ઘોરીના એ આક્રમણ પછી ભારત સતત ૨૦૦ વર્ષ સુધી મુસ્લિમ આક્રમણકારીઓના આક્રમણ સહેતુ રહ્યું. લૂંટફાટ અને બળજબરીએ ધર્મપરિવર્તન તો તેમના અત્યાચાર અને પાશવી કૃત્યોની લાંબી યાદીમાં આવતા માત્ર બે નાના પડાવો છે. તે સિવાય સ્ત્રીઓ સાથે બળજબરી, બળાત્કાર, સ્ત્રીઓનું વેચાણ, ગુલામ બનાવવી, બાળકોને અનાથ કરવા, તેમની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કાર્ય આચરવું, પુરુષોને હીજડા બનાવી દેવા, તેમના જનાનખાનામાં સેવક તરીકે રાખવાથી લઈને તે ઇસ્લામિક સાશકો કે જે મૂળ તો લૂંટારુઓ અને અત્યાચારી હતા. તેમના મળમૂત્ર સાફ કરવા સુધીના જુલ્મો ભારતની પ્રજા પર આચરવા જેવા અનેક ધૃણાસ્પદ જુલ્મો એક સનાતન ધર્મી રાષ્ટ્રએ સહન કરવા પડ્યા.

.

આટલા જુલ્મો અને અત્યાચાર છતાં, ૧૪મી સદી સુધી મહારાજા વિક્રમાદિત્ય દ્વારા જીર્ણોદ્ધાર કરાવવામાં આવેલું તે મંદિર જેમનું તેમ તેના ભવ્ય ઇતિહાસ સાથે ઉભું હતું. ૧૪મી શતાબ્દીમાં ઇબ્રાહિમ લોધીના સાશનકાળ સુધી આ મંદિર અયોધ્યામાં સ્થાપિત હોવાના અનેક પ્રમાણો મળે છે. ત્યારબાદ આવી ૧૫૨૬નું એ વર્ષ જ્યારે પાણીપતનું યુદ્ધ લડાયું. ઇબ્રાહિમ લોધીનું મૃત્યુ થયું અને બર્બર ઓહ સોરી બાબર દ્વારા મુગલ સામ્રાજ્યનો પાયો નાખવામાં આવ્યો. આપણે ભણતા હતા ત્યારે જે અકબરનો ઇતિહાસ આપણને “મહાન અકબર” તરીકે ભણાવવામાં આવ્યો હતો તે જ હીપોક્રેટ અકબરનો પૂર્વજ એવા બાબરનો સાશનકાળ આવ્યો. અને શરૂ થયું અત્યાચારનો એ દૌર જે અત્યારસુધીના જુલ્મો અને અત્યાચારથી સાવ અલગ હતો. એક એવો દૌર જે અત્યંત ધૃણાસ્પદ, નિમ્નકક્ષાનો અને પાશવી હતો. અત્યારસુધીના બાહરી આક્રમણકારો, હિંદૂ રાજવીઓ, ઘરો અને સાથે અત્યંત પવિત્ર અને આસ્થાનું સ્થાન એવા મંદિરોને લૂંટતા હતા. અને એ બધી લૂંટેલી મિલકત પોતાના મુલ્કમાં લઇ જતા હતા. પરંતુ, બાબરના સાશનકાળની શરૂઆતના સમયની આસ-પાસ હવે શરૂ થયો તોડફોડ, આતંક અને જોર જબરદસ્તીનો એક એવો દૌર કે જેને કારણે આ દેશની પ્રજા વર્ષો સુધી ભયભીત રહેવાની હતી. દબાયેલી, કચડાયેલી માનસિકતાનો શિકાર થઇ જવાની હતી. સંસ્કૃતિનું નખ્ખોદ કાઢી નાખવાની આ પૂર્વતૈયારી રૂપે ભારતના અનેક મંદિરો તોડી નાખવાનો પાશવી દૌર શરૂ થયો.

.

બર્બર સાશક બાબરે અયોધ્યાનું મહિનાઓ પુરાણુ નહિ, વર્ષો પુરાણુ પણ નહિ, પરંતુ યુગો પુરાણુ પ્રભુ શ્રી રામનું મંદિર તોડી પાડવાનું રીતસર એક અભિયાન ચલાવ્યું. ૧૫૨૭નું એ કાળમુખુ વર્ષ કે જ્યારે હરામખોર, પરદેશી લૂંટારા બાબરે અયોધ્યાનું રામમંદિર તોડી પાડવાનું ફરમાન બહાર પાડ્યું. અને અહીંથી શરૂ થયો મંદિર બચાવી લેવાના ભગ્ન પ્રયત્ન રૂપે એક એવા વણથંભ્યા યુદ્ધનો જેનો ક્યારે અંત આવશે તેની કદાચ ઇતિહાસના એ પાનાઓને પણ નહોતી ખબર.

.

૧૫૨૭ની સાલમાં બાબરે ફરમાન બહાર પાડ્યું અને ૧૫૨૮ની સાલમાં બાબરનો સેનાપતિ મીર બાકી તેને તોડી પાડવા માટે અયોધ્યા પહોંચ્યો. તે સમયે મંદિરના મુખ્ય મહંત તરીકે હતા, શ્યામાનંદજી! શ્યામાનંદજી કોઈપણ ભોગે આ મંદિર તૂટે એ સાંખી લેવા તૈયાર નહોતા. આથી તેમણે ભીટીના રાજા માહતાબસિંહ બદ્રીનાથને મદદે આવવા તેડૂં મોકલાવ્યું. તે સમયે બુલેટ ટ્રેન કે સોનિક સ્પીડ કાર્સ કે બાઈક્સ તો હજી હતા નહિ. આથી મહારાજ બદ્રીનાથને મદદ માટે આવતા સમય લાગવાનો છે તે અયોધ્યાવાસીઓને ખબર હતી. એવા સમયે અયોધ્યાથી લગભગ ૧૦ કિલોમીટર દૂર આવેલા સનેથૂ ગામમાં રહેતા પંડિત દેવીનંદન પાંડેએ તમામ સ્થાનિક લોકોને ભેગા કર્યા. બધાને હાકલ નાખી પ્રભુ શ્રીરામના મંદિરને બચાવી લેવા માટેની. બધાય સ્થાનિક લોકો એકત્ર થયા અને તેમણે મીર બાકીની સેના સામે બાથ ભીડવાની બહાદૂરી કરી લેવાનું નક્કી કર્યું. બર્બર મુગલીયો બાબર અને તેના સેનાપતિની વિશાળ સેના સામે બિચારા સ્થાનિક બ્રાહ્મણો અને બીજા સામાન્ય લોકો ક્યાં સુધી અને કેટલું લડી શકે! તે યુદ્ધમાં સામેલ એકે-એક સ્થાનિક વીર સ્ત્રી-પુરુષો મૃત્યુને ભેટ્યા, વીરગતિ પ્રાપ્ત કરી!

.

અને અહીંથી શરૂઆત થઇ અયોધ્યામાં સ્થિત સ્વયં રામપુત્ર દ્વારા મૂળ નિર્મિત એવા રામ મંદિર માટેના પહેલા યુદ્ધની. હિંદૂઓના રાષ્ટ્રમાં હિંદૂઓના મંદિરના અસ્તિત્વ માટે કરવા પડેલા અનેક યુદ્ધોમાંનું એક એટલે ૧૫૨૮ની સાલમાં મીર બાકીની સેના સામે શ્રદ્ધાળુ સામાન્ય જનતાનું પોતાના ઇષ્ટદેવના મંદિર માટેનું યુદ્ધ.

.

*રામ મંદિર માટે થયેલા આ પહેલા યુદ્ધની વાત દ્વારા આજના આ લેખને અહીં વિરામ આપીએ. વધુ વાત આવતીકાલે…*

.

( આશુતોષ ગીતા દેસાઈ )

 

ભવ્યાતિભવ્ય રામ મંદિરનો સાચો ઇતિહાસ (ભાગ-૧)-આશુતોષ ગીતા દેસાઈ

.

૨૨મી જાન્યુઆરી, ૨૦૨૪ની આપણે બધા અત્યંત ઉત્સાહ અને ઉમળકા સાથે રાહ જોઈ રહ્યા છીએ. પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરમાં રામચંદ્રજીની મૂરતની પ્રાણપ્રતિષ્ઠા થશે. અયોધ્યા આ રામ મંદિરને કારણે આખાય વિશ્વમાં જાણીતી બનશે એવી કોઈને ભ્રાંતિ હોય તો કહી દેવું જોઈએ કે, અયોધ્યા આજથી નહિ પુરાણોકળથી, યુગોથી જાણીતી હતી જ. બસ વર્ષોથી ઇરાદાપૂર્વક આપણા આ સાંસ્કૃતિક વૈભવને દબાવી દેવાના, બીભત્સ બનાવી દેવાના, મજાક, મશ્કરીનું સાધન બનાવી દેવાના પ્રયત્નો થતા રહ્યા. જેને કારણે થોડી ધૂળ આ ભવ્ય સ્થળના નામ પર ચઢી ગઈ હતી જે હવે ખંખેરાશે. તે જ રીતે આપણા બધાના માનસપટલ પર પણ જે ખોટી જાણકારી, માન્યતાઓ અને માહિતીઓની ધૂળ હમણાં સુધી જામેલી રહી છે તેને હવે આ ટૂંકી શ્રુંખલા દ્વારા દૂર કરવાનો પ્રયત્ન કરીએ.

.

શ્રી હરિના અવતાર રામજીનું જન્મસ્થાન એટલે અયોધ્યા, રાજવી તરીકે જ્યાં તેમણે ઈશ્વરીય વાતાવરણનું સર્જન કર્યું તે અયોધ્યા, ધર્મયુક્ત રાજ કરી રાજધર્મના સટીક અને સાચા દ્રષ્ટાંતો ઉભા કર્યા તે અયોધ્યા. આપણો અપ્રતિમ દૈવત્વપૂર્ણ ઇતિહાસ જ્યાં રચાયો તે અયોધ્યા. આ શૃંખલા શરૂ કરવાનું એક કારણ એ છે કે, ઘણાં બુદ્ધિજીવીઓએ વર્ષોથી એવી દલીલો કરી છે કે, ધર્મમાં એટલું જ માનતા હોવ તો તમારે ત્યાં મંદિર બનાવવાની જ જીદ્દ શું કામ કરવી છે? હોસ્પિટલ કે શાળા બનાવો જેથી હજારો લોકોને તેનો ફાયદો થાય. મંદિર જ બનાવવું હોય તો અહીં જ બનાવવું એવી જીદ્દ શું કામ કરો છો? મંદિર તો બીજે ગમે ત્યાં બની જ શકે છે. કોઈ બીજા ધર્મનું પ્રાર્થના સ્થાન ઇદગાહ જેવા પવિત્ર સ્ટ્રકચરને તોડી પાડી ત્યાં મંદિર બનાવવું એ કેવી પાશવી વૃત્તિ કહેવાય? તમારો ધર્મ તમને શું આ જ શીખવે છે? જો હા તો, આવો ધર્મ શું કામનો જે હિંસા કરી કોઈકની ભાવનાઓને આહત કરી સ્વમંદિર સ્થાપના શીખવે! આવા આક્ષેપો કે દલીલોની યાદી બનાવવા જઈએ તો એક અલાયદી બીજી શૃંખલા બની શકે. પરંતુ, આવા બધા જ આક્ષેપો, દલીલો અને તર્કોને હવે આ શૃંખલા પછી આપણે એટલું જ કહેવાનું કે, આ સો ટચ સોના જેવી સાચી હકીકત (પુરાવાઓ સાથે) વાંચી જજો, જાણી લેજો પછી અમારે નહિ પણ તમારે જ કશુંય કહેવા જેવું નહિ રહે.

.

તો શરૂ કરીએ, અયોધ્યાના રામમંદિરનો સાચો છતાં અજાણ્યો ઇતિહાસ. રામચંદ્રજીના રાજ્યાભિષેકથી લઈને આજના વર્તમાન દિવસ સુધીની એકે એક માહિતી સાથે. રામચંદ્રજીના જીવન અને રામાયણ અંગે પણ અનેકવાર અનેક પ્રકારના પ્રશ્નો ઉઠતા રહ્યા છે. કારણ કે આ બંને બાબતોને તોડી મરોડીને, સુધારા-વધારા-ઉમેરા કરીને બગાડવાના, બદનામ કરવાના અનેકાનેક પ્રયત્નો થયા છે. પરંતુ, મારી દ્રષ્ટિએ સચોટ અને સટીક મૂળ વાલ્મિકી રામાયણ (છેડછાડ થયા વિનાનું ઓરીજીનલ) છે.

.

વાલ્મિકી રામાયણમાં આપણને સ્પષ્ટ અને વિસ્તૃત વર્ણન મળે છે કે, શ્રીરામચંદ્રજીનો જન્મ મહારાજા દશરથના ઘરે અયોધ્યા નગરીમાં થયો હતો. આ અયોધ્યા નગરી એટલે એક સમયે કૌશલ રાજ્યની રાજધાની. જેની સ્થાપના વૈવસ્વત મનુએ સ્વયં કરી હતી. ત્યારબાદ સમય વીતતા તેમના પુત્ર ઈક્ષ્વાકુએ અયોધ્યાને પોતાના રાજ્યની રાજધાની બનાવી. જેના વંશજ રાજવી દશરથે (બ્રહ્માજીથી લઈને રાજા દશરથની આજસુધીની આખીય વંશાવલી કોઈએ જાણવી હોય તો એ પણ આ લખનાર પાસે ઉપલબ્ધ છે.) અયોધ્યા પર ૬૦ હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું. ત્યારબાદ, વનવાસથી પાછા ફરેલા દશરથ પુત્ર અને શ્રીહરિના અવતાર શ્રી રામનો રાજ્યાભિષેક થયો અને રાજવી તરીકે રાજ્યનો કારભાર તેમણે સંભાળ્યો. રામચંદ્રજીના રાજ્યાભિષેક પછી તેમણે ૧૧ હજાર વર્ષો સુધી અયોધ્યા નગરી પર રાજ્ય કર્યું હતું. (જેના લિખિત પુરાવા રામાયણમાં મળે છે અને અનેક આર્કિયોલોજીકલ પુરાવાઓ પણ મળી ચૂક્યા છે.)

.

૧૧ હજાર વર્ષો રાજ કર્યા બાદ જ્યારે રામચંદ્રજીએ પોતાની લીલાઓ સંકેલી લઇ સરયૂ નદીમાં નિર્વાણ લેવાનો નિશ્ચય કર્યો ત્યારે તેમણે પોતાના અધિકારની બધી જમીન એટલે કે રાજ્ય પોતાના સંતાનો કુશ અને લવને અને પોતાના ત્રણ ભાઈ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નના બે-બે પુત્રોને સરખે ભાગે વહેંચી દીધી.

.

મુખ્ય અયોધ્યાનું રાજ્ય રામજીના સૌથી મોટા દીકરા કુશને મળ્યું. બાકીના લવ અને ત્રણ ભાઈઓના સંતાનોના વંશ ત્યારબાદ લાંબો સમય સુધી આગળ નહિ વધ્યા અને તેમના કૂળનો અંત આવતો ગયો. પરંતુ, કુશનો વંશ ખૂબ આગળ વધ્યો. (એટલો કે આજે પણ તેમના વંશજ જીવિત છે. અને તમે નહિ માનો પણ ભારતના એક રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે હમણાં તેઓ રાજ્યનો કારભાર સંભાળી રહ્યા છે.) એટલું જ નહિ કુશે પોતાના સાશનકાળ દરમિયાન પોતાના રાજ્યની સીમા પણ અત્યંત વિશાળ કરી. અયોધ્યાથી શરૂ થયેલા રાજ્યની હદ છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરી. (વિશ્વ આખું જેને હિંદુકુશની ઘાટી અથવા હિંદુકુશની પર્વતમાળા કહે છે તે નામ કોના નામ પરથી પડ્યું એ સમજી શકો છો!)

.

અને અહીંથી શરૂ થાય છે, અયોધ્યાના રામમંદિરનો ભવ્ય ઇતિહાસ. પ્રભુ શ્રીરામચંદ્રજીએ જ્યારે પોતાની લીલાઓ સંકેલી લઇ નિર્વાણ લીધું ત્યારબાદ અયોધ્યાનું વાતાવરણ અને ત્યાંના લોકો પ્રભુની ગેરહાજરીમાં અત્યંત ઉદાસ રહેવા લાગ્યા. આખાય રાજ્યનું વાતાવરણ જાણે બોઝિલ થઇ ગયું. અને તે સમયે સ્વયં શ્રીરામના પુત્ર કુશે અયોધ્યામાં પહેલીવાર રામ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એટલું જ નહિ, આ મંદિર એ જ સ્થળે બંધાયું, જ્યાં આજે ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થયું છે. પ્રભુ શ્રીરામનું જન્મસ્થાન. અર્થાત આજે જે મંદિર બંધાયું છે તેનો પાયો વાસ્તવમાં તો ત્રેતાયુગમાં નંખાયો હતો અને બન્યું હતું એક ભવ્યાતિભવ્ય રામમંદિર. તે પણ કોના પ્રયત્ન, નિર્ણય અને હસ્તકમળોથી? સ્વયં રામપુત્ર કુશના!

.

કુશના રાજ્યકાળ બાદ તેમની ૩૧ પેઢીઓએ કૌશલરાજ્ય પર સાશન કર્યું અને આ દરેક રામવંશના સાશનકાળ દરમિયાન અયોધ્યા જ તેમની રાજધાની રહી હતી. હા એ વાત સાચી કે ૩૧મી પેઢી આવતા સુધીમાં રામવંશ એટલે કે સૂર્યવંશીઓનું પ્રભુત્વ અને પરાક્રમતા તેવી નહોતી રહી જેવી રામચંદ્રજીના રાજ્યકાળ દરમિયાન હતી. છતાં, તેવા સમયમાં પણ કૌશલરાજ્ય એક અત્યંત શક્તિશાળી રાજ્ય તરીકે તો સ્થાપિત હતું જ અને તેની પ્રતિષ્ઠા મહાજનપદ તરીકેની જ રહી હતી. આ સમય સુધી (૩૧ પેઢીઓ સુધી) કુશે બનાવડાવેલું રામ મંદિર એટલી જ ભવ્યતાથી સ્થાપિત હતું.

આ સમયબાદ રામજીની ૩૨મી પેઠીમાં એક એવો રાજવી થયો જેણે સનાતન ધર્મના બીજા મહાકાવ્ય એવા મહાભારતના યુદ્ધમાં પોતાનું કૌશલ દેખાડ્યું હતું અને કૌરવો તરફથી લડ્યા હતા. (આ આખીય કહાણી જાણવી હોય તો મારી અધિકની લેખમાળામાં તમને મળી રહેશે.) મહાભારતના યુદ્ધમાં સૂર્યવંશીઓનું પ્રતિનિધિત્વ કરનારા એ મહાન લડવૈયા અને રામચંદ્રજીના ૩૨માં વંશજ એટલે બૃહદબલ. મહાભારતના યુદ્ધમાં તેઓ ૧૩ દિવસ સુધી પોતાનું પરાક્રમ અને વીરતા દેખાડી લડતા રહ્યા અને ૧૩માં દિવસે અભિમન્યુના હાથે તેઓ વીરગતિ પામ્યા.

.

બૃહદબલ બાદ અયોધ્યાની રાજગાદી પર તેમનો પુત્ર બૃહત્ક્ષણ આરૂઢ થયો. અને રામ મંદિરમાં પ્રભુની પૂજા-અર્ચના તેની પૂર્ણ ભવ્યતા અને શ્રદ્ધપૂર્વક થતી રહી. બૃહદબલ બાદ પણ ૨૨ પેઢીઓ સુધી અયોધ્યા પર સૂર્યવંશીઓનું જ રાજ રહ્યું અને અયોધ્યા હજીય એક રાજધાની તરીકે અને મહાજનપદ તરીકેનો જ મોભ્ભો ભોગવી રહી હતી.

.

બૃહદબલની ૨૩મી પેઢીમાં એટલે કે કુશની ૫૫મી પેઢીમાં એક એવા રાજવી આ રાજ્યની રાજગાદી પર આવ્યા જેમને રાજ્ય કરવામાં નહિ પરંતુ સ્વના સંશોધનમાં વધુ રસ જણાયો. સાધનાને જ પોતાનો જીવન ધ્યેય બનાવી તેઓ સન્યાસના માર્ગે અગ્રેસર થયા. તેમનું નામ હતું સિદ્ધાર્થ. જી હા એ જ સિદ્ધાર્થ જેઓ પછીથી ગૌતમ બુદ્ધ તરીકે વિશ્વ આખામાં જાણીતા થયા અને તેમણે આપેલા ઉપદેશ અને માર્ગદર્શન બૌદ્ધ ધર્મ તરીકે વિશ્વભરમાં ફેલાયો. સિદ્ધાર્થના સન્યાસ લેવાને કારણે રાજગાદી તેમના પુત્ર રાહુલે સંભાળી. એટલે કે અયોધ્યા હવે રાહુલના સાશન હેઠળ હતી. ગૌતમબુદ્ધને કારણે રામચંદ્રજીની ત્યારબાદની કેટલીક પેઢી સુધી બૌદ્ધ ધર્મનો પ્રભાવ રહ્યો. પરંતુ, અયોધ્યાનું તે રામ મંદિર તેના પૂર્ણ પ્રભાવ સાથે સ્થાપિત હતું. અહીં મળી આવેલા બૌદ્ધધર્મના શિલાલેખોમાં પણ શ્રી રામ મંદિરના અસ્તિત્વનો ઉલ્લેખ મળે છે.

.

આ સમયબાદ શરૂ થયો મોર્ય સામ્રાજ્યનો સુવર્ણકાળ. ચંદ્રગુપ્ત મોર્યના સાશનકાળના અનેક શિલાલેખો પુરાત્વવિદોને મળ્યા હોવાની જાણકારી આપણને છે જ. જેમાં ચંદ્રગુપ્ત મોર્ય દ્વિતીયના સાશનકાળના શિલાલેખો વિશેની માહિતી તમે ચકાસશો તો તેમાં જાણવા મળે છે કે, ચંદ્રગુપ્ત મોર્ય દ્વિતીયના સાશનકાળ સુધી અને ત્યારપછી પણ પેઢીઓ સુધી અયોધ્યા જ ગુપ્ત સામ્રાજ્યની રાજધાની હતી અને તે શિલાલેખોમાં પણ અયોધ્યામાં ભવ્ય રામમંદિર હોવાનો ઉલ્લેખ મળે છે. આ કાળ સુધી અયોધ્યાનું કુશ દ્વારા સ્થાપિત રામ મંદિર તેના પૂર્ણ વૈભવ સાથે સ્થાપિત હતું.

.

હવે જે માહિતી અને પુરાવાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે રામમંદિરના બદલાઈ રહેલા વાઘાઓ વિશેની છે. ૧૮૦ ઈસાપૂર્વ વર્ષોમાં અયોધ્યા પુષ્યમિત્ર શુંગના સાશન હેઠળ આવી. તેમના સાશનકાળ દરમિયાનના મળેલા શિલાલેખો દ્વારા જાણવા મળે છે કે, અયોધ્યાના એ ભવ્ય રામમંદિરનો તેમણે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એટલું જ નહિ તે શિલાલેખોમાં એ વિષે પણ સ્પષ્ટ ઉલ્લેખ મળ્યા છે કે તે મંદિરમાં પુષ્યમિત્ર શુંગે બે અશ્વમેધ યજ્ઞો પણ કરાવ્યા હતા.

.

કુશ દ્વારા નિર્મિત તેમના પિતાના આ ભવ્ય મંદિરનો પહેલીવાર જીર્ણોદ્ધાર થયો અને મંદિરને ભવ્યમાંથી નવો અતિભવ્ય આકાર મળ્યો. મૂળ મંદિરના પહેલા જીર્ણોદ્ધાર સુધીની આટલી વાતો બાદ આજના લેખને અહીં અલ્પવિરામ આપીએ. આગળનો ઇતિહાસ આવતીકાલના એપિસોડમાં આગળ વધારીશું.

.

( આશુતોષ ગીતા દેસાઈ )

તારો સમાજ હું, મારો સમાજ તું-મેઘા જોશી

તારો સમાજ હું,મારો સમાજ તું – ઇમરોઝ અમૃતા
.
સત્તાણુ વર્ષે એક પ્રેમીના શરીરની વિદાય થઇ છે અને હવે એ દંતકથા બની ગયાં છે .વિખ્યાત લેખિકા અમૃતા પ્રીતમના “જીવનપ્રેમી ” કવિ અને ચિત્રકાર ઇમરોઝનું ગત સપ્તાહમાં નિધન થયું. અમૃતાજીનું પ્રીતમ સાથેનું અલ્પ અને અધૂરું વૈવાહિક જીવન, સાહિર લુધિયાણવી સાથેનો ઈશ્કી સંબંધ અને ઇમોરઝ સાથેના રૂહાની સંબંધ વિષે ખુબ લખાયું. અમૃતા પ્રીતમની આત્મકથા “રેવન્યુ સ્ટેમ્પ “, દરેક નઝ્મ અને કવિતાઓ ખાસ્સી બોલકી હતી, સૌને હૃદય સોંસરવી ઉતરી જાય એવી હતી અને છે ,આથી અમૃતાજી સાથે પ્રેમ નામનો શબ્દ લોહીમાં વહેતાં રક્તકણ જેવો જોડાઈ ગયો. પરંતુ જો આજે અમૃતાજી સદેહે હાજર હોત તો બેધડક કહી દેત ,”પ્રેમ એટલે હું નહિ, પ્રેમ એટલે સાહિર પણ નહિ, પ્રેમ એટલે ઇમરોઝ. જેને જીવનભર “આઈ લવ યુ ” કહેવું ના પડે કે ના સંબંધની કોઈ રસમ ફરજીયાત હોય એ અકબંધ જોડાણનું નામ ઇમરોઝ છે.
.
અમૃતા સાથે ઇમરોઝની અટક, નામ કે સગપણો નથી જોડાયા પણ ઇમરોઝ આખેઆખા જોડાઈ ગયા. એક છતની નીચે બે અલગ કમરામાં રહેતા બે સર્જકો અમૃતા અને ઇમરોઝ એકસાથે મુસાફરી કરતા રેલના બે પાટા જેવા હતા. અમૃતજી લખે અને ઇમરોઝ ચા મૂકે , અમૃતાની નઝમ પર કેલિગ્રાફી કરે અને મૃત્યુના બિછાને પડેલી અમૃતાના એક એક શ્વાસનું જતન કરે એ બધું જ આપણે ખુબ વાંચ્યું છે. અને જો એ વિષે ઓછો ખ્યાલ હોય તો રસીદી ટિકિટ કે ઇમરોઝના નિધન બાદ તાજેતરમાં જ લખાયેલા અનેક લેખ અને સોશ્યલ મીડિયા પોસ્ટમાં નજર ફેરવી લેજો. પ્રેમને જિદ્દી, લોહિયાળ, એનિમલ કે સામાજિક સમસ્યામાં તબદીલ કરતાં આપણાં સમાજમાં શું ખરેખર અમૃતા, સાહિર કે ઇમરોઝ સ્વીકૃત છે ખરા?
.
ચાલીસીએ પહોંચેલ એક સંવેદનશીલ અને સર્જક સ્ત્રી પતિથી છૂટી પડી હતી, ખુબ સફળ અને જાણીતા શાયરના પ્રેમમાં તરબોળ પણ હતી, એ તેનાથી સાત આઠ વર્ષ નાના ચિત્રકારના સંપર્કમાં આવે છે. એ બે વચ્ચેના કોઈ કરાર છે કે ના કોઈ તકરાર છે . કોઈ પ્રકારના બંધન નથી અને તે છતા એવું અતૂટ જોડાણ કે મૃત્યુ પછી પણ મુક્ત ના થયું.
.
વાર્તા કહેવા કે પ્રેમની પરાકાષ્ટાના ઉદાહરણ આપવા ગમે એવી દરેક ઘટનાઓ એમના જીવનમાં હતી. ઓળખાણ પછી મૈત્રી અને મૈત્રી દરમ્યાન સાવ સાહજિક રીતે જ ઇમરોઝ અમૃતજીના ઘરે રહેવા ગયા. સમાજ એટલેકે બહુમતીની સમજ કે માનસિકતા ક્યારેક ઇમરોઝ જેવી ના હોય તે સ્વાભાવિક છે. આથી જ અમૃતાજીની ખુબ મજાક થઇ અને પુરુષ રખાતના બિરુદની ભેટ પણ મળી. આમેય પ્રેમ સાહજિક લાગણીનું નામ છે પરંતુ આસાનીથી ગળે ઉતરે એવી બાબત નથી જ. એમના બિન પારંપરિક સંબંધ માટે સમાજનાં દ્રષ્ટિકોણ વિષે એકવાર અમૃતાએ પ્રશ્ન કર્યો હતો ત્યારે ઇમરોઝનો જે જવાબ હતો,”તારો સમાજ હું, મારો સમાજ તું”.
.
સમાજની પરવાહ અને સમાજની આપણા જીવનમાં અસર, આ બે જ વિષયમાં આખી ઝીંદગી પસાર થઇ જાય છે. એકબીજાનો સમાજ બનવું એટલે શું? આ માત્ર કવિતાના શબ્દો નથી બલ્કે ભારતીય સમાજમાં ભાગ્યે જ આકારિત થઇ શકે તેવું ઘર છે. જેમ એક મ્યાનમાં બે તલવાર ના રહી શકે તેવું જ બુદ્ધિજીવી માટે પણ માનવામાં આવે છે. બે બૌધિકો સાથે લેખ લખી શકે, એક મંચ પર જઈને જીદંગીની ફિલસુફી વિષે ભાષણ પણ કરી શકે. બેથી વધુ બૌધિકો મળીને રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય કક્ષાએ કોઈ ખાસ સમિતિમાં ચર્ચા પણ કરી શકે. પરંતુ એક છત નીચે,અવ્યાખ્યાયિત સંબંધ સાથે અને જવાબદારીની ભાગીદારી સાથે સતત સાથે રહેવાનું આવે ત્યારે એકબીજાની બૌધિક શક્તિ ઓછી દેખાય અને નબળાઈ સામે આવે.
.
માત્ર પરણિત યુગલ કે રોમેન્ટિક સંબંધ નહિ દરેક સંબંધમાં જ્યારે સતત સહવાસ આવે ત્યારે “ટેક્ન ફોર ગ્રાન્ટેડ ” થવાની શક્યતા વધી જાય અને એકબીજાને સંપૂર્ણ ઓળખી ગયા પછી ક્ષમતાનું સન્માન ઓછું થાય અને નબળા મુદ્દાને વધુ ઘાટા કરીને એકબીજાને સામે મુકવામાં આવે છે. અમૃતા અને ઇમોરઝ અહીં જુદા પડે છે. એક છત નીચે બે ઓળખ અકબંધ રહી શકી અને બે અસ્તિત્વ સાથે ધબકી શક્યા.કારણકે એ અમૃતા અને ઇમરોઝ હતા.
.
હવે એ રૂહાની અને સુહાની સહયાત્રાને નજર સામે રાખીને વાસ્તવિકતાની જમીન પર બે ઘડી બેસીને અમૃતાજી અને ધ વન એન્ડ ઓન્લી ઇમરોઝ સાથે થોડી હૃદયછુટ્ટી વાત કરીએ.
.
હમારી અમ્રિતાજી ,
પહેલી વાત તો એ છે કે, અમૃતા બનવું સહેજ પણ સહેલું નથી. હા, તો વાત એમ છે કે અમારી ભાષામાં તમે રોજ જન્મ લો છો. ક્યારેક સ્ટેજ પર સ્ત્રીની વેદના કહીને રૂવાંડા ઉભા કરવા હોય ત્યારે તમારી કવિતાઓ બોલીએ છીએ, ક્યારેક વુમન ડે પર આયોજિત મહિલા સંમેલનમાં તમારા ક્વોટ વાપરીએ છીએ. “રસીદી ટિકિટ ” તો બધાંએ મોઢે કરી લીધી છે. કારણકે એમાંથી નાના-નાના પીસ લખવામાં મજા પણ આવે છે અને સરળ પણ પડે છે. આજકાલ અમારે “ફેમિનિઝમ “શબ્દ બૉલીવુડથી માંડીને મોડર્ન સોસાયટીમાં ધૂમ મચાવે છે. એમાં પણ તમારા ઉદાહરણો આપીએ એટલે અમારું કામ થઇ જાય છે.
.
અમારા ગોસિપપ્રિય સમાજને તમારા પ્રીતમ સાથેનું છુટ્ટા પડવું, સાહિરને બિન્દાસ્ત પત્રો લખવા અને જીવનનો છેલ્લો પડાવ ઇમરોઝ સાથે રહેવું-એવું બધું બોલવામાં તો મોઢામાં પાણી (વ)છૂટે. એમ પાછા અમે થોડા ડાહ્યા, એટલે અમુક અન ટોલ્ડ સ્ટોરી રાખી છે, જેમ કે સાહિરનો અન્યાય, તમે કઈ રીતે ત્રણેય સંબંધો વચ્ચે તમારી આંતરિક યાત્રા કરી હશે, તત્કાલીન સમાજ વ્યવસ્થા, સ્વાતંત્રતા સંગ્રામ સમયે સ્ત્રીનું માનસિક જગત તમે જે લખ્યું છે તે વગેરે વગેરે …તમે કથા,કહાની, કથાનક તરીકે અમને બહુ ગમો છો એટલે અમે તમને એવી રીતે જ પ્રોજેક્ટ કરીએ છીએ.
.
અમે તમને મહાનતાના એ મુકામ પર મુકવા મંડ્યા છે કે તમે ધીમે ધીમે દંતકથા બની જશો..અને દંતકથા જીવાય નહિ. એટલેજ દરેક સ્ત્રીમાં સળવળતી અમૃતાને અમે રોજ ટપારીને બાજુ પર મૂકીએ છીએ. રખેને કોઈ છોકરી અમૃતા બનવાના સપના જોવે .એ કરતા તમે કોલમ અને સ્ટેજ પર જીવો એ સારું …
.
હમારી અમૃતાના ઇમરોઝ ,
बाप, भाई, दोस्त और खाविंद, किसी लब्ज का कोई रिश्ता नहीं है लेकिन, जब तुम्हें देखा, यह सारे अक्षर गाढ़े हो गए । ઇમરોઝ બનવું તો લગભગ અશક્ય જેવું લાગે છે. સરખી સર્જનનશીલતા,સંવેદનશીલતા અને બૌદ્ધિક ક્ષમતા ધરાવતી બે ઓળખ સાથે રહેતી હોવા છતા સાથે રહેવાની આડઅસરમાંથી કઈ રીતે મુક્ત રહી શકે? તમે જેને સમર્પિત હોય એ સ્ત્રી તમારી બા કાયદા પીઠ પર (પીઠ પાછળ નહિ ) તેના પ્રેમીનું નામ કોતરી શકે. તમે એના શબ્દ પાછળ રહેલી લાગણીનું સાચું સરનામું પણ ખબર હોય અને તે છતા પઝેસીવનેસ નહિ, મેલ ઈગો નહિ, પ્રશ્નો નહિ એવું કેવું ?
.
પરસ્પર સમજણ, સ્નેહ, સંગાથ, સ્વીકૃતિ અને સન્માન પ્રેમના મુખ્ય પાંચ આધાર સ્તંભ છે એવું તો અમે પણ ઘણું વાંચ્યું છે. પરંતુ જીવાય કઈ રીતે ? તમે જેને પ્રેમ કરો છો એ બીજાને પણ કરી શકે તેવું જીરવાય કઈ રીતે ?
.
આમ તો તમારી માટે અમારી પાસે સલામ અને અહોભાવથી વિશેષ કંઈ નથી. તે છતા પુરેપુરી નૈતિકતા અને પારદર્શિતા ભેગી કરીને કહું છું કે, પ્રેમમાં ક્યારેય બંધન કે ઘુટન થાય એવી સ્થિતિ નહિ આવવા દઉં. ઈમોશનલ ઇન્ટલિજન્સની થિયરી જયારે પણ વાંચીશ કે બોલીશ ત્યારે નજર સામે જીવંત ઉદાહરણમાં તમને રાખીશ. ગમતી વ્યક્તિને મેળવવાના ઉધામા કરવાને બદલે શું આપી શકાય એનો વિચાર પહેલા કરીશ. તમારા વિષે સોશિયલ મીડિયા પોસ્ટ લખીને લાઇકની સંખ્યા ઉઘરાવવાની લાલચ રોકીશ અને અંગત સંબંધોની લાઈકને વધુ મહત્વ આપીશ. અને હા છેલ્લે, મિત્ર, સ્નેહી,પ્રિય પાત્ર કે કોઈની પણ સરખામણી તમારી સાથે નહિ કરું. કારણકે મને ખબર છે કે ઇમરોઝ એક જ હોય અને એ તમે છો .
.
प्रेम में डूबी हर स्त्री अमृता होती है या फिर होना चाहती है. पर सबके हिस्से कोई इमरोज नहीं होता, शायद इसलिए भी कि इमरोज होना आसान नहीं.
.
( મેઘા જોશી )

અને ઈમરોઝ ગુજરી ગયા….-એષા દાદાવાળા

.

.અને ઈમરોઝ ગુજરી ગયા….
અને એ સાથે જ વિધવા થઈ ગઈ આપણી અંદરની સુષુપ્ત, કયારેય નહીં મરનારી એ છૂપી અમૃતાઓ…
.
હા, એ અમૃતાઓ જે આપણી એક એવી અતૃપ્ત વાસનાઓનું નામ છે જેમને સિક્યોરિટી માટે પ્રિતમ જોઈએ, દિલફેંક આશિકી માટે એક સાહિર જોઈએ અને છતાં એમને જગતની સર્વશ્રેષ્ઠ સ્ત્રી સમજતો, ખુવાર થતો ઈમરોઝ પણ જોઈએ…
.
આવી તમામ અમૃતાઓ અને અમૃતો આજે વિધવા થઈ ગયા…
.
પ્રેમનો પંચમ ગાનારાઓ પાસે એક આશા હંમેશા હોય છે, જે એમને પ્રેમ જિંદગીભર કરે છે, શરીર આપે છે-લે છે પણ એ પ્રેમીનું નામ કયારેય લેતી નથી…
.
શા માટે?
.
એ અંદરથી કોઈ ગુનાઈત લાગણીથી પીડાય છે?
.
સવાલનો કોઈ સ્પષ્ટ જવાબ નથી, એમનો કોઈ જુદો જવાબ હોઈ શકે છે, તમારો કોઈ સાવ જુદો જ જવાબ હોઈ શકે છે…
.
ચંદ્રકાંત બક્ષી કહેતા કે કેટલાંક કૂતરાઓ ગળામાં પટ્ટો હોય તો સારી રીતે ભસી શકે છે- આ એવો કોઈ “ગળપટ્ટો” સિન્ડ્રોમ છે? સવાલો ઘણા છે પણ ચોક્કસ ઉત્તરો મળતા નથી!
શા માટે કહેવાતા આઝાદ પંખીઓ એક નામ માત્રની પણ બેડી પહેરીને આખી જિંદગી જુદા જુદા આસમાનોમાં ઉડવાના પ્રયત્નો કરતા રહે છે?
.
શા માટે કહેવાતી બોલ્ડ અને મોડર્ન વ્યકિતઓ ( સ્ત્રી અને પુરુષ બંન્ને) કયારેક જિંદગીમાં થયેલા અન્યાયને તક મળે કે તરત જ ગાઈ વગાડીને ચઘળ્યા કરતી હોય છે? વિકટીમ કાર્ડનો નશો, સિગરેટમાંથી ફૂંકાતા ગાંજાના નશા કરતાં પણ વધુ માલૂમ પડે છે!
.
મરીઝે કહ્યું હતું,
છે એક બે સ્ખલનો મને પણ મંજૂર
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે!
.
આ સ્ખલિત બદનામોને કયારેય ખબર નથી હોતી કે પ્રત્યેક પરપુરુષમાં ( કે પરસ્ત્રીમાં) પોતાનો “સાહિર” શોધવા માંગતા આઝાદ પંખીઓ માટે એ જિંદગીભરનો એક “વિકટીમ પાસપોર્ટ” બનાવી આપે છે જેની પર પોતાનો એક રસીદી સ્ટેમ્પ લગાવી એ પંખીઓ ડાળ ડાળ શોધ્યા કરે છે!
.
પ્રેમ અલબત્ત મહાન છે !
.
સત્ય સર્વદા મહાન છે પણ અર્ધ સત્ય એ અસત્ય કરતાં પણ વધુ જોખમી અને ક્રૂર છે. એવી જ રીતે વાસનાને કે અતૃપ્ત વાસનાને પ્રેમનું રૂપાળું નામ આપવું એ સગવડીયા છિનાળાં છે!
.
તો સાચી અમૃતા કોણ છે? શું છે?
.
એ કવિયત્રી, એ અમૃતા, એ અમૃતા પ્રિતમ આજે જીવતી હોત તો એ દુખી, ખૂબ દુખી ચોક્કસ જ થઈ હોત પણ એ પોતાને વિધવા તો ન જ ગણતી હોત, ઈમરોઝની પાસ્ટ લાઈફના કેનવાસ પર એક રહસ્યમય રેખા બનીને ખામોશીથી બસ
જોયા કરત….જોયા કરતા…જોયા કરત….
ઈમરોઝને!
જોયા કરવું એ
જેના માટે જિંદગીનો શ્વાસ અને
શ્વાસ પેલે પારની જિંદગી છે
એ અમૃતા,
જે પામવાની ઈચ્છા,
મેળવવાની કામના અને
ભોગવવાની વાસનાથી
પેલે પાર જતી રહી છે…
એ અમૃતા…
જે પ્રેમમાં એટલી હદે ઓગળી
ગઈ છે કે ખામોશ લકીર
બનવામાં પોતાનું
અસ્તિત્વ સમેટી રહી છે એ અમૃતા….
તમારી અંદરની અતૃપ્ત “અમૃતાઓ” નક્કી નથી કરતી કે તમે કેટલા “ઈમરોઝ” છો કે કેટલા “સાહીર”છો……
તમારી જિંદગીના કેનવાસ પર બસ ખામોશ રહી તમને જોયા કરતી એક પણ રેખા (લકીર) છે?
જો હોય તો તમને કદાચ ઈમરોઝ કે અમૃતા સમજાશે….
અને તો સમજાશે
કે
શરીરના શ્વાસનું બંધ થવું એ “ફિર મિલાંગાં”ની રહસ્યમય સફરની રોમાંચક શરૂઆત છે…
અને
તો તમે જોઈ શકશો એક આછી પાતળી રેખાને તમારા કેનવાસ પર ઉતરતી….
જો તમે આ મહેસૂસ કરી શકો છો, એ રેખાને જોઇ શકો છો, જોયા જ કરો છો…
તો તમને મુબારક
તમે ઈમરોઝની “વિધવા” નથી!
.
( એષા દાદાવાળા )

मैं तुझे फिर मिलूँगी-જિજ્ઞેશ અધ્યારુ

.

તા. 22 ડિસેમ્બરને શુક્રવારના રોજ ચિત્રકાર ઈન્દ્રજીત સિંહ – ઇમરોઝનું અવસાન થયું. મને નથી લાગતું કે અમૃતા પ્રીતમ – સાહિર અને ઇમરોઝનો પ્રણય ત્રિકોણ હતો. એ એક રેખાના ત્રણ બિંદુઓ હતાં.
.
ઇમરોઝનો પ્રેમ એકપક્ષી હતો, કહેવાતા ‘પ્લેટોનિક’ પ્રેમના એ ધ્વજધર હતાં પણ શું એવો એકપક્ષીય પ્રેમ હકારાત્મક કે પ્રોત્સાહક હોય છે ખરો? ખાસ કરીને ત્યારે જ્યારે તમને ખબર છે કે તમે જેને પ્રેમ કરો છો એ તમને નહીં પણ અન્ય કોઈને ચાહે છે!
.
અમૃતાના ઈ.સ. 1935માં પ્રીતમસિંહ સાથે લગ્નથી એક પુત્ર અને એક પુત્રી થયાં. એમના લગ્ન બહુ ન ટક્યાંં, અમૃતા સાહિર લુધિયાનવીના પ્રેમમાં ગળાડૂબ હતાં. પોતાની આત્મકથા રસીદી ટિકટમાં એ લખે છે, ‘સાહિર ચૂપચાપ મારા રૂમમાં સિગારેટ પીતો. અડધી પીધા પછી એ સિગારેટ હોલવીને નવી સિગારેટ સળગાવતો. જ્યારે તે જતો રહેતો ત્યારે તેની ધૂમ્રપાન કરેલી સિગારેટની ગંધ ઓરડામાં જ રહેતી. હું તે સિગારેટના ઠૂંઠા હાથમાં લઈ એકલામાં ફરી સળગાવતી. જ્યારે હું એ ઠૂંઠા મારી આંગળીઓમાં પકડતી ત્યારે એવું લાગતું કે હું સાહિરના હાથને સ્પર્શ કરી રહી છું.’
.
તો ઇમરોઝ એક ઈન્ટરવ્યુમાં કહે છે, ‘અમૃતાની આંગળીઓ હંમેશા કંઈક લખતી રહેતી. એના હાથમાં પેન હોય કે ન હોય. એણે ઘણી વાર સ્કૂટર પર મારી પાછળ બેસીને મારી પીઠ પર સાહિરનું નામ લખ્યું છે. ભલે, હું પણ એનો અને મારી પીઠ પણ એની..’
આ ભાવ અસહજ છે!
.
અમૃતા એક પુસ્તકના કવર ડિઝાઈન માટે ઇમરોઝ સાથે સંપર્કમાં આવ્યા હતાં. સાહિર સાથેના તેમના સંબંધોની વાત કહેતી રસીદી ટિકટનું કવર ડિઝાઈન પણ ઇમરોઝે કર્યું. ઇમરોઝ ચિત્રકાર હતાં જેમના જીવનનું ચિત્ર મારા મતે અધૂરું રહ્યું.
.
અમૃતા સાહિર તરફ ખૂબ આકર્ષાયેલ હતાં અને ઇમરોઝ અમૃતા તરફ. ઇમરોઝ અને અમૃતા પોતાના સંબંધને કોઈ નામ આપ્યા વગર એક જ ઘરના અલગ અલગ ઓરડામાં ચાલીસ વર્ષ ‘સાથે’ રહ્યાં.
.
મને ઇમરોઝ થવું – ઇમરોઝપણું કદી ગમ્યું નથી. પ્રેમમાં પડેલી દરેક સ્ત્રી અમૃતા થવા માંગતી હશે કે કેમ એ વિચારનો વિષય હોઈ શકે પણ કોઈ ઇમરોઝ થવા માંગતુ ન હોવું જોઈએ.. કદાચ!
.
એક તરફનો પ્રેમ કદી સુખ આપતો નથી. એ અસ્વીકરણ મને બહુ શોષણ કરનારું લાગે છે. એકપક્ષીય પ્રેમનો બીજા પાત્ર દ્વારા સ્વીકાર પણ ન્યાય નથી. અમૃતા અને ઇમરોઝ વચ્ચે પ્રેમને લઈને ભલે સ્પષ્ટતાઓ હતી, ભલે કોણ કોને પ્રેમ કરે છે એ સ્પષ્ટ હતું પણ આ ચાલીસ વર્ષ ઇમરોઝ કઈ આશાને તાંતણે ઝૂલતા રહ્યાં હશે એ સમજી શકાય એવી વાત છે.
.
અમૃતાએ ઇમરોઝ માટે લખ્યું છે –
मैं तुझे फिर मिलूँगी
कहाँ कैसे पता नहीं
शायद तेरे कल्पनाओं
की प्रेरणा बन
तेरे कैनवास पर उतरुँगी
या तेरे कैनवास पर
एक रहस्यमयी लकीर बन
ख़ामोश तुझे देखती रहूँगी
मैं तुझे फिर मिलूँगी
कहाँ कैसे पता नहीं
या सूरज की लौ बन कर
तेरे रंगों में घुलती रहूँगी
या रंगों की बाँहों में बैठ कर
तेरे कैनवास पर बिछ जाऊँगी
पता नहीं कहाँ किस तरह
पर तुझे ज़रूर मिलूँगी
या फिर एक चश्मा बनी
जैसे झरने से पानी उड़ता है
मैं पानी की बूंदें
तेरे बदन पर मलूँगी
और एक शीतल अहसास बन कर
तेरे सीने से लगूँगी
मैं और तो कुछ नहीं जानती
पर इतना जानती हूँ
कि वक्त जो भी करेगा
यह जनम मेरे साथ चलेगा
यह जिस्म ख़त्म होता है
तो सब कुछ ख़त्म हो जाता है
पर यादों के धागे
कायनात के लम्हें की तरह होते हैं
मैं उन लम्हों को चुनूँगी
उन धागों को समेट लूंगी
मैं तुझे फिर मिलूँगी
कहाँ कैसे पता नहीं
मैं तुझे फिर मिलूँगी!!
.
ખેર આવતા જન્મે ઇમરોઝને અમૃતા કોઈ શરત વગર પૂર્ણપણે મળે એવી ઈશ્વરને પ્રાર્થના. જો કે આ જન્મે પણ એ પૂર્ણ હતું કે નહીં એ ઇમરોઝ વગર કોણ કહી શકે?
.
( જિજ્ઞેશ અધ્યારુ )

इमरोज़ ने नहीं छोड़ा-दीपाली अग्रवाल

 

.May be an image of 2 people and people smiling

इमरोज़ का नाम आते ही अमृता प्रीतम याद आ जाती हैं, चूंकि वे उनकी मशहूर प्रेम कहानियों का एक बड़ा हिस्सा थे। उनके जीवन के महत्वपूर्ण किरदार जिसने अपने सारे वजूद को अमृता की छांव बना लिया। उनकी मृत्यु हो गई है, इमरोज़ की मृत्यु हो गई है अमृता के जाने के लगभग 18 साल बाद। उनके क़रीबी बताते हैं कि वे अक्सर ही अमृता को याद करते रहते और कहते कि वो यहीं-कहीं मौजूद है। इमरोज़ से लोग इस प्रेम कहानी के आकर्षण में मिलना भी चाहते थे। उन्हें फ़ोन लगाते और अमृता के बारे में पूछते, पहले तो वे कई कार्यक्रमों में नज़र भी आए फिर जाना बंद कर दिया, उम्र का असर रहा होगा शायद।
.
लेकिन इमरोज़ एक मशहूर पेंटर भी थे, उन्होंने कई किताबों के आवरण तैयार किए, अपनी उम्र के आख़िरी पड़ाव तक भी उनकी कूची किताबों के लिए रंग भर रही थी। 26 जनवरी, 1926 को पंजाब में पैदा हुए इंद्रजीत 1966 में लगभग 40 की उम्र में अमृता से मिले थे। अमृता से एक कलाकार के तौर पर जुड़े और वहीं से नाम बदल कर किया इमरोज़। उनकी औऱ अमृता का दोस्ती गहराती गई। अमृता अपने पति प्रीतम से अलग हो चुकी थीं और 2 बच्चों की मां थीं, वह साहिर के प्रेम में थीं और इमरोज़ अमृता के। अमृता और इमरोज़ के शारीरिक संबंध न थे जबकि वह एक छत्त के नीचे रहते थे, लोग इसे प्लेटोनिक लव मानते हैं। अमृता रात में लिखती रहतीं और इमरोज़ चाय का कप रख जाते।
.
एक बार गुरुदत्त ने इमरोज़ की पेंटिंग से प्रभावित होकर उन्हें बंबई बुलाया, अमृता ने उन्हें जाने भी दिया, वो बंबई भी पहुंच भी गए कि अमृता ने तार भेजा कि बुखार में हैं और इमरोज़ वहां से वापस दिल्ली आ गए। अमृता प्रीतम राज्यसभा गईं तो वो उन्हें छोडने जाते कि लोग उन्हें ड्राइवर समझ बैठे थे। इमरोज़ ने अपने अस्तित्व को अमृता में मिला दिया था। उनका प्रेम बिना किसी आकांक्षा और इच्छा के था। वह उनकी साथ चाहते थे। इमरोज़ ने उनके लिए कविताएं भी लिखीं, उनके जाने के बाद भी, वे अमृता को ही याद करते रहते और मानते कि वह कभी मरी ही नहीं हैं। सच है कि प्रेम मरता ही कहां है, वह तो भीतर ही मौजूद रहता है। अमृता ने भी इमरोज़ के लिए लिखा था कि मैं तैनूं फिर मिलांगी औऱ ये नज़्म ख़ूब लिखी-पढ़ी और सुनी गई।
अमृता की वो किताब जो उनके और साहिर के क़िस्से कहती है रसीदी टिकट, उसका आवरण इमरोज़ ने तैयार किया था। इमरोज़ जैसा प्रेम वाकई विरले ही कर पाते हैं, ख़ुद को खोकर किसी के जीवन की चमक बनना आसान कहां है। इमरोज़ से एक दफ़ा अमृता ने कहा था कि वो पूरी धरती का चक्कर लगा ले और लगे कि अब भी अमृता के साथ ही रहना है तो वह इंतज़ार करती मिलेंगी। इमरोज़ ने अमृता का चक्कर लगाकर कहा कि हो गया पूरी धरती की चक्कर और वह उनके साथ ही रहेंगे।
.
इमरोज़ ने वो साथ अभी तक नहीं छोड़ा था, वह अपनी स्मृतियों और अपने होने भर से ही उऩकी मौजूदगी का एहसास करवाते थे। अब अमृता का धरती पर स्मरण करवाने के लिए वो देह नहीं बची। मुहब्बत में ज़िंदगी में ऐसे भी जी जाती है क्या भला।
.
( दीपाली अग्रवाल )