વહી ગઈ જિંદગી થોડાઘણા સારા વિચારોમાં
કદી તારા વિચારોમાં કદી મારા વિચારોમાં
.
કરીને આકરું તપ કોઈ અણનમ સ્થાન પામે છે
નથી સાકાર બનતા ધ્રુવના તારા વિચારોમાં
.
બધાં દ્રશ્યો અને પાત્રો ક્રમાનુસાર બદલાતાં,
કરે છે કોણ નક્કી એમના વારા વિચારોમાં
.
સ્મરણ તારાં કદી ગુલમ્હોર પેઠે મ્હોરતાં લાગે
નસોમાં સ્થિર જાણે રક્તની ધારા વિચારોમાં
.
જગતમાં કોણ, ક્યારે, કેમ, કેવાં સ્વપ્નો સેવે છે
મને મળતા રહે છે રોજ વર્તારા વિચારોમાં
.
( કુમાર જૈમિની શાસ્ત્રી )