झारखंड की आदिवासी बेटी डॉ. पार्वती तिर्की ने रचा साहित्य का इतिहास!
.
झारखंड के गुमला ज़िले से आने वाली डॉ. पार्वती तिर्की को उनके पहले ही कविता संग्रह ‘फिर उगना’ के लिए मिला है साहित्य अकादमी युवा पुरस्कार 2025 — यह सिर्फ एक पुरस्कार नहीं, बल्कि उस आवाज़ का सम्मान है जो आज भी जंगलों, गांवों, लोकगीतों और मिट्टी से जुड़ी हुई है।
.
उनकी कविताओं में आदिवासी संस्कृति का संघर्ष, प्रकृति के साथ तादात्म्य, और आधुनिक जीवन की हलचल के बीच लोक जीवन की जिजीविषा को बेहद सहज, सरल भाषा में सामने लाया गया है।
.
गुमला के एक नवोदय विद्यालय से पढ़ाई शुरू कर उन्होंने बनारस हिंदू विश्वविद्यालय से हिन्दी साहित्य में स्नातक और परास्नातक की पढ़ाई की। फिर वहीं से उन्होंने आदिवासी समुदाय की संस्कृति और गीतों पर पीएचडी की डिग्री प्राप्त की। वे आज रांची विश्वविद्यालय के राम लखन सिंह यादव कॉलेज में सहायक प्राध्यापक के रूप में कार्यरत हैं।
.
उनका पहला कविता-संग्रह ‘फिर उगना’ वर्ष 2023 में राधाकृष्ण प्रकाशन से प्रकाशित हुआ। इस संग्रह को हिन्दी की कई प्रतिष्ठित पत्रिकाओं और समीक्षकों ने नई आवाज़ और ज़रूरी हस्तक्षेप माना है।
.
पार्वती कहती हैं —
.
“मैंने कविताओं के ज़रिए संवाद की कोशिश की है। विविध जनसंस्कृतियों के बीच समझ और विश्वास बने — यही मेरी कोशिश रही है। इस सम्मान से मेरा आत्मविश्वास बढ़ा है।”
.
यह सम्मान न सिर्फ पार्वती का है, बल्कि उन सभी युवाओं का है जो ग्रामीण या आदिवासी पृष्ठभूमि से आते हुए भी, अपनी भाषा, अपनी मिट्टी और अपनी संस्कृति से जुड़े रहकर नए साहित्य की दुनिया बना रहे हैं।
.
राजकमल प्रकाशन के अध्यक्ष अशोक महेश्वरी ने इस उपलब्धि पर कहा —
“पार्वती का लेखन दिखाता है कि परंपरा और आधुनिकता साथ-साथ जी सकती हैं। हिन्दी कविता का भविष्य अब सिर्फ शहरों में नहीं, गांवों और लोक जीवन में भी आकार ले रहा है।”
.
‘फिर उगना’ — एक नई भाषा, नई संवेदना और नई उम्मीद का नाम है।
ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં લોકજીવન અને લોકકલા-ગીતસંગીતનું સ્થાન આગવું છે. એમાં પણ રંગોળી,લગ્નગીતો, સાજશણગાર વિશિષ્ટ. ઘરમાં શુભ અવસર આવે એટલે ગૃહરાજ્ઞીનું ગળું ગહેકે. એને દેવ-દેવીઓ, સગાંવહાલાં અને મોસાળિયાં યાદ આવે સાથોસાથ જોષીડો, સુખડિયો, માળીડો, કુંભાર, કાપડિયો, દરજીડો, કરિયાણો, રંગારો, ચૂડગર, સોનીડો વીરો યાદ આવે. લગ્ન કે જનોઈ ગીતમાં એમને નોતરાં મોકલે એટલું જ નહીં પણ વીનવે કે વહેલેરા-વેળાસર આવી રહેજો, તમારી જરૂર છે અને કામમાં મદદ કરજો. ભારતીય સાંસ્કૃતિક જીવન ખેતી, વરસાદ અને ઋતુઓ સાથે સંલગ્ન એટલે અહીં ‘ભૂમિજન-આમઆદમી’ નું મહત્ત્વ વિશેષ. આ ભૂમિજનનો ચહેરો મહોરાં વગરનો! એણે કાંઈ છુપાવવાનું હોય નહીં એટલે એનો ચહેરો બોલકો, આંખો એવી ભાવસભર કે કંઈક કહેવા ઉત્સુક અને ઓષ્ઠદ્વય સ્મિતે મઢેલાં. કાન સરવા અને નાક કોઈપણ પીમળ પારખવામાં અવ્વલ! એવડો એ જણ-ભૂમિજન અને જણી-ભૂમિજા કામે લાગ્યાં હોય ત્યારે ધ્યાનમગ્ન ઋષિ અને ઋષિકા! આવા માનવીઓથી રળિયાત ભારતભૂમિમાં અપાર વૈવિધ્ય! ‘અનેકતામાં એકતા’ અને ‘વસુધૈવ કુટુમ્બકમ્’,‘જે પિંડમાં તે જ બ્રહ્માંડમાં’ની વિભાવના ગળથૂથીમાં. આહાર, વેશ, ભાષા-બોલી, ગીત-સંગીત/નૃત્ય, પરંપરાનું વૈવિધ્ય અપાર. ભારતીય સંસ્કૃતિ લીલીછમ અને મીલીઝૂલી છે. અહીં અનેક સંસ્કૃતિઓનો સમન્વય થયો છે. ભારતીયો માટે નદી માતા અને સમુદ્ર પિતા. સહનાવવતુ….. ના પાઠ લોહીમાં વણાયેલા એવી આ ભારતભૂમિના ભૂમિજન-ભૂમિજાની વિવિધ ભૂમિકાને કચકડે મઢીને મહોરાં વગરના ચહેરાને ઉજાગર કરવાનું બીડું ડો. હર્ષ દહેજીઆ, ડો.બિપિન મહેતા અને ભાઈ વિનોદ કોન્ટ્રેક્ટરે ઝડપ્યું અને ભાતીગળ કસબથી રંગેચંગે પાર પાડ્યું. આ પુસ્તકમાં મારો પણ એક લેખ છે જેનું શીર્ષક છે,’ મહોરાં વગરના ચહેરા.’
.
આ પુસ્તકમાં હકુભાઈ શાહ, પાર્થિવ શાહ, પરમાનંદ દલવાડી, રાજેશ વોરા, જ્યોતિ ભટ્ટ, સ્ટિવન હ્યુલર, વિનોદભાઈ કોન્ટ્રાક્ટરે લીધેલી તસવીરો છે. આ તસવીરકારો પાસે જે દૃષ્ટિ છે તેમાં ફોટોગ્રાફીની કલાત્મકતા વિશે ચર્ચા માટે મારી પહોંચ કદાચ ઓછી પડે પરંતુ હર્ષભાઈએ જે રીતે એને મૂલવી છે, બિપિનભાઈએ અનુવાદો કર્યાં છે તે કારણે દરેક સમયે તસવીરો જોઈએ ત્યારે એની વિશિષ્ટ ખૂબીઓ નજરે ચડે. ૧૧૯ પૃષ્ઠોમાં સમાવિષ્ટ વિવિધ તસવીરોમાં દૃશ્યાંકિત પાત્રો સાવ સામાન્ય તળજમીની લોકોના લાગે પરંતુ જ્યારે એ કેમેરામાં ઝિલાયેલા નજરે ચડે કે અદ્ ભુત શબ્દ સરી પડે! વિવિધ રંગો, આભૂષણો, લીંપણ-ઓકળી, નિરાંતના જીવે બીડી કે ચલમ ફૂંકતા શ્રમજીવીઓ, સાધુઓ કે નેજવે જોતી મોં પર અસંખ્ય કરચલીઓ ધરાવતી માવડી કે જેની એક એક કરચલી એનાં સુખદુ:ખની સાખ પૂરે, વાલીડાની રાહ જોતી પ્રિયતમા કેટકેટલી તસવીરો અહીં પ્રસ્તુત છે, કોની કઈ તસવીર છે એ પુસ્તકમાં સ્પષ્ટ છે છતાં આ લેખમાં કદાચ ભેળસેળ થઈ જાય એટલે મને ગમી તે મૂકી છે પરંતુ તસવીરકારનું નામ આપવામાં ભૂલ થઈ હોય તો દરગુજર કરવા વિનંતી. હર્ષભાઈ અંગ્રેજી ગદ્યમાં મઢે પરંતુ લાગે સુવાંગ પદ્ય તેની મજાની અનુભૂતિ તો પુસ્તક માણીએ ત્યારે જ કરી શકાય. આ તસવીરોમાં કેટલીક જોતાં જોતાં યાદ આવે કવિ મણિલાલ દેસાઈની રચના ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના, તો છાણ સાથે કામ પાર પાડતી સ્ત્રીના હાથોમાં સમાયેલી કલાની યાદ આપતી વાર્તા ‘ઓળીપો’(લેખકનું નામ હમણાં યાદ આવતું નથી.)એક થાળીમાંથી ખાતાં ભાંડરડાંને જોઈને તો મને મારું બાળપણ યાદ આવી ગયું કે અમે ખાધેપીધે સુખી છતાં વહેંચીને જ ખાવું એ પાઠ અમને ઈરા બરાબર ભણાવતી અને ખાસ તો કેરી, શિંગોડા અને એન.સી.સી. પ્રેક્ટિસમાંથી મળતી ક્રીમવાળી બિસ્કીટ. ત્યાર નો પરિચિત લોકબોલીનો વાક્યપ્રયોગ હતો,”તારે હારું મૂકી છાણેલું છે.” એટલે કે તારે માટે ખાસ સંતાડીને રાખેલું છે!
.
હર્ષભાઈનું અંગ્રેજી ગદ્ય સીધુંસાદુ આલેખન નથી પરંતુ શબ્દેશબ્દ પદ્ય છે એટલે હું કહીશ કે એ ગદ્યમાં પદ્ય છે. એ અંગ્રેજી વર્ણનની કાવ્યાત્મકતાને મેં મારી રીતે ગુજરાતીમાં મૂકી જે અહીં પ્રસ્તુત છે.
.
(૧)
આ કરચલિયાળાં મુખારવિંદની એક એક રેખા
યાદોના વનરાવનની શાખ પૂરે છે.
દરેક બિંદુ દુ:ખોની ભરમારની ચાડી ખાય છે છતાં
કાંઈ હું મારી નજર સામે વિચરતી
દુનિયાને હસી કાઢતાં રોકાવાની નથી.
લોકને ક્યાં ખબર છે કે સહન કરીને સ્મિત કરવું
એટલે શું?
.
where wrinkles are filled with memories
every spot speaks of days of penury
but that does not prevent me from
smiling at the world that passes by
do they know what it is to suffer and yet smile?
.
(૨)
એનું ઝગમગતું વસ્ત્રપરિધાન બોલકુ છે
જેનો પીતાંબરી રંગ એની અભિલાષાની
અભિવ્યક્તિ છે
ઓઢણીનો લાલ રંગ એની પવિત્રતાનું પ્રતીક છે.
આંખોમાં પ્રેમની તરસ છે
એનાં સાજશણગાર એનાં સૌંદર્યને ઉજાગર કરે છે.
.
The bright colours of her attire speak
the yellow of her desires
the red of her of her purity
in her eyes the expectation of love
her adornments enhancing her beauty.
.
હજી તૃણમૂળ કે મૂળસોતાં ક્ષેત્રે ભૂમિજનો અને ભૂમિજાઓ જડે છે અને પોતપોતાના કર્મને આધીન ભૂમિકા ભજવે છે એટલે ક્યાંક સારપની આશા જાગે છે. અલબત્ત, આધુનિકતાની હોડમાં કેટલુંક અદૃશ્ય થઈ રહ્યું છે તો પ્રસંગોપાત્ત સાંસ્કૃતિક વારસાઈના સંગોપન માટે પોતાની બોલી, ખાણી-પીણી,પહેરવેશ, તહેવાર, રીતરિવાજો-પરંપરાનું જતન કરવાનો ટ્રેન્ડ પણ દેખાઈ રહ્યો છે. આશા તો છે કે માનવજાત ફરીથી પ્રકૃતિ તરફ વળશે. માનવતાની દુહાઈ ગાશે અને સાચા અર્થમાં વિશ્વમાનવની પરિકલ્પના સાકાર કરશે ત્યારે મહોરાં વગરના ભૂમિજન-ભૂમિજાનો વૈવિધ્યસભર છતાં સમાનતામૂલક ચહેરો વધારે દેદીપ્યમાન બનીને તેજોમય પૃથ્વીનું સર્જન કરશે……
.
ખાસ આભાર: નિવાસી તંત્રી : વિકાસ ઉપાધ્યાય.
.
ખાસ નોંધ: આ કાર્યક્રમનું લોકાર્પણ વિનોદભાઈના અમૃત મહોત્સવ અવસરે થયેલું, અશ્વિનભાઈ સોમપુરા અને વિનોદભાઈના અન્ય જાણીતાં તસવીરકાર મિત્રો સહભાગી થયેલા. અલ્પાએ સરસ સંચાલન કરેલું ઉપરાંત વિનોદભાઈ-જયશ્રીબહેન અને સ્વજનોનાં મોકળાશભર્યા નૃત્યો, હર્ષભાઈ-સુધાબહેન દહેજીઆ , દીદી-બિપિનભાઈ અને મિત્રો-સ્વજનો તથા અમન લેખડિયા અને સંગત કરનારાના કારણે કાર્યક્રમની મજા બેવડાઈ ગયેલી.
“જોતીરાવ કરતાં પણ એમનાં પત્ની વધારે પ્રશંસાને પાત્ર છે. એમનું કદ કેટલું છે વર્ણવવા શબ્દો અપૂરતા છે. તેઓએ પોતાના પતિને પૂરેપૂરો સાથ આપ્યો અને એમની સાથે રસ્તે આવતી તમામ ને કસોટીઓ નો સામનો કર્યો. ઉચ્ચ જાતિની ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલી સ્ત્રીઓમાં પણ આવું બલિદાન આપતી સ્ત્રી મળવી મુશ્કેલ છે. આ યુગલે આજીવન લોકો માટે કામ કરવામાં ગુજાર્યું.”
નારાયણ મહાદેવ ઉર્ફે મામા પરમાનંદ : ૩૧ જુલાઈ,૧૮૯૦.
સ્ત્રીઓના, શૂદ્રો-અતિશૂદ્રોની સાંસ્કૃતિક, સામાજિક, શૈક્ષણિક ક્રાન્તિ માટેની ચળવળ ઉપાડી આ દંપતીએ ઐતહાસિક કાર્ય કર્યું. એક અનામી પત્રકારે પૂના ઓબ્ઝર્વર અને ડેક્કન હેરાલ્ડ નામના વર્તમાનપત્રમાં લખ્યું,” આ કાર્ય હિંદુ સભ્યતાના ઈતિહાસમાં નવા યુગનો આરંભ કરતું હતું.” આ નવા ક્રાંતિકારી યુગની શરૂઆત હતી. ((પાનું:૧)
“ઈતિહાસે એ નોંધ લીઘી જ છે કે જોતીરાવને એમની ચળવળમાં એમના બ્રાહ્મણ સાથીઓનો ફાળો હતો પરંતુ એમના દલિત સાથીઓની અવગણના થઈ છે. ખરેખર તો હજારો વરસથી શિક્ષણથી વંચિત રાખવામાં આવેલ અછૂત જાતિઓનાં ફાળાને ક્રાંતિકારી ગણવો જોઈએ.” (પાનું:૪)
“આ લાડુખાઉ બ્રાહ્મણો કહે છે કે વેદ એમનો એકલાનો અધિકાર છે. બ્રાહ્મણેતર લોકો વેદનો અભ્યાસ ન કરી શકે. શું આનો અર્થ એવો ન થાય કે આપણો કોઈ ધર્મ નથી જ્યારે આપણે કહેવાતા ધર્મગ્રંથ તરફ નજર પણ નથી નાખી શકતાં? હે ઈશ્વર, રહેમ કર ને અમને જણાવ કે તું ક્યાં ધર્મનો છે જે અમે પાળી શકીએ, એ માટે અમે ગોઠવણ કરીએ.” પાનું: ૧૦: સાવિત્રીબાઈની એક માતંગ વિદ્યાર્થિની મુક્તા સાલ્વેના આત્મકથનાત્મક નિબંધનું અવતરણ. વર્ષ:૧૮૮૫:
ઉપરોક્ત અવતરણો પ્રો. હરિ નરકે લિખિત ડો. ગણપત વણકર અનૂદિત ‘જ્ઞાન જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે’ સંબંધિત નાનકડી છતાં અધિકૃત પુસ્તિકામાંથી ટાંક્યાં છે જેમાં સાવિત્રીબાઈના જીવનની અગત્યની ઘટનાઓ, કાર્યો, કસોટીઓ અને પડકારો ઝીલવાની એમની ક્ષમતાનો પરિચય કરાવવામાં આવ્યો છે. સાવિત્રીબાઈની વાત મહાત્મા જોતીરાવ વગર કે મહાત્મા જોતીરાવની વાત સાવિત્રીબાઈ વગર કરી જ ન શકાય એટલું અદ્ ભુત દાંપત્યજીવન તેઓ જીવ્યાં છે અને સપ્તપદીનાં સખ્યને ઉજાગર કર્યું છે. કન્યા કેળવણીની શરૂઆત માટે એમને હમેશાં યાદ કરવામાં આવે છે. તે રીતે સત્યશોધક સભા, મંડળી બનાવી, પૂનામાં શાળાઓનું નેટવર્ક ઊભું કર્યું,બ્રાહ્મણ-પીડિત વિધવા સ્ત્રીઓ માટે સ્થાપવામાં આવેલ આશ્રયગૃહ_શિશુરક્ષક ગૃહ(વર્ષ: ૧૮૮૩), દુકાળ રાહત, સામાજિક સુધારા, વિધવા સ્ત્રીના વાળમુંડનનો વિરોધ, દહેજ વિરોધ, સાદાઈથી લગ્ન ઉપરાંત જ્યારે જે જરૂરી લાગ્યું તે કર્યું જેમ કે નિ:સંતાન હોવાથી યશવંત નામના બ્રાહ્મણ બાળકને દત્તક લઈ એને ડોક્ટર બનાવ્યો જેણે એમનાં કાર્યને વેગવંત બનાવવામાં કસર ન છોડી. કન્યાકેળવણી માટે દિલ દઈને કામ કરતાં સાવિત્રીબાઈ પર વિરોધીઓ કાદવ ફેંકતા, એલફેલ બોલતાં અને એમને હતોત્સાહ કરવાનો પ્રયાસ કરતાં ત્યારે તેઓ પરવા કર્યા વગર પોતાનાં કામને વળગી રહેતાં. શાળાએ જાય ત્યારે બે સાડી લઈને જાય. ગંદી સાડી બદલીને બીજી પહેરીને પોતાનું કામ કરે. વિરોધીઓ માટે કોઈ ગુસ્સો પ્રગટ ન કરે પરંતુ પોતાનાં ધ્યેય માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં રહે. અહીં મને યાદ આવે છે કે સાવિત્રીબાઈ અને જોતીરાવે કન્યા કેળવણીનું કાર્ય શરૂ કર્યું હશે પછી લગભગ સો વર્ષે વલસાડમાં કન્યા વિદ્યાલયની સ્થાપના થયેલી જે અમારાં દાદીમાનાં નામની હતી અને હજીયે છે. સો વર્ષ પર એમણે જે સહન કર્યું હશે તેનાં મીઠડાં ફળ આજે પણ સ્ત્રીઓને મળે છે છતાં કન્યાકેળવણી માટે તો હજી પણ ખૂબ મહેનત કરવાનો પડકાર જેવો ને તેવો જ રહ્યો છે એમ કહીએ તો ચાલે! અલબત્ત, હવે સાવિત્રીબાઈએ જે સહન કરેલું તે સમય રહ્યો નથી છતાં એક પગલું આગળ અને બે પાછળ તેવો ઘાટ તો છે જ.
સાવિત્રીબાઈની સંઘર્ષયાત્રાનાં તો અનેક પડાવ છતાં સૌથી વધારે સ્પર્શે તે કથાવટ તો ગર્ભવતી સ્ત્રીઓ અને એમનાં બાળકોને બચાવવા માટે એમણે શરૂ કરેલો આશ્રમ જેની શરૂઆત કેમ કરવી પડેલી એ ઘટના વિશે જાણીએ ત્યારે આપણને એ સવાલ થાય કે આપણે કેવા બર્બર સમાજમાં જીવતાં હતાં અને સત્ય જીરવવાની તાકાત હોય તો આજે પણ આપણે કેવી હાલતનો સામનો કરીએ છીએ જ્યાં હજી પણ ગર્ભપાત્ એ જ ઉકેલ છે. મૂળ ઘટના એમ બનેલી કે કાશીબાઈ નામની એક વિધવા સ્ત્રીનો બાજુમાં રહેતા શાસ્ત્રીએ ગેરલાભ ઉઠાવી સંબંધ બાંધેલો જેથી એ બાઈ સગર્ભા થઈ, ગર્ભપાતના અનેક પ્રયાસો છતાં ન થયો એને એક સુંદર દીકરો જન્મ્યો! શાસ્ત્રીએ સંબંધનો ઇન્કાર કર્યો એટલે એ બાઈએ બાળકની હત્યા કરીને એને શાસંત્રી કહેતો તે ઘરના કમ્પાઉન્ડના કૂવામાં ફેંકી દીધું! એ બાઈને બાળહત્યા બદલ આંદામાન ખાતે કાળાપાણીની સજા થઈ! પરિણામે ફૂલે દંપતીએ આશ્રમ સ્થાપી જાહેર કર્યું કે આંદામાનના કાળાપાણીની સજાથી બચવું હોય તો અહીં આવો! દેશભરમાંથી અનેક સ્ત્રીઓ અહીં આવતી અને સાંત્વન સાથે સલામતી મેળવતી. આ વાત ઓગણીસમી સદીના છેલ્લા સમયખંડની (૧૮૫૩) છે.(પાનું:૧૧-૧૨) ત્યાર પછી એકવીસમી સદીનો પચીસ વર્ષનો તબક્કો પૂરો થવામાં હવે બે વર્ષ બાકી છે ત્યારે પણ સવાલ તો છે જ કે આપણો સમાજ બદલાયો છે? એક સાથે બેત્રણ સદીમાં જીવતાં વિવિધ સ્તરનાં લોકોનાં પડકારો અને સંઘર્ષ તો તેવા જ છે! સાવિત્રીબાઈએ પ્લેગમાં કરેલું સેવાકાર્ય અને આપેલી પોતાના જીવની આહુતિની તોલે તો એમને માટે કરેલું કોઈપણ તર્પણ કે પ્રશંસનીય કાર્ય ન જ આવે.
પાના નંબર ૧૨-૧૬-૧૯-૨૧ પર ફૂલે દંપતીના દત્તકપુત્ર ડો. યશવંતના પરિવારની લખાયેલી વિગતો પર ધ્યાન આપવા જેવું છે. અલબત્ત, એનો છેલ્લો ફકરો અને વાક્ય વિચારપ્રેરક જરૂર છે પરંતુ સ્વથી સમષ્ટિ માટે સમર્પિત સમાજસેવકોનિં માન્ય સમજવા માટે પણ અગત્યનું બની રહે છે.
આ ત્રીસેક પાનાંની પુસ્તિકાનું પાનેપાનું અક્ષરસ: ટાંકવાનું મન થાય તેવી અનેક વેધક, સોંસરી, માહિતીપ્રદ અને સાચી વાતો અહીં સંકલિત થઈ છે. આ દંપતી વિશે તો અનેક પુસ્તકો લખાયાં છે.
સુધારાની ચળવળ કરવા માટે પિતાનું ઘર છોડવું પડે એવી પરિસ્થિતિથી લઈ સરકાર સન્માન કરે ત્યાં સુધીની સંઘર્ષસિદ્ધિની અવિરત યાત્રાની ગાથા અહીં ઝિલાયેલી છે ત્યારે સહજ રીતે જ યાદ આવે સુષમા દેશપાંડે અભિનિત મી સાવિત્રીબાઈ ફૂલે એકપાત્રી નાટક અને ગુજરાતીમાં અદિતિ દેસાઈ અભિનિત એ કૃતિ. શિક્ષિત, સર્જક, સ્વભાવે શાંત, ઉદાર, ધીરજવાન, પોતાનું કાર્ય નારીવાદી છે કે નથી, પોતે કઈ વિચારધારાનાં છે તેની કોઈ સભાનતા વગર ફક્ત કર્મ કરવું અને એમ કરતાં કરતાં ફળની આશા વગર જાતને હોમી દેવી એવું ન ભૂતો ન ભવિષ્યતિ જેવું જીવન જીવનારાં સાવિત્રીબાઈ અને જોતીરાવ જેવાં મહામાનવોની આજે આપણને ભરપેટ કદરદાની છે પરંતુ એનું સત્ત્વ અને તત્ત્વ તો ત્યારે જ ઉજાગર થાય જ્યારે આપણે સમાનતામૂલક સમાજનું સર્જન કરવામાં સફળ થઈએ. ગાંધીજીનાં પૂર્વસૂરિઓ (રિપીટ) એવાં મહાત્મા જોતીરાવ (૧૮૨૭-૧૮૯૦) અને સાવિત્રીબાઈ (૧૮૩૧- ૧૮૯૭) વિશે અધિકૃત પુસ્તિકા ઉપલબ્ધ કરાવવા બદલ લેખક-અનુવાદક બન્નેનો આભાર.
આ ડિજિટલ બૂક છે. ડો.વણકર દ્વારા એની પીડીએફ ઉપલબ્ધ થઈ શકે છે. મારી તો માનસશાસ્ત્રી ડોક્ટર વણકરને વિનંતી છે કે તે સમયના સમાજની અને ફૂલેદંપતીનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરે.
( બકુલા ઘાસવાલા )
પ્રાપ્તિ સ્થાન :
પુસ્તિકા માટે અહીં આપનો વોટ્સએપ નંબર કે ઇ મેઇલ જણાવવા વિનંતી.
drgkvankar@yahoo. Com અથવા વોટ્સએપ નંબર 8208541974