કોણે કહ્યું ? – શ્યામ ઠાકોર

By heenaparekh  

બંધ ઘરનાં દ્વાર છે કોણે કહ્યું ?

આંગણું ભેંકાર છે કોણે કહ્યું ?

.

આ હવાની આવ-જાને રોકવા;

ભીંત પણ લાચાર છે કોણે કહ્યું ?

.

સૂર્ય લાખો ઝળહળે છે આજ પણ;

ભીતરે અંધાર છે કોણે કહ્યું ?

.

માર પથ્થર માર તો ફળ આપશે;

ઝાડવું દાતાર છે કોણે કહ્યું ?

.

સાવ ખાલી માર્ગ પર દોડ્યો પવન;

હાથમાં તલવાર છે કોણે કહ્યું !

.

( શ્યામ ઠાકોર )

Share

2 Comments

  1. Posted June 28, 2011 at 6:59 pm | Permalink | Reply

    it’s beautiful poem..by Shyam Thakor.

  2. Posted June 28, 2011 at 10:21 pm | Permalink | Reply

    હાથમાં તલવાર છે…ના ના છોડી દેવામાં વેદના ભારોભાર છે…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME