૭.
હે પ્રભુ,
મને સૂરજમાં પૂરી શ્રદ્ધા છે,
ભલે તે વાદળો પાછળ ઢંકાઈ ગયો હોય.
.
મને બીજના અસ્તિત્વ વિષે
કોઈ શંકા નથી,
ભલે તે જમીન હેઠે
મારાથી અણદીઠું પડ્યું હોય.
.
મારી શ્રદ્ધા હજી પણ અડગ છે,
ભલે મને છેહના અનુભવો થયા હોય.
.
પ્રેમમાં મારો વિશ્વાસ હજી ડગ્યો નથી,
ભલે મને
કેટલીયે વાર જાકારો મળ્યો હોય.
.
અને,
ભલે તારા તરફથી
મને કોઈ અવાજ સાંભળવા ન મળ્યો હોય,
ભલે તું મૌન રહ્યો હોય,
તો પણ
મને તારામાં પૂરી શ્રદ્ધા છે.
.
૮.
હે પ્રભુ,
તું હંમેશા મારો પથદર્શક બની રહેજે.
.
હું એકલે હાથે ઝઝૂમતો હોઉં,
ત્યારેમને પૂરતું બળ આપજે.
.
હું મારી વ્યથા ભોગવતો હોઉં
ત્યારે મને સાંત્વન પૂરું પાડજે.
.
હું નાસીપાસ થઈ જાઉં
ત્યારે મારામાં શ્રદ્ધા પૂરજે.
.
મારે માટે તારા જેવો કોઈ પથદર્શક નથી,
મૂંઝવણકાળમાં મને હંમેશ દિશા ચીંધતો રહેજે.
.
( શૈલા પંડિત )
JUST BEAUTIFUL!!! ONE SHOULD SAY THIS EVERYDAY.
હિનાબેન,
શૈલા પંડિતની દરેક પ્રાર્થનામાં તેણે વ્યક્ત કરેલ ભાવ સરસ અને ઉત્તમ છે, પરંતુ પ્ર્રર્થાના તો હૃદયમાં જેતે સમયે જે ભાવ ઊભરે તે જ કરાય,અને તે ઉત્તમ જ હોય, ઈશ્વર ભાવના ભૂખ્યા હોય છે. કદાચ મૌન પણ પ્રાર્થનાનું એક સ્વરૂપ જ છે.
સુંદર ભાવ સાથેની પ્રાર્થના.