તમારા ગયા પછી – નાઝિર દેખૈયા

દિલને નથી કરાર તમારા ગયા પછી

આંખે છે અશ્રુધાર તમારા ગયા પછી

 .

યત્નો કર્યા હજાર તમારા ગયા પછી

લાગ્યું ન દિલ લગાર તમારા ગયા પછી

 .

વીતી રહ્યો છે એક સરીખો સમય બધો

શું સાંજ, શું સવાર તમારા ગયા પછી

.

ખીલે તો કેમ ખીલે કળી ઉર-ચમન તણી

આવી નથી બહાર તમારા ગયા પછી

 .

મહેફિલ છે એ જ, એ જ સુરા, એ જ જામ છે

ચડતો નથી ખુમાર તમારા ગયા પછી

 .

જીવનનો તાંતણો છે તમારા જ દમ સુધી

તૂટી જશે ધરાર તમારા ગયા પછી

 .

‘નાઝિર’ને છેક ઓશિયાળો ના તમે કરો

કરશે ન કોઈ પ્યાર તમારા ગયા પછી

.

‘નાઝિરનો સાથ છોડી જનારા જરા કહો !

કોને કરે એ પ્યાર તમારા ગયા પછી

 .

( નાઝિર દેખૈયા )

Share this

10 replies on “તમારા ગયા પછી – નાઝિર દેખૈયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.