પથ્થર – હર્ષદ ત્રિવેદી

.

પથ્થર એ મારી કામના ક્યારેય હતી નહિ

પથ્થર એ મારી કામના છે.

કેમ કે તમે આધિપત્યના જોરે બધું જ બંધ કરી દીધું છે.

આપણાં લોહીમાં એકલો અંગારવાયું જ આવનજાવન કરે છે

અંદરની હવા, બહાર નહીં જાય તો ય જગતને નુકસાન નથી.

મને ચિંતા છે બહારની હવા અંદર નથી આવતી તેની.

મને જોઈએ ખુલ્લું આકાશ.

મને જોઈએ ધોમધખતો તાપ.

સૂસવાટે વાતો પવન જોઈએ મને.

મારી તૈયારી કાચઘરમાં દફન થવાની નથી.

આ કાચઘરને અંદરથી તોડે એવો પથ્થર

શોધું છું.

પથ્થર એ મારી કામના છે.

પથ્થર એ મારી કામના ક્યારેય ન હજો.

 .

( હર્ષદ ત્રિવેદી )

2 thoughts on “પથ્થર – હર્ષદ ત્રિવેદી

Leave a reply to અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી Cancel reply