વાજિંત્ર છે – એસ. એસ. રાહી
.
વાજિંત્ર છે, એ મારા હૃદયની પખાજ છે,
આ પ્રેમ એવું દર્દ છે જે લાઈલાજ છે.
.
શું ચાંદનીને યાદ આવ્યો હું પરોઢિયે,
વ્હેલી સવારે દ્વાર પર શેનો અવાજ છે.
.
એમાં તો વ્યક્ત છે મારા તરફનો પ્રેમ,
તારી દીધેલી શાલ એ તારો મિજાજ છે.
.
પરવરદિગારે એના ઉપર સહી કરી દીધી,
મારી ગઝલ એ પાંચ વખતની નમાજ છે.
.
મારા હૃદયમાં તારો દરજ્જો વધી ગયો,
તું પણ ખુદાની જેમ શું બંદાનવાજ છે.
.
(એસ. એસ. રાહી )
ખૂબજ સુંદર શેર સાથેની ગઝલ …!
ખૂબજ સુંદર શેર સાથેની ગઝલ …!
Waah nice one
Waah nice one