કશું નથી – ભરત ભટ્ટ ‘પવન’
.
બારી કે બારણાંઓ ત્યાં હાજર કશું નથી,
બે-ચાર છબીઓ છોડીને અંદર કશું નથી.
.
કોણે લખ્યું છે વાક્ય અદાલતની ભીંત પર ?
કે ‘ત્રાજવું નથી તો બરાબર કશું નથી’.
.
છે રામ ન રહીમ – જગતમાં વિકલ્પ છે,
પણ પ્રેમથી વિશેષ ખરેખર કશું નથી.
.
એવી સભામાં શક્ય છે સૌને જવું પડે,
જ્યાં માનપાન, સ્થાન કે આદર કશું નથી.
.
ઊંડાણના વિષયમાં સ્પર્ધા જો થાય તો,
આંખોની સામે સાત સમંદર કશું નથી.
.
‘શરમાળછે સ્વભાવે’ – બધાનો વહેમ છે,
બાકી ‘પવન’ને કાનો કે માતર કશું નથી.
.
( ભરત ભટ્ટ ‘પવન’ )
Nice.
Nice.
સુંદર અને માર્મિકભાવ સાથેની રચના !
સુંદર અને માર્મિકભાવ સાથેની રચના !