લઘુ કાવ્યો – કરસનદાસ લુહાર

(૧)

ને પ્રસુતા વિશ્વ

આખું થરથર્યું,

હાથમાં પિસ્તોલ સાથે

એક બાળક અવતર્યું !

 .

(૨)

બરાબર તરતાં આવડે

પછી જ

માણસને

ડૂબી મરવાના

વિચારો આવે છે

.

(૩)

મને અડધી રાત્રે

તડકાની તરસ લાગે છે,

અને

બપોરે

મારામાં અંધકારની

ભૂખ જગે છે.

શું કરું ?

 .

(૪)

ચાલી જતી અમાસની

ઝળહળતી પીઠ હું જોતો રહ્યો !

 .

(૫)

બૂચનાં ફૂલો

મેં ઉઘડતાં જોયાં છે

કોઈકની બંધ આંખોમાં !

 .

( કરસનદાસ લુહાર )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.