સૂર્ય આથમવાનાં – ચિનુ મોદી

સૂર્ય આથમવાનાં એંધાણ છે ?

‘હા’ કહેવામાં હવે ક્યાં હાણ છે ?

.

અડફટે આવ્યાં પગેરું એમનાં,

એક જૂની યાદ કચ્ચરઘાણ છે.

 .

જો, સમય અટકી ગયો છે મ્હાડ પર,

ને હજી તો મૂળ ઊંડી ખાણ છે.

 .

કોઈ રીતે મોત નહીં અટકી શકે,

તું હવે છૂટી ગયેલું બાણ છે.

 .

સાવ સોનાની જણસ ‘ઈર્શાદ’ છે,

બોલ, એની કેટલાને જાણ છે ?

 .

( ચિનુ મોદી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.