છોડીને – અશોક ચાવડા ‘બેદિલ’

અવાય તો જ હવે આવ, સાવ છોડીને

હું રાહ જોઉં છું તારો લગાવ છોડીને

.

અનેક વાર તૂટ્યો એનું એક કારણ આ,

મળ્યો ન ક્યાંય અરીસો સ્વભાવ છોડીને

 .

નથી કશુંય નથી માત્ર ધૂળ-ઢેફાં છે,

જઈ શકાતું નથી પણ તળાવ છોડીને

 .

ફરી જનમવું જ પડશે એ વાત નક્કી છે,

કહ્યું તેં અંત સમયમાં : ‘ન જાવ, છોડીને.’

 .

ઉદાસી, આંસુઓ, પીડા, સ્મરણ અલગ ક્યાં છે ?

કુટુંબ એક છે ના જાય ઘાવ છોડીને.

 .

( અશોક ચાવડા ‘બેદિલ’ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.