એનું શું કરીએ – સુરેન્દ્ર કડિયા

કોઈ ખાસ, અતિશય ખાસ બનીને આવે એનું શું કરીએ

કોઈ અજવાળું અજવાસ બનીને આવે એનું શું કરીએ

 .

કોઈ ફૂલ-પરીનું હાસ બનીને આવે એનું શું કરીએ

કોઈ નિત નવો વિશ્વાસ બનીને આવે એનું શું કરીએ

 .

કોઈ પાસ નહિ, ચોપાસ બનીને આવે એનું શું કરીએ

કોઈ લીલું-લીલું ઘાસ બનીને આવે એનું શું કરીએ

 .

કોઈ છૂટ કવિની લઈએ, તો એ માફકસરની હોય ભલા !

પણ જીવન-મૃત્યુ પ્રાસ બનીને આવે એનું શું કરીએ

 .

આ ખળખળ વહેતી આંખો આજે બંધ થવાનું નામ ન લે

કોઈ અંતરનો ઉલ્લાસ બનીને આવે એનું શું કરીએ

 .

( સુરેન્દ્ર કડિયા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.