ચિન્મય શાસ્ત્રી
અમદાવાદના રહેવાસી યુવા કવિ ચિન્મય શાસ્ત્રીનો જન્મ 24 મે 1995ના રોજ બોરીવલી, મુંબઇમાં થયો હતો. (પિતા: તીલક શાસ્ત્રી, માતા: રીટા શાસ્ત્રી). તેમણે ધોરણ- 12 (Commerce) સુધીનો અભ્યાસ અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાંથી 2012માં પુરો કર્યો. ત્યારબાદ 2015માં એન.આર ઈન્સ્ટિટ્યુટ ઑફ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન (GLS) અમદાવાદમાંથી B.B.A ની ડિગ્રી મેળવી. હાલ તેઓ આઇ.સી.એફ.એ.આઇ બિઝનેસ સ્કૂલ (IBS) મુંબઇ ખાતે M.B.Aનો અભ્યાસ કરી રહ્યા છે. 2011માં અમદાવાદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિસદમાં આયોજિત ‘ગઝલ લેખન શીબિર’ માં તેમણે ગઝલના બંધારણ વિશેની તાલીમ મેળવી અને 2012માં એમના કાકા કુમાર જૈમિનિ શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ગઝલસર્જન આરંભ્યુ. અમદાવાદની બુધસભા અને બુધસભાના મિત્રોના સાંનિધ્યએ પણ તેમના સર્જનમાં અગત્યનો ભાગ ભજવેલ છે. 2013માં તેમની ગઝલ પ્રથમ વખત ગુજરાતી કવિતાનાં રુતુપત્ર ‘કવિલોક’ માં સ્થાન પામી. ત્યારબાદ તેમની રચનાઓ અન્ય સામાયિકો જેવા કે કવિતા, ગઝલવિશ્વ, શબ્દાલય,ધબક અને તમન્નામાં સ્થાન પામી.
મો. 7738962819
E-mail ID: chinmay455470@yahoo.com