Skip links

લઘુકાવ્યો-મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

૧.
લોભ

કચરામાંથી
જેને અનાયાસે
હીરો મળી જાય,
એવા લોકો
બીજા હીરાની શોધમાં
જિંદગીભર
કચરો ફેંદતા રહે છે !

૨.
ઘાતક

ઝરણાંને
બંધિયાર થવાનું
વ્યસન લાગુ પડી જાય,
તો પૂરી શક્યતા છે
એને ખાબોચિયાનું
કેન્સર થવાની !

૩.
પ્રકૃતિ

હસતાં-હસતાં વાત સુગંધી
કહે સવારે કળીઓ-
-ફળની અંદર ફૂલ ન હોય,
ન હોય ફૂલમાં ઠળિયો.

( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ )

Leave a comment