લઘુકાવ્યો-મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’
૧.
લોભ
કચરામાંથી
જેને અનાયાસે
હીરો મળી જાય,
એવા લોકો
બીજા હીરાની શોધમાં
જિંદગીભર
કચરો ફેંદતા રહે છે !
૨.
ઘાતક
ઝરણાંને
બંધિયાર થવાનું
વ્યસન લાગુ પડી જાય,
તો પૂરી શક્યતા છે
એને ખાબોચિયાનું
કેન્સર થવાની !
૩.
પ્રકૃતિ
હસતાં-હસતાં વાત સુગંધી
કહે સવારે કળીઓ-
-ફળની અંદર ફૂલ ન હોય,
ન હોય ફૂલમાં ઠળિયો.
( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ )