છોડ તું-ધ્વનિલ પારેખ

તારી ભીતર હોય અવઢવ છોડ તું,

રોજ વધતી જાય સમજણ છોડ તું.

.

પારદર્શક હોય માણસ સારું છે,

બાકી તૂટી જાય સગપણ છોડ તું.

.

સુખનું એવું કોઈએ ઠેકાણું નથી,

એવું જો લાગે તો સુખ પણ છોડ તું.

.

રાત આખી સળગે દીવો શક્ય નાં,

તો પછી ઓ દોસ્ત અવસર છોડ તું.

.

ચોતરફથી છે સવાલો સામટા,

હોય ઉત્તર એક, ઉત્તર છોડ તું.

.

શ્વાસની દુકાન છે, રકઝક ન કર,

આપશે એ ઓછું વળતર, છોડ તું.

.

એક ચહેરો બારી થઈને ઝૂરતો,

આખરે એવું ય વળગણ છોડ તું.

.

( ધ્વનિલ પારેખ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.