.
(૧)
આ
માછલીઓ
એ બીજું કોઈ નથી
પણ પૂર્વજન્મમાં
અવગતે ગયેલી
હોડીઓ જ છે !
.
(૨)
એ સત્ય છે કે :
પાણી વગર,
પાણી બહાર
માછલી તરફડે જ,
પણ…
માછલી વગર
પાણી અંદર
પાણીને તરફડતા
તમે ક્યારેય જોયું છે ?
.
(૩)
આપણે
જે દરિયાનો ઘૂઘવાટ
સાંભળીએ છીએ
એ ખરેખર તો
માછલીના મૌનનો પડઘો છે !
.
( નારાયણ જોશી )