એક મીણબત્તી જરા સળગી અને બુઝાઈ ગઈ,
એમ તારી વાત મારી વાતમાં ખોવાઈ ગઈ.
પથ્થરોમાં જે લખાયા એ શિલાલેખો બન્યા,
નામ શું આપું સ્થળે જ્યાં યાદ તુજ કોરાઈ ગઈ.
ત્યાં ગઝલ એ બહાર આવી હોઠેથી શબ્દોરૂપે,
એક તીણી ચીસ જ્યારે ભીતરે ધરબાઈ ગઈ.
સાચવીને જાળવીને મેં મને રાખી છતાં,
કણકણ બનીને અસ્મિતા મારી જ ત્યાં વેરાઈ ગઈ.
સૂર્યકિરણો સહેજ અડકી ખીલવે કળીને સદા,
પણ કળીનો વાંક શો જ્યાં સવારો કરમાઈ ગઈ.
( મનોજ્ઞા દેસાઈ )