हर तरफ़ तेज़ आँधियाँ रखना-ध्रुव गुप्त

हर तरफ़ तेज़ आँधियाँ रखना
बीच में मेरा आशियाँ रखना

.

धूप छत पर हो, हवा कमरे में
लॉन में शोख़ तितलियाँ रखना

.

चाँद बरसे तसल्लियों की तरह
घर में दो-चार खिड़कियाँ रखना

.

अपनी दुनिया है दिल-फ़रेब बहुत
एक दिल को कहाँ कहाँ रखना

.

तूम रहोगे, जहाँ ज़मीं है तेरी
मैं जहाँ हूँ, मुझे वहाँ रखना

.

लफ़्ज़ मिल जाएँ तो बयाँ होगा
होंट काँपे तो उँगलियाँ रखना

.

बाँह फैले तो तुम को छू आए
फ़ासला इतना दरमियाँ रखना

.

मेरे लफ़्ज़ों में दर्द दे या रब
मेरे मुँह में मेरी जुबाँ रखना

.

( ध्रुव गुप्त )

એમણે તમને કાળું ઘેટું કહી બોલાવ્યા – અજ્ઞાત (અનુ. બકુલા ઘાસવાલા)

They called you the black sheep.

Not because you were wrong — but because you were different.

.

While the herd followed the path without question, you paused. Looked up. Listened to the wind.

And whispered, “There must be another way.”

.

The black sheep doesn’t blend in.

Not because they can’t…

But because they won’t.

.

They’ve seen too many cliffs disguised as traditions. Too many cages called “normal.”

.

So they step out. Alone, maybe. But awake. 🖤✨

They ruffle feathers. Stir waters. Break silence.

And sometimes — they build the bridges the flock never knew it needed.

.

To every black sheep out there:

You are the quiet revolution.

The shift in the pattern.

The wild note in the chorus.

.

You don’t need to fit in.

You were born to stand out — and lead forward. 🖤

.

(Unknown)

.

એમણે તમને કાળું ઘેટું કહી બોલાવ્યા.

એટલા માટે નહીં કે તમે ખોટા હતા – પરંતુ

તમે અલગ અને અનોખા હતા એટલે!

.

જ્યારે ટોળું વગર સવાલે એકમાર્ગી ચાલતું હતું,

તમે થંભી જઈ શ્વાસ લેતા હતા,

આંખો ઉઘાડીને ઉપર જોતા હતા અને પવનની દિશામાં નજર રાખી ગણગણતા હતા,

“બીજો કોઈ રસ્તો જરૂર હશે.”

.

કાળું ઘેટું એમાં સમરસ થયું નહીં.

એટલા માટે નહીં કે એને ન આવડે

પણ એણે થવું ન હતું.

.

કંટાળાજનક બુઝર્વા પરંપરાઓગ્રસ્ત

એમણે ઘણી પથરાળ-કંકર જમીન જોઈ હતી.

ઘણાં પિંજરાઓ સહજપણે જોયાં હતાં.

.

તેથી એઓ થંભી ગયા હતા.

વખતે એકલાં જ, પરંતુ સજાગ અને સચેત.

.

એમણે પાંખો પસારી એને ભીંજવી, પછી

મૌન તોડ્યું.

અને ક્યારેક—એમણે ટોળાંની જાણબહાર

સેતુ બાંધીને ચલાવ્યું

.

દરેક કાળા ઘેટાંથી તમે અલગ રીતે બહાર જઈ:

ટોળામાં જંગલીસૂરે,

નોખી શૈલીથી પરિવર્તિત, 

તમે શાંત ક્રાન્તિકારી બની રહ્યા.

.

તમને એમાં ભળવાની જરૂર જ નો’તી, કારણ

તમે તો જન્મજાત અલગ અને અડગ આગળ વધી સીમા પાર કરી

સુકાન સંભાળનાર.

.

 ( અજ્ઞાત, ગુજરાતી અનુવાદ : બકુલા ઘાસવાલા )

गीत गाते हुए लोग-पार्वती तिर्की

गीत गाते हुए लोग

कभी भीड़ का हिस्सा नहीं हुए

धर्म की ध्वजा उठाए लोगों ने

जब देखा

गीत गाते लोगों को

वे खोजने लगे उनका धर्म

उनकी ध्वजा

अपनी खोज में नाकाम होकर

उन्होंने उन लोगों को जंगली कहा

वे समझ नहीं पाए

कि मनुष्य जंगल का हिस्सा है

जंगली समझे जाने वाले लोगों ने

कभी अपना प्रतिपक्ष नहीं रखा

वे गीत गाते रहे

और कभी भीड़ का हिस्सा नहीं बने।

.

( पार्वती तिर्की )

.

|| ગીત ગાતા લોકો ||
.
ગીત ગાતા લોકો
ક્યારેય ભીડનો હિસ્સો બન્યાં નહીં
ધર્મની ધજાવાળા લોકોએ
જ્યારે જોયાં
ગીત ગાતા લોકોને
એ લોકો શોધવા લાગ્યા એમનો ધર્મ
એમની ધજા
પોતાની શોધમાં નિષ્ફળ ગયા પછી
એમણે એ લોકોને જંગલી કહ્યા
એમને એ સમજાયું નહીં
કે મનુષ્ય જંગલનો જ હિસ્સો છે
જંગલી કહેવાયેલા લોકોએ
ક્યારેય પોતાનો પ્રતિપક્ષ રજૂ ન કર્યો
એ લોકો ગીત ગાતા રહ્યા
અને ક્યારેય ભીડનો હિસ્સો ન બન્યા..
.
( પાર્વતી તિર્કી )
– હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી

फिर उगना-डॉ. पार्वती तिर्की

 

.

झारखंड की आदिवासी बेटी डॉ. पार्वती तिर्की ने रचा साहित्य का इतिहास!

.

झारखंड के गुमला ज़िले से आने वाली डॉ. पार्वती तिर्की को उनके पहले ही कविता संग्रह ‘फिर उगना’ के लिए मिला है साहित्य अकादमी युवा पुरस्कार 2025 — यह सिर्फ एक पुरस्कार नहीं, बल्कि उस आवाज़ का सम्मान है जो आज भी जंगलों, गांवों, लोकगीतों और मिट्टी से जुड़ी हुई है।

.

उनकी कविताओं में आदिवासी संस्कृति का संघर्ष, प्रकृति के साथ तादात्म्य, और आधुनिक जीवन की हलचल के बीच लोक जीवन की जिजीविषा को बेहद सहज, सरल भाषा में सामने लाया गया है।

.

गुमला के एक नवोदय विद्यालय से पढ़ाई शुरू कर उन्होंने बनारस हिंदू विश्वविद्यालय से हिन्दी साहित्य में स्नातक और परास्नातक की पढ़ाई की। फिर वहीं से उन्होंने आदिवासी समुदाय की संस्कृति और गीतों पर पीएचडी की डिग्री प्राप्त की। वे आज रांची विश्वविद्यालय के राम लखन सिंह यादव कॉलेज में सहायक प्राध्यापक के रूप में कार्यरत हैं।

.

उनका पहला कविता-संग्रह ‘फिर उगना’ वर्ष 2023 में राधाकृष्ण प्रकाशन से प्रकाशित हुआ। इस संग्रह को हिन्दी की कई प्रतिष्ठित पत्रिकाओं और समीक्षकों ने नई आवाज़ और ज़रूरी हस्तक्षेप माना है।

.

पार्वती कहती हैं —

.

“मैंने कविताओं के ज़रिए संवाद की कोशिश की है। विविध जनसंस्कृतियों के बीच समझ और विश्वास बने — यही मेरी कोशिश रही है। इस सम्मान से मेरा आत्मविश्वास बढ़ा है।”

.

यह सम्मान न सिर्फ पार्वती का है, बल्कि उन सभी युवाओं का है जो ग्रामीण या आदिवासी पृष्ठभूमि से आते हुए भी, अपनी भाषा, अपनी मिट्टी और अपनी संस्कृति से जुड़े रहकर नए साहित्य की दुनिया बना रहे हैं।

.

राजकमल प्रकाशन के अध्यक्ष अशोक महेश्वरी ने इस उपलब्धि पर कहा —

“पार्वती का लेखन दिखाता है कि परंपरा और आधुनिकता साथ-साथ जी सकती हैं। हिन्दी कविता का भविष्य अब सिर्फ शहरों में नहीं, गांवों और लोक जीवन में भी आकार ले रहा है।”

.

‘फिर उगना’ — एक नई भाषा, नई संवेदना और नई उम्मीद का नाम है।

.

डॉ. पार्वती तिर्की को बहोत बहोत बधाई ।

इक जोड़ा कश्मीर गया था-मन मीत

 

इक जोड़ा कश्मीर गया था

उसमें से बस पत्नी लौटी !

.

घूम रहे थे घाटी घाटी

तैर रहे थे झील में पंछी

हाथ में पंछी आंख में पंछी

आकाशों के नील में पंछी

.

नाव चली थी मद्धिम मद्धिम

और बुलबुले प्रिज्म हुए थे

उन दोनों में प्यार हुआ था

उन दोनों ने हाथ छुए थे

.

साजन को पंछी चुग बैठे

बदली से बस सजनी लौटी !

.

इक जोड़ा कश्मीर गया था

उसमें से बस पत्नी लौटी !

.

कहवे से उठती भापों से

दो लोगों ने चित्र बनाया

अनजाने अपने लोगों को

दो लोगों ने मित्र बनाया

.

कुल्फी खाई दूध जलेबी

पुचके खाए पानी वाले

उन दोनों का जुर्म यही था

उन दोनों ने सपने पाले

.

दिन को लूट गई संध्याएं

लुटी पिटी – सी रजनी लौटी !

.

इक जोड़ा कश्मीर गया था

उसमें से बस पत्नी लौटी !

.

बर्फ़ घाटियां श्वेत वसन की

बुझती थी जब प्यास बदन की

लेकिन कैसा विकट समय है

चाट गईं बंदूक अगन की

.

इक मज़हब का राक्षस सपना

लील गया मंदिर के दीये को

भूल गए जो भी साझा था

भूल गए सब लिए दिए को

.

सांपों को था दूध पिलाया

हम तक अपनी करनी लौटी !

.

इक जोड़ा कश्मीर गया था

उसमें से बस पत्नी लौटी !

.

दो सांसों का मेला उजड़ा

यह वीरानी किसके सर है?

मेरे घर का कब्ज़ा छोड़ो

ये मेरा पुश्तैनी घर है!

.

तुम कश्मीरी धरती छोड़ो

सारा हिंदुस्तान हमारा

अल्लामा इक़बाल को छोड़ो

चीन ओ’ पाकिस्तान हमारा

.

गठजोड़े में आग लग गई

बिना अंगूठी मंगनी लौटी !

.

इक जोड़ा कश्मीर गया था

उसमें से बस पत्नी लौटी !

.

( मन मीत )

યુધ્ધ એ જ કલ્યાણ-એષા દાદાવાળા

 

પૂછયું કલમો પઢતા આવડે છે?

અઝાન બોલતા આવડે છે?

ને પછી પારકી બંદૂકોમાંથી ગોળીઓ વરસાવી…

મોતે પ્રવાસીઓ પાસેથી જિંદગીનો

જઝિયા વેરો ઉઘરાવ્યો…..

હવે તો એક જ ધર્મ,

વીરધર્મ….

યુધ્ધ એ જ ધર્મ…..

નજર સામે હિંદુ પતિને મરતો જોનારી

સુહાગનનો ધર્મ….

આંખો સામે પિતા નામના આકાશને

લોહીલુહાણ થતા જોનારા પુત્રનો ધર્મ…

સૈનિકનો ધર્મ,

નાગરિકનો ધર્મ,

મારો ધર્મ,

તમારો ધર્મ,

એક જ ધર્મ!

મંદિરનો ધર્મ,

મસ્જિદનો ધર્મ,

ગુરુદ્વારાનો ધર્મ,

ચર્ચનો ધર્મ,

એક જ ધર્મ,

વિક્રમ બત્રા, સોમનાથ શર્મા,

અબ્દુલ હમીદ, આલ્બર્ટ એક્કા,

અરદેશીર તારાપોર ને બાનાસિંઘ સરીખા

પરમવીરોનો ધર્મ,

આ દેશનો ધર્મ,

યુધ્ધ એ જ ધર્મ!

ભારતમાતાના લલાટે રકત રેડ્યું

સુહાગનોનાં લલાટેથી સિંદુર ભૂસ્યું,

ફરવા આવેલાને ગોળીએ દીધા

વડાપ્રધાનને સંદેશા દીધા….

મિસાઈલોને પડકાર ફેંક્યા,

વિમાનોને નોતરાં આપ્યા

શક્તિશાળી ગરૂડોને કહો પાંખો ફેલાવે,

હવે આકાશમાંથી સળગતું મોત વરસાવે….

હે દેશવાસીઓ….

વીરહાક પડી છે,

મીણની બત્તીઓને કબાટોમાં પૂરી રાખજો,

શાંતિના પૂતળાંઓને ઘરમાં ખોડી રાખજો,

કહેજો કબૂતરોને કપરો કાળ ભમે છે,

સફેદ હવે આપણા ધ્વજ નહીં

એમના કફનો હશે…

માતાઓ ભારતની હવે રાહ જુએ છે

ભારત માત્ર આદેશની રાહ જુએ છે

હવે ગજવો ઘોર ત્રિકાળ,

મહાભારતના કરો મંડાણ,

અખંડ ભારતનો કરો શંખનાદ,

ભારતમાતાની છે આણ,

“પાર્થ”ને કહો ચડાવે બાણ,

હવે તો,

યુધ્ધ એ જ કલ્યાણ…!!!!

.

( એષા દાદાવાળા )

આત્મજ્ઞાની કવિ – વિપુલ પટેલ

કવિ વિપુલ પટેલ (મૃત્યુ : ૨૧.૦૪.૨૦૨૫)

(1)

આ સૃષ્ટિના લયસ્તરો માં શાંતિ છે,

એ સમયમાં ‘ હું ‘બોઝલ થાય છે

એ બે ભ્રમર વચ્ચે સ્થિર થાય છે

ત્યારે જ

ત્યાં એક બાળક સતત રમત રમે છે

એ અંધકાર સાથે દોડે છે

એ પ્રકાશના કિરણોના પ્રવાહમાં

એક બુદ્ધનું બિન્દુ ખોળે છે

અંતે એ બિન્દુની ભીતર પ્રવેશ કરે છે

એ પ્રવેશદ્વાર જ છે,

ત્યાં જ એક આંખ દેખાય છે

ચેતનાની આંખ એ જ દાર્શનિક આંખ

એ તમારા કર્મો સાથે માયાળુ બની

માયા બજારમાં ફરે છે

પણ

એ કશું ખરીદતો નથી

કારણ દ્રષ્ટા છે

.

(2)

એ બાળક હવે કિશોર અવસ્થામાં પહોંચે છે

એના દેહમાં ફેરફારો થાય છે

એના ‘હું ‘ માં ફેરફાર થાય છે

એ માતા પાસે શક્તિ માંગે છે

એ ટનલમાં પ્રવેશે છે

ત્યાં આગના અંગારા છે

એક લાંબી મજલ કાપી બ્હાર નીકળે છે

એટલે જ

હિમાલય જેવો અદ્દલ હિમ આલય દેખાય છે

ત્યાં બાવન વીરો ખડગ લઈને બેઠા છે પણ

એ મૌન અને અડગ પગલે આગળના આગળ વધે જ છે,

એ સફેદ તળાવના કિનારે આવે છે,

એ તળાવમાં એક મુખાકૃતિ આવે છે

અને

એ કહે છે ‘તું ‘ કોણ ?

ભીતરથી એક અવાજ આવે છે

રાવણ – અહિર્ રાવણ

એ સફેદ તળાવમાં ન્હાય છે

એ મનના સરોવરમાં મનનો મેલ ખાલી કરી

સાચેજ પેલા માન સરોવર જેમ

હવે એ અનેક સૂર્ય કિરણો નિહાળે છે

એ જ હિરણ્યાકક્ષ , હિરણ્યકશિપુ કે હિરણ્યગર્ભ જેવા હંસો જેવા દેખાય છે પણ

એ બગલા ભગત છે

એટલે

એ અડગ મનથી

બસ ચાલે છે…

બસ ચાલે છે….

એ જ વખતે એના પાસે અદ્રશ્ય લાકડી આવે છે

એ લાકડી હિમશિલામાં ડગે છે,

એ પેલા મેરુદંડ જેમ જ છે છતાંય

એ યુવાન ચાલે જ છે …..

એ ચાલે જ છે

.

(3)

હવે એ વૃદ્ધ થવાની તૈયારીમાં છે

એના વાળ સફેદ થયા છે

બરફવર્ષા અને બરફના ઢગલા અઢળક થાય છે

રસ્તામાં અઢળક દેવો મળે છે

એ દર્શન કરે છે

અંતે અંતિમ પડાવ આવે છે

એ અવસ્થામાં કલ્પનો ભયભીત છે

ગાત્રો થીજવી દે છે

આપણા એ જ કર્મો , કૃત્યો

ભયાનક રાક્ષસ બની આવે છે સામે

પંચાયતન દેવો ત્યારે જ પુજારી બની આવે છે

અને

પરિક્ષા કરવા કહે છે

એ કહે છે !

તમારા ઈષ્ટ દેવતાની પુજા કરો અને

સમર્પણ કરો

એ વૃદ્ધ મનના ખિસ્સામાંથી બધું જ ખાલી કરે છે

બસ ખાલી કરે છે….. ખાલી કરે છે….

(૪)

હદય સ્ફુરણાની અનુભૂતિ કરે છે

અંતે એક પ્રકાશપુંજ દેખાય છે

એક દિવ્ય જયોતિ બ્હાર ભીતર

એક જ

એક

ચિદાનંદ રુપમાં હદય બોલે છે

શિવોહમ્…..શિવોહમ્……શિવોહમ

ત્યાં જ એ મુક્તિ નારાયણના વૃદ્ધ દર્શન કરે છે અને

“અમે….. અમે ……અમે”

ત્યાં પેલો અવાજ હજુય હદયમાં ગુંજે છે

અતઃ કવિર્નામસ

.

( વિપુલ પટેલ )

 

એક અનોખા શબ્દ સાધક…જેમણે મૃત્યુદેવ સાથે જીવતેજીવત સતત સત્સંગ કર્યો એવા કવિશ્રી વિપુલ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ

સુંદરકાંડ – કેતન સ્પર્શ

 

શ્રી તુલસીદાસ રચિત સુંદરકાંડ સમજવાથી અને ચિંતન કરવાથી હનુમાનજી કેમ આટલા નિર્ભય છે એ સમજાય છે.
.
આ નિર્ભયતાનું રહસ્ય સમજવા માટે એ પ્રસંગની વાત કરીએ જ્યારે હનુમાનજીને અશોકવાટિકામાં રાક્ષસોના અને રાવણપુત્ર અક્ષયકુમારના વધ બાદ બાંધીને રજૂ કરવામાં આવે છે.
.
જ્યારે હનુમાનજી દશમુખની સભામાં જાય છે ત્યારે એ સભા કેટલી વૈભવશાળી છે એનું વર્ણન આવે છે. સભા વૈભવશાળી તો છે જ પણ સાથે સાથે ભય ઉપજાવે એવી પણ છે કારણ કે રાવણે બંદી બનાવેલા દેવો અને દિગપાલો ભયભીત થઈને, હાથ જોડીને, વિનંતિ કરતા રાવણની ભ્રકુટી જોઈ રહ્યા હોય છે. જ્યાં દેવો અને દિગપાલો જ આમ બીતા બીતા ઉભા હોય તો અપરાધી તરીકે રજૂ કરાતા વ્યક્તિને આ જોઈને કેવી બીક લાગે?
दसमुख सभा दीखि कपि जाई।
कहि न जाइ कछु अति प्रभुताई।।
कर जोरें सुर दिसिप बिनीता।
भृकुटि बिलोकत सकल सभीता।।
देखि प्रताप न कपि मन संका।
जिमि अहिगन महुँ गरुड़ असंका।।
.
પણ શત્રુનું આવુ વૈભવશાળી, ભયજનક દ્રશ્ય જોઈને પણ હનુમાનજીના મનમાં લેશમાત્ર ભય નથી. જેમ સાપોની વચ્ચે ગરુડ નિર્ભય થઈને ઉભો હોય છે એમ હનુમાનજી સભા સામે પૂરી નિર્ભયતાથી ઉભા રહે છે. આગળ રાવણ સાથેના સંવાદમાં હનુમાનજી આ નિર્ભયતાનું રહસ્ય જણાવે છે.
.
હનુમાનજીને આમ નિર્ભય જોઈને રાવણને બળતરા થાય છે. રાવણ હનુમાનજીને ત્રણ પ્રશ્નો પૂછે છે.
.
1. આ તે શું કૃત્ય કર્યું? કોના બળે અશોકવાટિકા ઉજ્જડ કરી? ( કોના દમ પર આટલું કૂદે છે એ અર્થમાં 😄)
2. તે તારા કાનથી મારી ધાક વિશે સાંભળ્યું નથી, તે આમ નિર્ભય થઈને મારી સામે ઉભો છે?
3. તે રાક્ષસોને કયા અપરાધના કારણે મારી નાખ્યા, શુ તને તારા પ્રાણની ચિંતા નથી?
कह लंकेस कवन तैं कीसा।
केहिं के बल घालेहि बन खीसा।।
की धौं श्रवन सुनेहि नहिं मोही।
देखउँ अति असंक सठ तोही।।
मारे निसिचर केहिं अपराधा।
कहु सठ तोहि न प्रान कइ बाधा।।
હનુમાનજી એક પછી એક ત્રણેય પ્રશ્નોના ઉત્તર આપે છે. પહેલા પ્રશ્નના ઉત્તરમાં જ હનુમાનજીની નિર્ભયતાનું રહસ્ય છુપાયેલું છે.
હનુમાનજી જવાબ આપવાનું શરૂ કરે છે.
.
1.સંભાળ રાવણ, જેણે આ બ્રહ્માંડ બનાવ્યું છે, જેના બળે માયા વિચરણ કરે છે, જેના બળે બ્રહ્મા,વિષ્ણુ, મહેશ સર્જન,પાલન અને સંહાર કરે છે, જેના બળે સહસ્ત્રમુખ (શેષનાગ) પર્વતો-વનો સહિત બ્રહ્માંડ પોતાના શિષ પર ધારણ કરે છે, જે દેવતાઓના રક્ષણ માટે વિવિધ દેહ ધારણ કરીને તારા જેવા મૂર્ખાઓને પાઠ ભણાવે છે, ઈવન તે પણ ચરાચર જેના બળના લેશમાત્ર અંશથી જ જીત્યુ છે, જેણે મહાદેવનું કોદંડ ધનુષ્ય તોડતાની સાથે જ બધા ય રાજાઓનું અભિમાન તોડી નાખ્યું, જેણે ખર,દુષણ,ત્રીસરા અને બાલી જેવા અતુલ્ય બળવાનોનો વધ કર્યો, એના બળે રાવણ, એના બળે તારી અશોકવાટિકા ઉજ્જડ કરી નાખી. ને હું એનો જ દૂત છું જેની સ્ત્રીને તું અપહરણ કરીને લઈ આવ્યો છે.
.
सुन रावन ब्रह्मांड निकाया।
पाइ जासु बल बिरचित माया।।
जाकें बल बिरंचि हरि ईसा।
पालत सृजत हरत दससीसा।
जा बल सीस धरत सहसानन।
अंडकोस समेत गिरि कानन।।
धरइ जो बिबिध देह सुरत्राता।
तुम्ह ते सठन्ह सिखावनु दाता।
हर कोदंड कठिन जेहि भंजा।
तेहि समेत नृप दल मद गंजा।।
खर दूषन त्रिसिरा अरु बाली।
बधे सकल अतुलित बलसाली।।
दो0-जाके बल लवलेस तें जितेहु चराचर झारि।
तासु दूत मैं जा करि हरि आनेहु प्रिय नारि।।21।।
.
આહાહા!!!! શું ઉત્તર આપ્યો છે બાકી કેસરીનંદને. એક્ઝેટલી આ જવાબમાં હનુમાનજીની નિર્ભયતાનું સમગ્ર રહસ્ય છે.
.
આપણે ય જો પ્રભુ શ્રી રામના બળે બધું કરીએ તો હનુમાનજી જેવી નિર્ભયતા પ્રાપ્ત કરી શકીએ પણ એના માટે મારુતિ જેવી તન,મન,ધનથી સમર્પિત ભક્તિ કરવી પડે પછી નિર્ભયતા સહજતાથી પ્રાપ્ત થાય છે. સમર્પિત ભક્તિ જ પ્રોસેસ હોય તો નિર્ભયતા બાય પ્રોડક્ટ તરીકે મળે છે. બાય પ્રોડક્ટ એટલે કારણ કે મેઈન પ્રોડક્ટ તો તુરિય અવસ્થામાં પ્રાપ્ત થતો અવર્ણનિય આનંદ અને પ્રભુ સાથે એકાત્મતાની અનુભૂતિ છે.
.
તો મિત્રો હંમેશા સ્મરણમાં રાખજો કે આપણા જીવનમાં ય આવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે જ્યાં શત્રુ રાવણની જેમ ખૂબ પહોંચેલો હોય, શક્તિશાળી લોકો એને હાથ જોડીને વિનંતી કરતા હોય ત્યારે તો હનુમાનજી જેવી રામકૃપા પ્રાપ્ત કરી હશે તો ચોક્કસ તમે ના માત્ર શત્રુની વાટીકા ઉજાડી આવા સૌ સાપ જેવા લોકોની વચ્ચે ગરુડની જેમ નિર્ભય થઈને ઉભા રહેશો પરંતુ આખો સુંદરકાંડ કરીને આવશો, શત્રુની લંકા ભડકે બાળીને આવશો. બસ મેં આ પહેલા જવાબમાં છુપાયેલું રહસ્ય ઉજાગર કરવા જ પોસ્ટ લખી હતી પણ બીજા બે પ્રશ્નોના જવાબ પણ જાણી લો.
.
2. હું તારો વૈભવ ને તારી ધાક જાણું છું. તું સહસ્ત્રબાહુ સાથે લડ્યો છે,બાલી સાથે યુદ્ધ કરીને તું યશ પામ્યો છે.
ત્રીજો જવાબ થોડો ઉડાઉ રીતે આપે છે.
.
3. મને ભૂખ લાગી’તી. ને હું તો છું જ વાનર તો સહજ સ્વભાવવશ ઝાડ તોડ્યા. સૌને પોતાનો દેહ (પ્રાણના અર્થમાં) વહાલો જ હોય પણ એ કુમાર્ગે ચડેલા રાક્ષસોએ મને માર્યો, એટલે મેં એમને મારી નાખ્યા. 😁
.
जानउँ मैं तुम्हारि प्रभुताई।
सहसबाहु सन परी लराई।।
समर बालि सन करि जसु पावा।
सुनि कपि बचन बिहसि बिहरावा।।
खायउँ फल प्रभु लागी भूँखा।
कपि सुभाव तें तोरेउँ रूखा।।
सब कें देह परम प्रिय स्वामी।
मारहिं मोहि कुमारग गामी।।
जिन्ह मोहि मारा ते मैं मारे।
तेहि पर बाँधेउ तनयँ तुम्हारे।।
.
આ ઉત્તર પછી તેઓ સીતાજીને મુક્ત કરવા માટે રાવણને હાથ જોડીને વિનંતી કરતા સમજાવે છે કે તું કેટલા ઊત્તમ કુળમાં જન્મ્યો એનો વિચાર કર અને જે ભક્તોના ભય હરી લે છે એને ભજ. પછી ચેતવણી પણ આપે છે કે જેના ભયથી કાળ પણ ભય પામતો હોય, જેણે દેવ-અસુર અને ચરાચર પોતાનામાં સમાવેલું હોય એની જોડે વેર ના કરાય . એમ પણ કહે છે કે પ્રભુ કરુણાનો સાગર છે, હજી પ્રભુની શરણમાં જતો રહે તો પ્રભુ તારા બધા અપરાધો માફ કરીને એમની શરણમાં લઈ લેશે. એટલે જ આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ હનુમાનજીને બેસ્ટ ડિપ્લોમેટ કહે છે.
.
बिनती करउँ जोरि कर रावन।
सुनहु मान तजि मोर सिखावन।।
देखहु तुम्ह निज कुलहि बिचारी।
भ्रम तजि भजहु भगत भय हारी।।
जाकें डर अति काल डेराई।
जो सुर असुर चराचर खाई।।
तासों बयरु कबहुँ नहिं कीजै।
मोरे कहें जानकी दीजै।।
दो0-प्रनतपाल रघुनायक करुना सिंधु खरारि।
गएँ सरन प्रभु राखिहैं तव अपराध बिसारि।।22।।
.
આ પ્રસંગ પહેલા હનુમાનજી કઈ રીતે અશોકવાટિકા ઉજાડે છે, કઈ રીતે રાક્ષસોને મારે છે. એ પણ અભ્યાસ કરવા જેવું છે. પછી સમજાઈ જાય કે હનુમાનજી માત્ર ભક્તિ જ નથી કરતા, ભક્તિની સાથે સાથે તેઓ વ્યાયામ, શારીરિક સૌષ્ઠવ અને યુદ્ધકૌશલ્યમાં પણ નિપુણ છે. ના કરે નારાયણ પણ સંજોગોવશાત સુંદરકાંડ કરવો જ પડે એમ હોય તો ભક્તિની સાથે સાથે એવા ગુણો પ્રાપ્ત કરવા ય આવશ્યક છે. મંજીરા ને કરતાલ લઈને સુંદરકાંડ નથી થતો. ગદા ધારણ કરીને સુંદરકાંડ થાય છે. એના માટે ગદા ઊંચકવા સક્ષમ થવું પડે, એના પ્રયોગ કરી શકીએ એવી નિપુણતા ય પ્રાપ્ત કરવી પડે ને અગેઇન, એના માટે વ્યાયામ તો કરવો જ પડે. તો સુંદરકાંડ કરવા ઇચ્છુક ભાવિક ભક્તો કાલથી જ લંગોટ બાંધીને અથવા સ્પોર્ટર પહેરીને પહેલવાન બનવાનું શરૂ કરી દો.
.
મિત્રો, શ્રી તુલસીદાસકૃત રામચરિત સમજવા બેસો તો બહુ સરળતાથી એક એક શબ્દ સમજાઈ જાય કારણ કે એ સંસ્કૃત નહિ પણ અવધી ભષામાં લખાયું છે. જેમ ગુર્જરી સંસ્કૃતની ભગિનીભાષા છે એમ જ અવધી પણ ભગિની ભાષા જ છે. ખાલી, વિભક્તિઓ થોડી અલગ રીતે હોય છે જેમ કે ‘જનકસુતા કે “ચરનન્હિ” પરી’ અહીં ચરનન્હિનો અર્થ ચરણમાં છે, જનકપુત્રીના ચરણમાં પડી.અહિ ‘ન્હિ’ નો અર્થ છે ‘માં’. આજ રીતે ‘બ્રહ્મબાન કપિ ‘કહું’ તેહી મારા’માં ‘કહું’નો અર્થ છે ‘ને’. તેણે ‘કપિને’ બ્રહ્મબાણ માર્યું. ઓનલાઈન ઘણા સોર્સ ઉપલબ્ધ છે શ્રી તુલસીદાસકૃત રામચરિતમાનસ સમજવા માટે.
.
રામચરિતમાનસમાં શ્રી તુલસીદાસે એક પ્રસંગને ચાર પાંચ ચોપાઈમાં સમજાવીને પછીના દોહામાં કન્કલુડ્ કરી લીધો છે.
.
તુલસીદાસજીનું રામાયણ જાણે કે ફાસ્ટ ફોરવર્ડ છે જ્યારે શ્રી વાલ્મિકીજીનું રામાયણ અતિ ઊંડાણપૂર્વકનું છે. જાણે કે સ્લો મોશનમાં રામાયણ ચાલી રહી હોય. જેમ કે તુલસીદાસ બે ચોપાઈમાં તો હનુમાનજીને લંકા તરફ કૂદકો મરાવી દે છે એ જ વાત વાલ્મિકીજીએ કદાચ દસ-પંદર શ્લોકમાં કરી છે. બંનેનો પોતપોતાનો આનંદ છે.
.
જય સિયારામ.
.
( કેતન ‘સ્પર્શ’ )

ભૂમિજન: મહેરાં વગરના ચહેરા-વિનોદ કોન્ટ્રાક્ટર (આસ્વાદ : બકુલાબેન ઘાસવાલા)

 

ભૂમિજન: મહેરાં વગરના ચહેરા

લેખક:તસવીરકાર-અનુવાદક

ડો. હર્ષ દહેજીઆ, વિનોદ કોન્ટ્રાક્ટર, ડો. બિપિન પટેલ

.

ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં લોકજીવન અને લોકકલા-ગીતસંગીતનું સ્થાન આગવું છે. એમાં પણ રંગોળી,લગ્નગીતો, સાજશણગાર વિશિષ્ટ. ઘરમાં શુભ અવસર આવે એટલે ગૃહરાજ્ઞીનું ગળું ગહેકે. એને દેવ-દેવીઓ, સગાંવહાલાં અને મોસાળિયાં યાદ આવે સાથોસાથ જોષીડો, સુખડિયો, માળીડો, કુંભાર, કાપડિયો, દરજીડો, કરિયાણો, રંગારો, ચૂડગર, સોનીડો વીરો યાદ આવે. લગ્ન કે જનોઈ ગીતમાં એમને નોતરાં મોકલે એટલું જ નહીં પણ વીનવે કે વહેલેરા-વેળાસર આવી રહેજો, તમારી જરૂર છે અને કામમાં મદદ કરજો. ભારતીય સાંસ્કૃતિક જીવન ખેતી, વરસાદ અને ઋતુઓ સાથે સંલગ્ન એટલે અહીં ‘ભૂમિજન-આમઆદમી’ નું મહત્ત્વ વિશેષ. આ ભૂમિજનનો ચહેરો મહોરાં વગરનો! એણે કાંઈ છુપાવવાનું હોય નહીં એટલે એનો ચહેરો બોલકો, આંખો એવી ભાવસભર કે કંઈક કહેવા ઉત્સુક અને ઓષ્ઠદ્વય સ્મિતે મઢેલાં. કાન સરવા અને નાક કોઈપણ પીમળ પારખવામાં અવ્વલ! એવડો એ જણ-ભૂમિજન અને જણી-ભૂમિજા કામે લાગ્યાં હોય ત્યારે ધ્યાનમગ્ન ઋષિ અને ઋષિકા! આવા માનવીઓથી રળિયાત ભારતભૂમિમાં અપાર વૈવિધ્ય! ‘અનેકતામાં એકતા’ અને ‘વસુધૈવ કુટુમ્બકમ્’,‘જે પિંડમાં તે જ બ્રહ્માંડમાં’ની વિભાવના ગળથૂથીમાં. આહાર, વેશ, ભાષા-બોલી, ગીત-સંગીત/નૃત્ય, પરંપરાનું વૈવિધ્ય અપાર. ભારતીય સંસ્કૃતિ લીલીછમ અને મીલીઝૂલી છે. અહીં અનેક સંસ્કૃતિઓનો સમન્વય થયો છે. ભારતીયો માટે નદી માતા અને સમુદ્ર પિતા. સહનાવવતુ….. ના પાઠ લોહીમાં વણાયેલા એવી આ ભારતભૂમિના ભૂમિજન-ભૂમિજાની વિવિધ ભૂમિકાને કચકડે મઢીને મહોરાં વગરના ચહેરાને ઉજાગર કરવાનું બીડું ડો. હર્ષ દહેજીઆ, ડો.બિપિન મહેતા અને ભાઈ વિનોદ કોન્ટ્રેક્ટરે ઝડપ્યું અને ભાતીગળ કસબથી રંગેચંગે પાર પાડ્યું. આ પુસ્તકમાં મારો પણ એક લેખ છે જેનું શીર્ષક છે,’ મહોરાં વગરના ચહેરા.’

.

આ પુસ્તકમાં હકુભાઈ શાહ, પાર્થિવ શાહ, પરમાનંદ દલવાડી, રાજેશ વોરા, જ્યોતિ ભટ્ટ, સ્ટિવન હ્યુલર, વિનોદભાઈ કોન્ટ્રાક્ટરે લીધેલી તસવીરો છે. આ તસવીરકારો પાસે જે દૃષ્ટિ છે તેમાં ફોટોગ્રાફીની કલાત્મકતા વિશે ચર્ચા માટે મારી પહોંચ કદાચ ઓછી પડે પરંતુ હર્ષભાઈએ જે રીતે એને મૂલવી છે, બિપિનભાઈએ અનુવાદો કર્યાં છે તે કારણે દરેક સમયે તસવીરો જોઈએ ત્યારે એની વિશિષ્ટ ખૂબીઓ નજરે ચડે. ૧૧૯ પૃષ્ઠોમાં સમાવિષ્ટ વિવિધ તસવીરોમાં દૃશ્યાંકિત પાત્રો સાવ સામાન્ય તળજમીની લોકોના લાગે પરંતુ જ્યારે એ કેમેરામાં ઝિલાયેલા નજરે ચડે કે અદ્ ભુત શબ્દ સરી પડે! વિવિધ રંગો, આભૂષણો, લીંપણ-ઓકળી, નિરાંતના જીવે બીડી કે ચલમ ફૂંકતા શ્રમજીવીઓ, સાધુઓ કે નેજવે જોતી મોં પર અસંખ્ય કરચલીઓ ધરાવતી માવડી કે જેની એક એક કરચલી એનાં સુખદુ:ખની સાખ પૂરે, વાલીડાની રાહ જોતી પ્રિયતમા કેટકેટલી તસવીરો અહીં પ્રસ્તુત છે, કોની કઈ તસવીર છે એ પુસ્તકમાં સ્પષ્ટ છે છતાં આ લેખમાં કદાચ ભેળસેળ થઈ જાય એટલે મને ગમી તે મૂકી છે પરંતુ તસવીરકારનું નામ આપવામાં ભૂલ થઈ હોય તો દરગુજર કરવા વિનંતી. હર્ષભાઈ અંગ્રેજી ગદ્યમાં મઢે પરંતુ લાગે સુવાંગ પદ્ય તેની મજાની અનુભૂતિ તો પુસ્તક માણીએ ત્યારે જ કરી શકાય. આ તસવીરોમાં કેટલીક જોતાં જોતાં યાદ આવે કવિ મણિલાલ દેસાઈની રચના ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના, તો છાણ સાથે કામ પાર પાડતી સ્ત્રીના હાથોમાં સમાયેલી કલાની યાદ આપતી વાર્તા ‘ઓળીપો’(લેખકનું નામ હમણાં યાદ આવતું નથી.)એક થાળીમાંથી ખાતાં ભાંડરડાંને જોઈને તો મને મારું બાળપણ યાદ આવી ગયું કે અમે ખાધેપીધે સુખી છતાં વહેંચીને જ ખાવું એ પાઠ અમને ઈરા બરાબર ભણાવતી અને ખાસ તો કેરી, શિંગોડા અને એન.સી.સી. પ્રેક્ટિસમાંથી મળતી ક્રીમવાળી બિસ્કીટ. ત્યાર નો પરિચિત લોકબોલીનો વાક્યપ્રયોગ હતો,”તારે હારું મૂકી છાણેલું છે.” એટલે કે તારે માટે ખાસ સંતાડીને રાખેલું છે!

.

હર્ષભાઈનું અંગ્રેજી ગદ્ય સીધુંસાદુ આલેખન નથી પરંતુ શબ્દેશબ્દ પદ્ય છે એટલે હું કહીશ કે એ ગદ્યમાં પદ્ય છે. એ અંગ્રેજી વર્ણનની કાવ્યાત્મકતાને મેં મારી રીતે ગુજરાતીમાં મૂકી જે અહીં પ્રસ્તુત છે.

.

(૧)

આ કરચલિયાળાં મુખારવિંદની એક એક રેખા

યાદોના વનરાવનની શાખ પૂરે છે.

દરેક બિંદુ દુ:ખોની ભરમારની ચાડી ખાય છે છતાં

કાંઈ હું મારી નજર સામે વિચરતી

દુનિયાને હસી કાઢતાં રોકાવાની નથી.

લોકને ક્યાં ખબર છે કે સહન કરીને સ્મિત કરવું

એટલે શું?

.

where wrinkles are filled with memories

every spot speaks of days of penury

but that does not prevent me from

smiling at the world that passes by

do they know what it is to suffer and yet smile?

.

(૨)

એનું ઝગમગતું વસ્ત્રપરિધાન બોલકુ છે

જેનો પીતાંબરી રંગ એની અભિલાષાની

અભિવ્યક્તિ છે

ઓઢણીનો લાલ રંગ એની પવિત્રતાનું પ્રતીક છે.

આંખોમાં પ્રેમની તરસ છે

એનાં સાજશણગાર એનાં સૌંદર્યને ઉજાગર કરે છે.

.

The bright colours of her attire speak

the yellow of her desires

the red of her of her purity

in her eyes the expectation of love

her adornments enhancing her beauty.

.

હજી તૃણમૂળ કે મૂળસોતાં ક્ષેત્રે ભૂમિજનો અને ભૂમિજાઓ જડે છે અને પોતપોતાના કર્મને આધીન ભૂમિકા ભજવે છે એટલે ક્યાંક સારપની આશા જાગે છે. અલબત્ત, આધુનિકતાની હોડમાં કેટલુંક અદૃશ્ય થઈ રહ્યું છે તો પ્રસંગોપાત્ત સાંસ્કૃતિક વારસાઈના સંગોપન માટે પોતાની બોલી, ખાણી-પીણી,પહેરવેશ, તહેવાર, રીતરિવાજો-પરંપરાનું જતન કરવાનો ટ્રેન્ડ પણ દેખાઈ રહ્યો છે. આશા તો છે કે માનવજાત ફરીથી પ્રકૃતિ તરફ વળશે. માનવતાની દુહાઈ ગાશે અને સાચા અર્થમાં વિશ્વમાનવની પરિકલ્પના સાકાર કરશે ત્યારે મહોરાં વગરના ભૂમિજન-ભૂમિજાનો વૈવિધ્યસભર છતાં સમાનતામૂલક ચહેરો વધારે દેદીપ્યમાન બનીને તેજોમય પૃથ્વીનું સર્જન કરશે……

.

ખાસ આભાર: નિવાસી તંત્રી : વિકાસ ઉપાધ્યાય.

.

ખાસ નોંધ: આ કાર્યક્રમનું લોકાર્પણ વિનોદભાઈના અમૃત મહોત્સવ અવસરે થયેલું, અશ્વિનભાઈ સોમપુરા અને વિનોદભાઈના અન્ય જાણીતાં તસવીરકાર મિત્રો સહભાગી થયેલા. અલ્પાએ સરસ સંચાલન કરેલું ઉપરાંત વિનોદભાઈ-જયશ્રીબહેન અને સ્વજનોનાં મોકળાશભર્યા નૃત્યો, હર્ષભાઈ-સુધાબહેન દહેજીઆ , દીદી-બિપિનભાઈ અને મિત્રો-સ્વજનો તથા અમન લેખડિયા અને સંગત કરનારાના કારણે કાર્યક્રમની મજા બેવડાઈ ગયેલી.

.

( બકુલા ઘાસવાલા )

अब कुछ नहीं कहना-मन मीत

अब कुछ नहीं कहना
दिमाग़ सुन्न पड़ चुका है
और मेरी दो अंगुलियों और अंगूठे का ख़तना हो चुका है
जिनसे मैं कलम पकड़ता हूँ
नहीं !
मैं नरेंद्र मोदी को नहीं जानता
मैं अमित शाह को भी नहीं जानता
मैं ममता बैनर्जी को भी नहीं जानता
लेकिन मैं उन करोड़ों लोगों को जानता हूँ
जो अग्नि पूजक यानी हिन्दू कहलाते हैं
लेकिन आज जब घर में आग लगी है
तो वे चुल्लू भर पानी में डूब कर मर चुके हैं
अकेला किस किस से लडूंगा मैं
अगर आज कोई मेरा धर्म परिवर्तन करवाना चाहे
तो मुझमें इतनी हिम्मत नहीं है
कि मैं खौलते हुए तेल में बैठ जाऊं
या अपनी ज़िंदा चमड़ी खींचने दूं
या दीवार में चुनवा दिया जाऊं तो डरकर अल्लाह हू अकबर नहीं कहूं
मेरे ऋषि मुनि मर गए हैं
मेरी लड़ाका जातियां शराब और कबाब और शबाब में डूबी हैं
मेरे नागा साधु हिमालय में छिपे बैठे हैं
मेरी चुनी हुई सरकार ईदी बांट रही है
यह छोटा सा धड़कता हुआ दिल
अब मेरे काबू में नहीं है
मैं इसे भगत सिंह बनकर
लोकसभा के ख़ाली इलाके में बम की तरह फोड़ देना चाहता हूँ
लेकिन मुझे डर है
इससे मेरे परिवार को भयानक यातना सहनी होगी
कोई नहीं है मेरे साथ
मेरे साथ मेरा देश नहीं है
एक भी आदमी नहीं है मेरे साथ
भगवा झंडा लहराते हुए कायरों को मैं
आदमियों की श्रेणी में नहीं रखता
मैं
एक गड्ढा खोदना चाहता हूँ
और उसमें जीवित समाधि ले लेना चाहता हूँ
लेकिन उसमें भी एक पेंच है श्रीमान –
कहीं वह वक़्फ़ की ज़मीन हुई तो ?
अभी कुछ दिनों पहले
मैं रामदेवरा (रुणिचा) यानी बीकानेर बाबा रामदेव के यहां सर झुकाने गया था
वहां एक तलवार बेचने वाले के पास जैसे ही मैं ठहरा
मेरे रिश्तेदार ने मुझे टोक दिया :
“जब सरकार अपनी है तो तलवार की ज़रूरत ही क्या है ?”
कितना विश्वास था मेरे रिश्तेदार की आंखों में
और आज मैं उस विश्वास को अपनी आंखों से टूटता हुआ देख रहा हूँ !
मैं जानता हूँ
यह कविता लंबी हो गई है
मैं जानता हूँ
यह कविता है ही नहीं
लेकिन कविता तो कुमार अंबुज भी लिखता है और आलोक धन्वा और विष्णु नागर और अविनाश मिश्र भी
जब कवियों के नाम पर इतना कूड़ा पहले से जमा है
तो मैं नया कूड़ा क्यों जमा करूं ?
क्षमा श्रीमान क्षमा !
लेकिन मैं फिर से उसी बात पर आता हूँ
और चीख-चीख कर कहता हूँ
अब कुछ नहीं कहना
दिमाग़ सुन्न पड़ चुका है
और मेरी दो अंगुलियों और अंगूठे का खतना हो चुका है
जिनसे मैं कलम पकड़ता हूँ !
.
( मन मीत )