Happy Birthday Osho-મુર્તઝા પટેલ

“ઓશો ! ક્યારેય જન્મ્યો નથી, ક્યારેય મર્યો નથી. એ તો ફક્ત પૃથ્વી નામના ગ્રહ પરથી પસાર થઇ ગયો છે.”

.

સમાધિ પર આવું જબરદસ્ત ક્વોટ આપી જનાર ઓશો જો આજે તેમના જન્મદિને સદેહે હયાત હોત તો 94 વર્ષના ‘હોટ’ પ્રતિભા હોત. પણ આપણેય ક્યાં એમને સંખ્યાત્મક ભાવે ગણવાના છીએ?! બસ ! એમની અસંખ્ય ભાવનાત્મક બાબતોને સમજીએ તોયે ઘણું.

.

ઓશોએ જન્મ અને મૃત્યુને એક ગણિત તરીકે નહીં, પણ એક કલા તરીકે જોયું. તેમની નજરમાં, આપણો જન્મ માત્ર એક ઘટના નથી, પણ બ્રહ્માંડ તરફથી મળેલો એક પ્રેમ પત્ર (Love Letter) છે.

.

તો આજે મારી ઓશો-પેટીમાંથી સાચવી રાખેલાં તેમનાં ૭ ક્રાંતિકારી વિચારોને મમળાવીએ, જે આપણને સમજાવે છે કે, ‘જન્મ’ ખરેખર શું છે?

.

૧. 🌱 “તમે નવા નથી, તમે તો અનંત છો!”

.

“તમે અનંતકાળથી છો. તમારો જન્મ એ માત્ર કપડાં બદલવા જેવું છે. એક શરીરને છોડ્યું, અને આ જન્મમાં બીજું ઘર મળ્યું. જેમ નદી વહે છે, તેમ તમારી ચેતનાનો પ્રવાહ સતત વહે છે. જન્મ એ શરૂઆત નથી, પણ આ લાંબી યાત્રામાં એક બદલાયેલો મુકામ છે.”

.

આ સમજણ આપણને મૃત્યુના ડરથી મુક્ત કરે છે. જો તમે અનંત છો, તો મૃત્યુ તમારો અંત કેવી રીતે લાવી શકે?

.

૨. 🕊️ “ભૂલી જવું એ કુદરતનું વરદાન છે.”
બાળક ભૂતકાળની સ્મૃતિઓ ભૂલીને જન્મે છે. આ ભૂલી જવું તમને કેવું લાગે છે? ઓશો કહે છે: આ આશીર્વાદ છે!

.

જો તમને યાદ હોય કે તમે અગાઉના જન્મોમાં શું ભૂલો કરી, શું દુઃખો વેઠ્યાં, તો તમે ક્યારેય હસી શકશો નહીં. કુદરત તમને એક ખાલી સ્લેટ આપે છે. આ ખાલીપણું તમને નિર્દોષતા (Innocence) આપે છે. આ નિર્દોષતા જ તમને વર્તમાન ક્ષણમાં જીવવાની તાકાત આપે છે. બાળક જેવું નિર્દોષ મન જ ધ્યાનની પહેલી શરત છે.

.

૩. ⏳ “જન્મ થવો એટલે મૃત્યુની શરૂઆત થવી!”

.

સામાન્ય રીતે આપણે જન્મની ઉજવણી કરીએ છીએ, પણ ઓશો કહે છે: “તમે જન્મ્યા છો, એટલે કે હવે તમે મૃત્યુ તરફ ચાલવાનું શરૂ કરી દીધું છે. તમારું જીવન એ મૃત્યુની યાત્રા છે.”

.

જ્યારે તમે આ સત્ય સ્વીકારો છો, ત્યારે જ તમે ખરી રીતે જીવવાનું શરૂ કરો છો. તમને સમજાય છે કે, એક પણ ક્ષણ બગાડવા જેવી નથી. દરેક શ્વાસ કિંમતી છે. મૃત્યુની આ જાણકારી આપણને જીવન પ્રત્યે જાગૃત અને સાવધાન બનાવે છે.

.

૪. 🎭 “શરીર તમારું વાહન, તમે એના માલિક! તમે ડ્રાઇવર છો, કાર નહીં. તમે ઘરમાં રહેલો રહેવાસી છો, ઘર નહીં.”

.

જ્યારે તમે તમારી જાતને શરીર કે મન માની લો છો, ત્યારે તમે દુઃખી થાઓ છો. જ્યારે તમે પોતાને ચેતના (Awareness) માનો છો, ત્યારે શરીરની બીમારીઓ કે મૃત્યુ તમને અસર કરતા નથી. આ જન્મનો ઉદ્દેશ આ ‘વાહન’નો ઉપયોગ કરીને અંદરની યાત્રા કરવી છે, પોતાની જાતને ઓળખવી છે.

.

૫. 🎁 “જન્મ એક વચન છે: બુદ્ધ બની શકાય છે.”

.

દરેક બાળક સંપૂર્ણતા (Enlightenment) ની સંભાવના લઈને જન્મે છે. તમારો જન્મ એ એક વચન છે, એક મોટો અવસર છે.

.

તમે કયા ધર્મમાં જન્મ્યા, કયા સમાજમાં જન્મ્યા, એ ગૌણ છે. મુખ્ય વાત એ છે કે, તમે આ જીવનમાં જાગૃત થવાનો પ્રયત્ન કર્યો કે નહીં?

.

૬. 🥳 “જન્મ એક ઉત્સવ છે, ગંભીરતા નહીં!”- અને ઓશો માટે, આધ્યાત્મિકતા ક્યારેય ગંભીર હોઈ ન શકે.

.

“તમે જો જીવંત છો, તો તમે ગંભીર ન હોઈ શકો. ગંભીરતા એ મૃત્યુની નિશાની છે. તમારો જન્મ થયો છે, એ જ સૌથી મોટો ઉત્સવ છે. નાચો, ગાઓ, ખુશ રહો, પ્રેમ કરો. જાગૃતિ સાથે જીવો અને જીવનના દરેક રંગનો આનંદ માણો. જીવનને ઉત્સવ બનાવો!”

.

૭. 💡 “બીજો જન્મ: જ્યારે તમે જાગૃત થાઓ છો.”

.

જ્યારે તમે સમાજ અને લોકોએ આપેલા જૂના લેબલો અને વિચારોને તોડીને, પોતાની મૌલિકતામાં જાગૃત થાઓ છો, ત્યારે તમારો ખરો જન્મ થાય છે. આ આંતરિક ક્રાંતિ જ જીવનનો સાચો હેતુ છે.

.

જીવનને ગંભીરતાથી નહીં, પણ ઉત્સવની જેમ જીવો. સંપૂર્ણ પ્રેમ અને સંપૂર્ણ જાગૃતિ સાથે જીવો, અને મૃત્યુ માત્ર એક સુંદર દરવાજો બની જશે. 🙌🏻

.

( મુર્તઝા પટેલ )

ક્રોધ : કારણ – નિવારણ (૩) – ઓશો

૧.
અને તમે વિચારવા લાગો છો-
‘મને ક્રોધથી છુટકારો જોઈએ છે.
હું તે માટે પ્રયત્ન કરીશ-
યમ-નિયમ સાધીશ,
આસન કરીશ, ધ્યાન-ધારણા કરીશ—
મારે તેનાથી મુક્ત થવું જ છે.’

આ રીત તમે તમારું અધૈર્ય બતાવો છો.

તમે આ અધીરતાથી જણાવી દીધું કે-
જે છે તેનાથી તમે રાજી નથી,
જે છે તે સાથે તમે સહમત નથી.
તમે કંઈક બીજું ઈચ્છો છો.

અને બસ, તે ક્ષણથી તમે અશાંત થવા લાગ્યા.

૨.
તમે જ્યારે ક્રોધથી લાલપીળા
થઈ જાઓ છો ત્યારે
પશુ બની જાઓ છો.

ક્રોધ કરવો સરળ છે
પરંતુ તે સ્થિતિમાં
તમે કેટલો વખત રહી શકશો ?
ક્રોધની બહાર તો આવવું જ પડશે.

કોઈ પણ વ્યક્તિ સતત ક્રોધની
સ્થિતિમાં ન રહી શકે.

તમે જ્યારે તે સ્થિતિમાંથી
નૈસર્ગિક સ્થિતિમાં પાછા આવશો
ત્યારે પહેલાં કરતાં પણ
વધુ નખાયેલા, વધુ વિષાદગ્રસ્ત હશો.

એવી કોઈ વ્યક્તિ નહિ મળે, જેણે
ક્રોધ કર્યા બાદ પસ્તાવો ન કર્યો હોય,
કે-આ મેં શું કર્યું ?’

( ઓશો )

ક્રોધ : કારણ – નિવારણ (૨) – ઓશો

૧.
શાંતિ કંઈ ક્રોધની વિપરીત
દશા નથી, જેને તમે સાધી લો.

હા, એ વાત સાચી છે કે
જ્યાં શાંતિ છે ત્યાં ક્રોધ નથી.
શાંતિ છે ક્રોધનો અભાવ,
તેનાથી વિપરીત નહિ.

લોકો એમ માને છે કે
શાંતિ, ક્રોધથી વિપરીત દશા છે;
માટે ક્રોધને દૂર કરશું
તો શાંતિ પ્રાપ્ત થશે.

નહિ, ક્રોધને દૂર કરવાથી
શાંતિ પ્રાપ્ત નહિ થાય;
તેમ કરવામાં તો તમે
વધુ અશાંત થઈ જશો.

આ પ્રયત્નથી તો એટલું જ બને
કે તમે શાંતિનું એક આવરણ ઓઢી લો
એક અંચળો ઓઢી લો…

અને અંદર તો બધું દબાયેલું રહે-
ઝેરની જેમ, પરુની જેમ;
જે ગમે ત્યારે ફૂટી શકે.

૨.
તમે જ્યારે કહો છો કે-
‘હું ક્રોધી છું, મારે અક્રોધી બનવું છે’
ત્યારે તે વાતનો અર્થ તમે સમજ્યા ?

તમે ક્રોધને કારણે
અત્યંત અસહિષ્ણુ થઈ ગયા છો.
તમે ક્રોધને
ધૈર્યપૂર્વક સ્વીકાર નથી કરી શકતા.

તમે મનમાં કહો છો-
‘ક્રોધ અને તે પણ મારામાં ?
મારા જેવો સજ્જન કંઈ ક્રોધ કરે ?
નહિ, આ વાત તમને ગમતી નથી.

અને તમે વિચારવા લાગો છો-
‘મને ક્રોધથી છુટકારો જોઈએ છે.
મારે ક્રોધથી મુક્ત થવું છે.
હું તે માટે પ્રયત્ન કરીશ-
યમ-નિયમ સાધીશ,
આસન કરીશ, ધ્યાન-ધારણા કરીશ…
મારે તેનાથી મુક્ત થવું જ છે.’

તમે આ અધીરતાથી જણાવી દીધું કે-
જે છે તેનાથી તમે રાજી નથી,
જે છે તે સાથે તમે સહમત નથી.
તમે કંઈક બીજું ઈચ્છું છો.

અને બસ, તે ક્ષણથી તમે અશાંત થવા લાગ્યા.

( ઓશો )

પ્રેમ – ઓશો

.

પ્રેમ પરમાત્માથી મોટો છે.

પ્રેમમાં જ ઊઠીને તમે પરમાત્મા સુધી પહોંચશો.

જે દિવસ તમારી કરુણા એવી

તમે દેવોવાળાની જેમ પણ નહીં બચો,

પાછળ કોઈ રહી જ નહીં જાય,

કર્તાનો કોઈ ભાવ નહીં બચે-

એ દિવસે તમે પરમાત્મા થઈ ગયા.

પછી તમે અસીમમાં ઊતરી ગયા,

અસીમ તમારામાં ઊતરી આવ્યું.

પરમાત્માની વાતોમાં બહુ વિચારમાં નહીં પડતા.

જીવનની સીડી તો આ જ છે-

કામથી પ્રેમ, પ્રેમથી કરુણા,

કરુણા પછી

છલાંગ આપો-આપ લાગી જાય છે,

તેનાથી આગળ કોઈ સોપાન નથી.

     -બિન ધન પરત કુહાર પ્રવચનમાંથી  

 .

લગભગ એવું બને છે કે

પ્રેમને જે નથી જાણતા,

તે પ્રેમના સંબંધમાં બોલે છે,

લખે છે, ગીત ગાય છે.

આ પ્રેમના ખાલીપાને ભરવાના ઉપાય છે.

જેમણે પ્રેમને જાણી લીધો,

તે કદાચ ચૂપ પણ થઈ જાય;

અથવા તો કાંઈ કહે તો,

કદાચ તમારી સમજમાં ન આવે,

કારણ કે તમે તો પ્રેમ જાણ્યો નથી;

જેણે જાણીને કહ્યું છે,

તેની વાત તમને ગમશે નહીં.

     -એસ ધમ્મો સનંતનો પ્રવચનમાંથી

 .

પ્રેમી ધન નથી કમાઈ શકતો,

કમાઈ લે, તો બચાવી નથી શકતો.

એક તો પ્રેમીને કમાવવું મુશ્કેલ થશે,

કારણ કે તેનામાં હજાર કરુણાઓ જાગશે.

કોઈની પાસેથી વધારે પણ નહીં લઈ શકે.

છેતરી પણ નહીં શકે.

જેના હૃદયમાં પ્રેમ છે,

તે બહુ બહુ તો

પોતાના પૂરતું કમાઈ લે.

એટલું પણ થાય તો ઘણું !

ધન ભેગું કરવા માટે તો,

છાતીમાં હૃદય નહીં,

પથ્થર હોવો જોઈએ.

ધન પ્રેમની હત્યા કરીને ભેગું થાય છે.

     -એસ ધમ્મો સનંતનો પ્રવચનમાંથી

 .

( ઓશો )

પ્રેમ – ઓશો

.

જીવનથી એ જ મળે છે,

જે તમે જીવનને આપો છો,

તમે જે આપો છો, એ જ પામો છો.

તમે પ્રેમ આપો અને ભૂલી જાઓ.

તમે પ્રેમ આપો અને બદલામાં માંગો નહીં,

તમે પ્રેમ આપો અને ધન્યવાદ આપો કે

કોઈએ તમારા પ્રેમનો સ્વીકાર કર્યો ;

ત્યારે તમે ધીરે-ધીરે જોશો

પ્રેમ ઉપર ઊઠવા લાગ્યો

ત્યારે એક નવા જ આયામમાં

તમારી ગતિ થાય છે.

તમારી ચેતના એક નવા લોકમાં

પ્રવેશ કરે છે.

 .

 .

જ્યારે પણ પ્રેમ જાગે છે તો ભય પેદા થાય છે.

કારણ કે જ્યાં પ્રેમ પેદા થાય છે,

ત્યાં અહંકાર વિસર્જિત કરવો પડે છે,

અને ત્યાં જ ભય લાગે છે.

આપણે અહંકારને પકડી રાખીએ છીએ,

ચાહે પ્રેમ મરે તો મરી જાય.

પ્રેમને પકડો, અહંકારને મરી જવા દો.

પ્રેમ સંપદા છે. પ્રેમ સમાધિ છે.

પ્રેમ સર્વસ્વ છે.

પ્રેમની નૌકા જ તમને

પાર લઈ જઈ શકે છે.

 .

( ઓશો )

પ્રેમ – ઓશો

.

પ્રેમથી વધારે સરળ અને સ્વાભાવિક

બીજો કોઈ અનુભવ નથી.

અહંકાર તમે છોડ્યો,

તો પ્રેમ જ સંભવ નથી થતો

પ્રેમની સાથે-સાથે બીજી પણ

અસંભવ વાતો સંભવ થઈ જાય છે.

ધ્યાન સંભવ થઈ જાય છે.

સ્વતંત્રતા સંભવ થઈ જાય છે.

શાશ્વતતા સંભવ થઈ જાય છે.

અમૃત સંભવ થઈ જાય છે.

પ્રેમનું દ્વાર શું ખૂલે છે…

મંદિર ખૂલી જાય છે.

મંદિર, જેના અનંત આયામ છે.

જે મંદિરમાં પ્રવિષ્ટ થયો,

તેણે જ જીવનના અર્થ જાણ્યા,

જીવનની ગરિમાને ઓળખી.

 .

.

પ્રેમ મળી જાય,

તો પરમાત્મા મળી જાય છે.

પ્રેમ વગર પરમાત્મા નથી મળતો.

પ્રેમ સર્વાધિક મૂલ્યવાન છે,

પ્રાર્થના પણ એટલી મૂલ્યવાન નથી.

જેણે પ્રેમ નથી જાણ્યો,

તે પ્રાર્થનાથી પરિચિત જ નહીં થઈ શકે.

પ્રેમ જ શુદ્ધ થઈને પ્રાર્થના બને છે.

પ્રેમ જ નિખરીને પ્રાર્થના બને છે.

પ્રેમ સમજો કે કાચી પ્રાર્થના છે,

પ્રાર્થના પાક્કો પ્રેમ.

.

( ઓશો )

પ્રેમ – ઓશો

.

બુદ્ધિ પાપોથી ભરી હોય,

તો પ્રેમથી જ શુદ્ધ કરી શકાય છે.

જ્યારે એક વ્યક્તિને તમે પ્રેમ કરો છો,

તો તેને દુ:ખ દેવું મુશ્કેલ થઈ જાય છે.

તેનું સુખ તમારું સુખ,

તેનું દુ:ખ તમારું દુ:ખ

તેના જીવન અને તમારી વચ્ચેની

સીમા તૂટી ગઈ.

તમે એક-બીજામાં વહો છો.

જ્યારે આવી જ ઘટના કોઈ વ્યક્તિ અને

પરમાત્મા વચ્ચે ઘટે છે,

તો તેનું નામ પ્રાર્થના,

આરાધના, પૂજા, ભક્તિ

એ પ્રેમનું અંતિમ સ્વરૂપ છે.

 .

.

જો પ્રેમની સંપદા તમારી પાસે હોય,

તો પરમાત્માની પણ આવશ્યકતા નથી હોતી,

પ્રેમ પોતે જ પર્યાપ્ત છે.

પ્રેમ જ એક માત્ર પરમાત્મા છે.

જો તમે પ્રેમ કરી શકો,

તો તમે પ્રેમ કરવામાં જ પરિપૂર્ણ થઈ જશો,

તમે ઉત્સવ મનાવી શકશો.

આ અસ્તિત્વ પ્રત્યે

તમે અનુગ્રહિત થઈ જશો.

જો તમે પ્રેમ કરવા સમર્થ છો,

તો પ્રેમ જ આશિષ બની જાય છે.

.

( ઓશો )

मेरा संदेश – ओशो

मेरा संदेश छोटा सा है:

आनंद से जीओ

और जीवन के समस्त रंगो को जीओ,

सारे स्वरों को जीओ

कुछ भी निषेध नहीं करना है

जो भी परमात्मा का है, शुभ है

जो भी उसने दिया है, अर्थपूर्ण है

उसमें से किसी भी चीज का इनकार करना,

परमात्मा का ही इनकार है, नास्तिकता है

और तब एक अपूर्व क्रांति घटती है

जब तुम सबको स्वीकार कर लेते हो

और आनंद से जीने लगते हो तो

तुम्हारे भीतर रुपांतरण की प्रक्रिया शुरु होती है

तुम्हारे भीतर की रसायन बदलती है –

क्रोध करुणा बन जाता है;

काम राम बन जाता है

तुम्हारे भीतर कांटे फूलों की तरह खिलने लगते है

 .

( ओशो )

पहचान लें

प्रिय विजय मूर्ति,

प्रेम.

मैं यात्रा करुं या न करुं-बोलूं या न बोलूं

ईससे कोई भी भेद नहीं पडेगा, उनके लिए जो कि

मेरे साथ चलने को तैयार है.

उनके लिये रुके हुए भी मेरी यात्रा जारी रहेगी

और मौन में भी मैं बोलता रहूंगा.

शरीर भी मेरा निराकार में खो जाये, तो भी

मेरे हाथों का सहारा उन्हें मिलता रहेगा.

और, आज ही नहीं-कभी भी काल के अनंत

प्रवाह में मैं उन्हें मार्ग दूंगा.

क्योंकि, अब मैं नहीं हूं-वरन स्वयं प्रभु ही मेरी

बांसुरी से गीत गा रहा है.

जिनके पास आंखे हों-वे देख लें.

जिनके पास कान हों-वे सुन ले.

और जिनके पास प्रज्ञा हो-वे पहचान लें.

ओशो