રંગભેદ – પ્રીતમ લખલાણી

એક વહેલી સવારે

લાલ લીલા

પીળા અને ભૂરા પંખીઓને

આંગણાના

મેપલ વૃક્ષની ડાળે ડાળે

રમતાં, ભમતાં જોઈને

‘વાહ કેવા

સુંદર મજાના પંખીઓ છે ?’

ને ત્યાં જ

પવનમાં લહેરાતી

ગુલાબની એક ડાળે

મારો કાંઠલો જાલીને મને કહ્યું,

‘અરે’ કવિ,

તું આવી રૂપરંગની

જાળમાં ક્યાંથી અટવાયો !

‘પંખી,

રૂપરંગથી નહીં

ઓળખાય છે ટહુકાથી !’

 .

( પ્રીતમ લખલાણી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.