એક વહેલી સવારે
લાલ લીલા
પીળા અને ભૂરા પંખીઓને
આંગણાના
મેપલ વૃક્ષની ડાળે ડાળે
રમતાં, ભમતાં જોઈને
‘વાહ કેવા
સુંદર મજાના પંખીઓ છે ?’
ને ત્યાં જ
પવનમાં લહેરાતી
ગુલાબની એક ડાળે
મારો કાંઠલો જાલીને મને કહ્યું,
‘અરે’ કવિ,
તું આવી રૂપરંગની
જાળમાં ક્યાંથી અટવાયો !
‘પંખી,
રૂપરંગથી નહીં
ઓળખાય છે ટહુકાથી !’
.
( પ્રીતમ લખલાણી )