ખોવાઈ ગયેલા સુખના પડઘાઓ
એકઠા કરવાથી
સુખ નથી મળતું.
ખરી ગયેલી પાંદડીઓને
એક પછી એક
પાછી ગોઠવવાથી
ફૂલ ક્યાં ફરી સર્જી શકાય છે ?
ઉછળતા એક મોજાને નજરમાં પરોવીએ
પણ એમાં દરિયો તો ઘુઘવતો નથી.
સુખ તો ડૂબી ગયું છે
ક્યાંક તળિયે
તૂટી ગયેલી કોઈક નૌકાની જેમ !
તોયે
આપણે કેમ ?
ખરી ગયેલી પાંદડીઓને ગોઠવી ફૂલ સર્જવામાં
અને
એક મોજામાં સમુદ્રને સમાવવાના પ્રયત્નમાં
રત રહેતાં હોઈશું ?
( પન્ના નાયક )