ક્રોધ : કારણ – નિવારણ (૩) – ઓશો

૧.
અને તમે વિચારવા લાગો છો-
‘મને ક્રોધથી છુટકારો જોઈએ છે.
હું તે માટે પ્રયત્ન કરીશ-
યમ-નિયમ સાધીશ,
આસન કરીશ, ધ્યાન-ધારણા કરીશ—
મારે તેનાથી મુક્ત થવું જ છે.’

આ રીત તમે તમારું અધૈર્ય બતાવો છો.

તમે આ અધીરતાથી જણાવી દીધું કે-
જે છે તેનાથી તમે રાજી નથી,
જે છે તે સાથે તમે સહમત નથી.
તમે કંઈક બીજું ઈચ્છો છો.

અને બસ, તે ક્ષણથી તમે અશાંત થવા લાગ્યા.

૨.
તમે જ્યારે ક્રોધથી લાલપીળા
થઈ જાઓ છો ત્યારે
પશુ બની જાઓ છો.

ક્રોધ કરવો સરળ છે
પરંતુ તે સ્થિતિમાં
તમે કેટલો વખત રહી શકશો ?
ક્રોધની બહાર તો આવવું જ પડશે.

કોઈ પણ વ્યક્તિ સતત ક્રોધની
સ્થિતિમાં ન રહી શકે.

તમે જ્યારે તે સ્થિતિમાંથી
નૈસર્ગિક સ્થિતિમાં પાછા આવશો
ત્યારે પહેલાં કરતાં પણ
વધુ નખાયેલા, વધુ વિષાદગ્રસ્ત હશો.

એવી કોઈ વ્યક્તિ નહિ મળે, જેણે
ક્રોધ કર્યા બાદ પસ્તાવો ન કર્યો હોય,
કે-આ મેં શું કર્યું ?’

( ઓશો )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.