ફરી એ જ વર્તુળ મહીં – ભરત ભટ્ટ ‘તરલ’
ફરી એ જ વર્તુળ મહીં વ્યાસ નાખ્યો,
પુનર્જન્મનો એક ઈતિહાસ નાખ્યો.
.
અમે મન ઉપર એક અધ્યાસ નાખ્યો,
કૂંડાળું કરીને વધુ ત્રાસ નાખ્યો !
.
અડાબીડ અંધાર – અજવાસ નાખ્યો,
અને આંખમાં તોય આભાસ નાખ્યો.
.
અમે પિંજરાને સ્વીકારી લીધું, તો-
તમે પિંજરામાં સતત શ્વાસ નાખ્યો.
.
એને પૂગવાની શરતમાં જ ઊગ્યાં,
એના ચાસ પાસે અમે ચાસ નાખ્યો.
.
( ભરત ભટ્ટ ‘તરલ’ )
સુંદર ગઝલ.
સુંદર ગઝલ.