કશે ના જવાનું – ઉર્વીશ વસાવડા

કશે ના જવાનું, બધે પહોંચવાનું

કહે જીવ તારું હવે શું થવાનું

.

તસુભર જગા બસ મળે આ શિખર પર

અને આપણે ત્યાં જ ઘર બાંધવાનું

.

તરસ કૈંક જન્મોની ખિસ્સામાં લઈને

મથે શોધવા તું તીરથ ઝાંઝવાનું

.

મળે બેઘડી ના વિસામો નગરમાં

સતત દોડવાનું, સતત હાંફવાનું

.

વખત છે હવે કાળીને નાથવાનો

નથી આપણે જળકમળ છાંડવાનું

.

( ઉર્વીશ વસાવડા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.