તારા સિંહાસનેથી – રવીન્દ્રનાથ ટાગોર

તું તારા સિંહાસનેથી ઊતરીને મારી ઝૂંપડી પાસે આવીને ઊભો રહ્યો !

 .

એકલો એક ખૂણામાં બેઠો બેઠો હું તો મારું ગીત ગૂંજી રહ્યો હતો, અને એનો કોઈક સ્વર તારે કાને પડી ગયો હતો !

 .

-અને તું તારું સિંહાસન છોડીને; મારી ગરીબની ઝૂંપડીના દ્વારે આવીને ઊભો રહ્યો !

 .

તારા દીવાનખાનામાં મોટા મોટા ગવૈયાઓની મિજલસ જામે છે, ને અનુપમ ગીતો ત્યાં ગવાય છે, રાત અને દિવસ.

 .

પણ આ મારા અણઘડ સાદા ગીતગુંજનનો કોઈ સ્વર તારા પ્રેમતંતુને સ્પર્શી ગયો – અને તું ત્યાં આવીને ઊભો રહ્યો !

 .

દુનિયાના, નિત્ય ચાલી રહેલા મહાન સંગીતની વચ્ચે થઈને, રસળતો રસળતો તારે દ્વારે આવેલો મારો આ એક સાદો પ્રેમસ્વર તને સંભળયો, અને મારી એવી એક ફૂલની અંજલિ માટે, તું મારે આંગણે દોડ્યો આવ્યો !

 .

હે રાજાના રાજા ! ત્યારે જ મેં જાણ્યું કે તું એક જ રાજા છે, અને બીજા તમામ ભિખારીછે !

.

( રવીન્દ્રનાથ ટાગોર, ભાવાનુવાદ :ધૂમકેતુ )

Share this

6 replies on “તારા સિંહાસનેથી – રવીન્દ્રનાથ ટાગોર”

Leave a Reply to ક્રિષ્ના Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.