એવું ઓછું બને છે ? – સુરેશ દલાલ
.
કાન્તના પ્રેમની વિભાવના
કલાપીનો પ્રણય-ત્રિકોણ
રોમિયો અને જુલિયેટ
કે ઑથેલો અને ડેસ્ડેમોના
-આ બધાંના પ્રેમની
નિષ્ફળતાની વાત
જેમને કરવી હોય તે કર્યા કરે
પણ પ્રેમીઓની આંખનાં પતંગિયાં
એને કારણે નથી ઊડતાં
એવું ઓછું બને છે ?
.
દેવદાસ, પારુ અને ચંદ્રમુખીની વાતથી
કદાચ થોડીકવાર હતાશ થઈ જવાય
પણ આવું બધું સાંભળી
કોઈ પ્રેમ કરવાનું માંડી વાળતું નથી.
.
છરી અને ઘાને
કાયમનો સંબંધ છે
એટલા માટે
કોઈએ મારે શરીર નથી જોઈતું
એવું કહ્યું નથી.
અને શરીરમાં તો હોય છે
ધબકતું હૃદય-
આ હૃદય
માત્ર આપણે માટે નહીં
બીજા કોઈને માટે ધબકતું હોય છે.
પ્રેમ કર્યા વિના ચેન પડતું નથી
અને પ્રેમની બેચેનીની
તો કોઈ જુદી જ વાત છે.
.
( સુરેશ દલાલ )
વાત તો જાણે કે સાવ સાચી કહી હો કે…
વાત તો જાણે કે સાવ સાચી કહી હો કે…
જો જીવન માં થી પ્રેમ ની બાદબાકી કરીએ તો જીવન માં શેષ બચે શું ??
આપણું અસ્તિત્વ એ પ્રેમ નું જ સ્વરૂપ છે..
જીવન ના મૂળ પાંચ તત્વો અને તેમાંથી નીપજતું જીવન એજ પ્રેમ તત્વ છે..
તેની ઉપેક્ષા કે ઘૃણા કઈરીતે થઇ શકે…?? !!
જો આ વાત સમજાઇ જાય તો આંખો માં અમી લઇ જીવન જીવી શકાય … .
નફરત નામ ના વિષ- મહાભારત ને જાકારો દઈ.. અમૃતમય મોક્ષ પ્રાપ્તિ થઈશકે.
જો જીવન માં થી પ્રેમ ની બાદબાકી કરીએ તો જીવન માં શેષ બચે શું ??
આપણું અસ્તિત્વ એ પ્રેમ નું જ સ્વરૂપ છે..
જીવન ના મૂળ પાંચ તત્વો અને તેમાંથી નીપજતું જીવન એજ પ્રેમ તત્વ છે..
તેની ઉપેક્ષા કે ઘૃણા કઈરીતે થઇ શકે…?? !!
જો આ વાત સમજાઇ જાય તો આંખો માં અમી લઇ જીવન જીવી શકાય … .
નફરત નામ ના વિષ- મહાભારત ને જાકારો દઈ.. અમૃતમય મોક્ષ પ્રાપ્તિ થઈશકે.
જો જીવન માં થી પ્રેમ ની બાદબાકી કરીએ તો જીવન માં શેષ બચે શું ??
આપણું અસ્તિત્વ એ પ્રેમ નું જ સ્વરૂપ છે..
જીવન ના મૂળ પાંચ તત્વો અને તેમાંથી નીપજતું જીવન એજ પ્રેમ તત્વ છે..
તેની ઉપેક્ષા કે ઘૃણા કઈરીતે થઇ શકે…?? !!
જો આ વાત સમજાઇ જાય તો આંખો માં અમી લઇ જીવન જીવી શકાય … .
નફરત નામ ના વિષ- મહાભારત ને જાકારો દઈ.. અમૃતમય મોક્ષ પ્રાપ્તિ થઈશકે.
સુંદર અને માર્મિક ભાવ સાથેની રચના !
સુંદર અને માર્મિક ભાવ સાથેની રચના !