માણસ – ભગવતીકુમાર શર્મા

બાણ વગરની શૈયા પર પોઢેલો માણસ;

ભીતરના જખ્મોથી રક્તનીંગળતો માણસ.

.

યુધિષ્ઠિર તો એને શાના મળવા આવે ?

પણ ઈશ્વરનું નામ સતત ઉચ્ચરતો માણસ.

 .

ભીષ્મપ્રતિજ્ઞા એણે તો ક્યારેય ન લીધી;

તોય અડગ નિર્ધારનું પાલન કરતો માણસ.

 .

દ્યુતસભામાં પાંડવ કેવળ પાંચ નહોતા;

ચીર દ્રૌપદીનાં આંખે બાંધેલો માણસ.

 .

વિષાદ પર અર્જુનનો એકાધિકાર નહોતો;

કૃષ્ણ-પ્રતીક્ષાના રણમાં ડૂબેલો માણસ.

 .

( ભગવતીકુમાર શર્મા )

Share this

3 replies on “માણસ – ભગવતીકુમાર શર્મા”

Leave a Reply to અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી' Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.