.
.
.
મોરલી ને મોરપીંચ્છને વાંકું પડ્યું
ને શ્યામને તે કંઈ કશું સૂઝ્યું નહીં
સૂરથી ઘવાયેલું રાધાનું હૈયું
મોરપીંચ્છના સ્પર્શે પણ રૂઝ્યું નહીં.
.
યમુનાના વ્હેણમાં ખાલી ઘડાને
તરતો મૂકીને રાધા જોયા કરે.
વરસ્યા વિનાનાં શ્યામ શ્યામ વાદળાંઓ
આંસુ વિના પણ રોયા કરે.
રાસમાં રૂમઝૂમવું માંડી વાળ્યું
ને ગોપીએ કોઈને કાંઈ પૂછ્યું નહીં.
.
કેવી આ રીસ કે વૃંદાવન કરમાયું :
ગોકુળિયા ગામની સૂની ગલી.
ઝાંઝરને કાઢીને રાધા તો એકલી
એકલી પોતાને મારગ ચલી.
પોતાનાં આંસુને પોતાના પાલવથી
રાધાએ કેમે કરી લૂછ્યું નહીં.
.
( સુરેશ દલાલ )
આ પુસ્તક તો લેવું જ રહ્યું !
આ પુસ્તક તો લેવું જ રહ્યું !
ખૂબજ સુંદર રચના !
ખૂબજ સુંદર રચના !