‘વ્યથા ભીતરની’ – મહેન્દ્ર આર્ય

પ્રથમવાર

આપણે મળ્યાં ત્યારે

મારી ભીતર

એક બીજ રોપ્યું હતું તેં

તું તો પછી જતો રહ્યો….!

પણ

ઝરમર શ્રાવણની એ રાતે

મારા ભીનાં ભીતરમાં

તેં મૂકેલા એ બીજમાંથી

એક ઘટાટોપ વૃક્ષ વિકસ્યું છે હવે…

પરંતુ

આ વૃક્ષ ઉપર

કોઈ પંખી નથી બેસતું

અને

પંખીઓ માળા પણ નથી બાંધતાં…

કદાચ

મારી ભીતર વારંવાર થતા પત્થરમારાની

ખબર પડી ગઈ હશે એ લોકોને…

મારી અંદરના તોફાનને

જાણી ગયાં હશે એ લોકો પણ…

.

( મહેન્દ્ર આર્ય )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.