ધૂળનો અર્થ-કરસનદાસ લુહાર

વિસ્મયનો રોપ આંખથી નિર્મૂળ થૈ ગયો,
ને ધૂળનો જ અર્થ પછી ધૂળ થૈ ગયો.

એવી ફૂટી સુગંધના સંદર્ભને અણી;
પર્યાયે ફૂલનો હવે તો શૂળ થૈ ગયો.

ખુલ્લાણના ખયાલને જે ટૂંપતો હતો,
એ ઓરડો શેં આજ અનુકૂળ થૈ ગયો ?

જ્યારે નગર શરીર ઉપરથી સરી પડ્યું,
ત્યારે પવન એક પાતળું દુકૂળ થૈ ગયો.

અસ્તિત્વને ઉશ્કેરતું કારણ છે આટલું,
કે, શ્વાસ શ્વાસને જ પ્રતિકૂળ થૈ ગયો !

( કરસનદાસ લુહાર )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.