જેવો નથી-સુરેન્દ્ર કડીયા

સોયના અણીયાળ જળમાં બોળવા જેવો નથી,

એક પરપોટો ખરેખર ફોડવા જેવો નથી.

.

શક્ય છે કે ક્ષણ મહીં મારું તખલ્લુસ ઓગળે,

કે મને ક્ષણનાં ભરોસે છોડવા જેવો નથી.

.

જોતજોતામાં જ ઘર ઘરમાંથી નીકળી જઈ શકે,

કોઈ રસ્તો ઘરની સાથે જોડવા જેવો નથી.

.

આજે એણે શબ્દનું બખ્તર ઠઠારી લીધું છે,

રામ ! આજે રણમાં રાવણ રોળવા જેવો નથી.

.

ક્યાંય ભીતર-બહાર પડઘાતું નથી વાતાવરણ,

ક્યાંય કલરવના કળશને ઢોળવા જેવો નથી.

.

( સુરેન્દ્ર કડીયા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.