બળ – માર્જોરી પાઈઝર

હું મને

ભીતરથી સબળ બનાવી રહી છું.

મારા આત્માને બાંધવા માટે

પોલાદના પટ્ટા વણી રહી છું.

મારા હાથને મજબૂત બનાવવા

એમાં વેદનાના ટાંકા ગૂંથી રહી છું-

થાક અને સહનશક્તિના

તાણાવાણાથી

હું મારા મનને દ્રઢ કરી રહી છું.

જેમણે વેદના ભોગવી છે એ તમામનાં

ભજનકીર્તન અને ગીતોના બંધનથી

હું મારી શ્રદ્ધાને બાંધું છું.

સમય થતાં,

સરસ પોલાદની જેમ વળવા માટે

હું સ્વસ્થ થઈશ

પણ ભાંગી પડીશ નહીં.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.