Category Archives: પુસ્તક પરિચય

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

111

1111

નવલકથાની કથાવસ્તુ આમ તો વર્ષા અડાલજા જાતે જ પસંદ કરતાં હોય છે. પણ આ નવલકથા તેમણે એક સમયના સુગરકીંગ અને સોમૈયા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલના પ્રણેતા શ્રી કરમશીભાઈ સોમૈયા વિશે તેમના એક સ્નેહીના આગ્રહથી લખી છે. પ્રથમ તબક્કે તો વર્ષાબેને શ્રી કરમશીભાઈ વિશે લખવા સ્પષ્ટ ના જ કહી હતી. પણ જેમ જેમ તેઓ કરમશીભાઈની મરાઠી પત્રકાર રાજા મંગળવેઢેકર સાથેની મુલાકાત વાંચતા ગયા તેમ તેમ તેમને આ પુરુષાર્થકથા લખવાની પ્રેરણા મળી. સાવ ઓછું ભણતર અને સાવ ખાલી હાથ. તો પણ હાર્યા વગર અનેક ધંધાઓ શ્રી કરમશીભાઈએ કરી જોયા. અનેક વખત નિષ્ફળતા મળી. પરંતુ પાછા પડ્યા વિના હિંમતથી આગળ વધતા જ રહ્યા. કઠોર પરિશ્રમનું બીજું નામ સફળતા-એ વાત તેમણે સિદ્ધ કરી. ધંધાના કામ માટે પગપાળા અનેક ગામડાઓની રઝળપાટ કરનાર કરમશીભાઈ સફળતા મેળવીને જ જંપ્યા. તેમણે સોમૈયા સામ્રાજ્યની સ્થાપના કરી અને સુગરકિંગનું બિરુદ મેળવ્યું. ૨૬૦ પૃષ્ઠોમાં વિસ્તરેલી આ નવલકથામાં શ્રી કરમશીભાઈના જીવનના અનેક રસપ્રદ અને પ્રેરણાદાયક પ્રસંગોનું આલેખન થયું છે. અમુક પ્રસંગો ખૂબ જ હ્રદયસ્પર્શી છે પણ તેનો ઉલ્લેખ ટાળું છું. વર્ષાબેનની સશક્ત કલમે આ આખી નવલકથા વાંચવી જ વધુ યોગ્ય રહેશે.


પરથમ પગલું માંડીયું-વર્ષા અડાલજા

પ્રકાશક: સોમૈયા પબ્લિકેશન્સ પ્રા. લિ.,વતી નવભારત સાહિત્ય મંદિર

કિંમત: રૂ. ૨૦૦.૦૦

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

 

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

1122

1131

હંમેશા શક્ય છે-કિરણ બેદી, અનુવાદ: હરેશ ધોળકિયા

અનુવાદક શ્રી હરેશ ધોળકિયાની કેફિયત

  

આ અદ્દભુત પુસ્તક છે. ભયાનક પરિસ્થિતિમાં અને જ્યારે ખુદ સરકાર અને વહીવટ જ વિરુદ્ધ હોય ત્યારે પણ હિંમત, ધૈર્ય અને ઊંડી શ્રદ્ધા સાથે કામ કેમ કરાય અને પ્રતિકૂળતાને સફળતામાં કેમ ફેરવી શકાય તેનો પુરાવો એટલે આ પુસ્તક. આ પુસ્તકમાં કિરણ બેદીએ જે નિશ્ચયાત્મકતા અને પ્રતિબદ્ધતાથી કામ કર્યું, સમાજનો સહકાર લીધો, કેદીઓના જીવનને જે રીતે પરિવર્તિત કર્યા અને જેલને આશ્રમમાં પલટાવી નાંખી, તે વાંચીએ ત્યારે કલ્પનાતીત જ લાગે અને છતાં તેને તેમણે શક્ય બનાવ્યું.

  

એક વ્યક્તિ સો ટકા પ્રતિબદ્ધતાથી કામ કરે તો સમગ્ર પર્યાવરણ (જૂની ભાષામાં ભગવાન) તેની પડખે ઊભે છે. તેવો inter connectednessનો સિદ્ધાંત આ પુસ્તક વાસ્તવિક રીતે પ્રતિપાદિત કરે છે.

  

આ પુસ્તકને એક મેનેજમેન્ટના પુસ્તક તરીકે પણ જોવાની જરૂર છે. વ્યક્તિગત અને ટીમ મેનેજમેન્ટ કેવાં પરિણામો લાવી શકે છે તે અહીં પાને પાને જોવા મળે છે. સામાન્ય દેખાતો સ્ટાફ પણ કિરણ બેદીની પ્રતિબદ્ધતાથી કેમ ઉમદા સ્ટાફ બન્યો તે જોવા મળે છે. નેતૃત્વના બધા જ ગુણોનો અભ્યાસ કરી શકાય છે. તે જ રીતે સમાજની ભાગીદારી કેમ લઈ શકાય અને કઈ હદે તે મળી શકે તે પણ અહીં જોવા મળે છે. કિરણ બેદીની બહુપરિમાણી સિદ્ધિઓ દેખાય છે જે વાચકને પણ પ્રોત્સાહિત કરે છે.

 

(હરેશ ધોળકિયા, ન્યૂ મિન્ટ રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ-૩૭૦૦૦૧. ફોન ૦૨૮૩૨-૨૨૭૯૪૬)

 

હંમેશા શક્ય છે-કિરણ બેદી, અનુવાદ: હરેશ ધોળકિયા 

પ્રકાશક: આર. આર. શેઠની કંપની

કિંમત: રૂ. ૧૭૫.૦૦

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

 

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

 

samay-ne-sathvare1samay-ne-sathvare12

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સમયને સથવારે(સાયલન્સ પ્લીઝ ભાગ-૨)-ડો. આઈ. કે. વીજળીવાળા

પ્રકાશક: ડો. આઈ. કે. વીજળીવાળા

વિક્રેતા: આર. આર. શેઠની કંપની

કિંમત: રૂ. ૬૦.૦૦