ગુરુ પૂર્ણિમા-વૈભવી જોશી

આમ જોવા જઈએ તો આખા વર્ષ દરમિયાન અનેક પૂર્ણિમા આવે છે જેમ કે, શરદ પૂર્ણિમા, કાર્તિકિ પૂર્ણિમા, વૈશાખ પૂર્ણિમા વગેરે… પરંતુ આ બધામાં આજની અષાઢી પૂર્ણિમા થોડી વધારે ખાસ તો ખરી જ, કેમ કે અષાઢી પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે.

.

જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. આદિ ગુરુ મહર્ષિ વેદ વ્યાસનો જન્મ અષાઢ પૂર્ણિમા પર થયો હતો. તેમનાં માનમાં અને ગુરુનું મહાત્મ્ય સમજવા માટે તથા એમનાં પ્રત્યેનાં પૂજ્યભાવને પ્રગટ કરવા માટે અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે.

.

અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમાની ખબર પડતી નથી. હું એટલું ચોક્કસ કહીશ કે આજે રાત્રે અષાઢી પૂનમનો ચાંદ ખાસ જોજો. આકાશમાં વાદળો છવાયેલા હોય છે અને ચંદ્ર દેખાતો નથી. ચંદ્ર વગરની કેવી પૂર્ણિમા ! તમે ક્યારેય કલ્પના કરી શકો છો ? ચંદ્રનાં ચમકતાં કિરણો વિના, પૂર્ણ ચંદ્રનો અર્થ શું હશે ? જો પૂર્ણ ચંદ્રનો ઉલ્લેખ કરવામાં આવે તો શરદ પૂર્ણિમાને કેમ શ્રેષ્ઠ માનવામાં આવે છે ?

.

અષાઢની પૂર્ણિમાની પસંદગી પાછળ ખૂબ ઊંડો અર્થ રહેલો છે. ગુરુ સંસ્કૃતમાંથી ઉતરેલો શબ્દ છે. શાસ્ત્રોમાં ‘ગુ’ નો અર્થ અંધકાર અને ‘રુ’ એટલે તેમાંથી બહાર લાવનાર. આ મુજબ ગુરુનો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર એવો થાય છે.

.

આ અર્થ મુજબ જોવા જઈએ તો ગુરુ પૂર્ણિમાનાં ચંદ્ર જેવા છે, જે પ્રકાશથી ભરેલાં છે અને શિષ્ય અષાઢનાં વાદળો જેવા છે. અષાઢમાં, ચંદ્ર વાદળોથી ઘેરાયેલો છે જેમ ગુરુ વાદળો જેવા શિષ્યોથી ઘેરાયેલા છે. શિષ્ય બધા પ્રકારનાં હોઈ શકે છે. તેઓ કાળા વાદળો જેવાં છે અને તેમાં પણ ગુરુ ચંદ્રની જેમ ચમકી શકે છે. તે અંધકારમય વાતાવરણમાં પણ પ્રકાશ લાવી શકે છે, તે જ ગુરુ પદની શ્રેષ્ઠતા છે.

.

અષાઢી પૂર્ણિમા ભક્તિ અને જ્ઞાનનાં રસ્તે ચાલતાં સાધકો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે આકાશમાં અલ્ટ્રા વાયોલેટ રેડિએશન ફેલાય છે. જેનાં કારણે વ્યક્તિનું શરીર અને મન એક વિશેષ સ્થિતિમાં આવી જાય છે. ત્યારે આ સ્થિતિ સાધક માટે ખૂબ જ લાભદાયી હોય છે. ખગોળ શાસ્ત્રની દ્રષ્ટિએ એની અસર એ થાય છે કે, ધ્યાન વગેરે માટે આ સમય સૌથી ઉત્તમ બની જાય છે. આત્મઉત્થાન અને કલ્યાણ માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ અતિ ઉત્તમ છે.

.

આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે. મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતાપિતા પછી એને શિક્ષિત કરનાર ગુરુ કે શિક્ષકનું સ્થાન વિશિષ્ટ છે. જોકે હવે ગુરુ શિષ્યની પરંપરા તો રહી નથી પણ ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો ઈતિહાસ આદિકાળથી છે. ગુરૂપૂર્ણિમા એટલે મહાભારતનાં રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીનો જન્મદિવસ.

.

આદિ ગુરુ ભગવાન નારાયણ જ વેદવ્યાસનો અવતાર લઈ પ્રગટ થયાં હતાં એવી માન્યતા છે. એમનાં જીવનનો સાર એ છે કે જ્ઞાનનો વિસ્તાર થવો જોઈએ. એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ. જ્ઞાન એકલું પૂરતું નથી પણ તેની સાથે કર્તવ્ય, નિષ્ઠા અને સમર્પણ પણ ભળવાં જોઈએ. ભગવાન પણ અવતાર લઈને આવે છે ત્યારે ગુરુ ગૃહે જઈ વિદ્યાભ્યાસ કરી ગુરુ પૂજનનું મહત્વ સમજાવે છે.

.

વેદ-વ્યાસજીનો જન્મ યમુના નદીનાં દ્વીપમાં થયો હતો માટે તેમનું નામ ‘દ્વૈપાયન’ પડ્યું, શરીરનો રંગ શ્યામ હોવાથી તેમનું નામ ‘કૃષ્ણ દ્વૈપાયન’ પડયું અને સૌ પ્રથમ વેદોનાં વિભાગ કરવાથી તેઓ ‘વેદ-વ્યાસ’ તરીકે ઓળખાયા. એજ ‘વેદ-વ્યાસજી’નાં સંભારણા એટલે ગુરુપૂર્ણિમા જેને વ્યાસે પૂર્ણિમા કહેવાય છે. એમના પિતા મહામુની પરાશર હતાં અને માતા સત્યવતી. વેદ વ્યાસજીએ ૧૮ પુરાણો અને અનેક ગ્રંથોની રચના કરી છે. તેઓ સંસ્કૃતનાં પ્રખર વિદ્વાન હતાં.

.

ખરેખર તો ગુરુનાં ગુરુ ભગવાન નારાયણ છે છતાં ભારતીય પરંપરામાં નારાયણ સુધી લઈ જનાર ગુરુનું અનેરું મહત્વ છે. ભારતીય સનાતન ધર્મનો મૂળ આધાર વેદ, ઉપનિષદ અને ગ્રંથો છે. ગહન વેદોને સરળ ભાષામાં સમજાવી, લોકભોગ્ય બનાવી ઘરેઘરે પહોંચાડનાર જો કોઇ હોય તો તે મહર્ષિ વેદવ્યાસ છે. વિશ્વનો સૌથી મોટો ગ્રંથ જેમાં એક લાખ શ્લોકો છે એવા મહાભારતની રચના પણ તેમણે જ કરી છે.

.

‘બ્રહ્મસૂત્ર’ જેવાં તત્વજ્ઞાનથી ભરપુર અદ્વિતીય ગ્રંથની રચના પણ તેમણે કરી હતી. વ્યાસ મુનિએ તેમનાં ચાર મુખ્ય શિષ્યોને વેદોનું જ્ઞાન આપ્યું હતું, ‘વૈશમ્ગ્પાયમુનિ’ને યજુર્વેદ, ‘જૈમીની’ મુનીને ‘સામવેદ’, ‘સુમન્તુમુની’ને ‘અર્થવવેદ’ જયારે ‘સૂતમુનિ’ને ઈતિહાસ અને પુરાણનું જ્ઞાન આપ્યું હતું. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણે વ્યાસને પોતાની વિભૂતિ બતાવી છે, સનાતન ધર્મમાં જે સાત ચિરંજીવી છે તેમાંનાં એક વ્યાસ મુનિ પણ ચિરંજીવી છે.

.

વેદ વ્યાસજીએ શ્રીમદ મહાભારત આદિ ગ્રન્થોની રચના અને વેદોનાં ચાર ભાગ કરી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખીને વિશ્વમાં ગુરુ સ્થાને મુકી છે. એવા મહર્ષિ વેદ વ્યાસનાં ઋણને ભારતીય પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી. વિશ્વની પ્રજા જ્યારે અંધકારમાં જીવતી હતી ત્યારે ભારત વર્ષમાં ધર્મનો સૂરજ ઝળહળતો હતો જેનાં જ્યોર્તિધર હતાં મહર્ષિ વેદ વ્યાસ.

.

ગુરુ પૂર્ણિમા બૌદ્ધ ધર્મનાં લોકો માટે પણ ખૂબ જ શુભ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે જ ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. જેથી આ દિવસને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે. આ તહેવાર હિંદુઓ, જૈનો અને બૌદ્ધો દ્વારા પોતાનાં ગુરુનો આદર કરવા માટે ખૂબ સન્માનભેર ઉજવવામાં આવે છે.

.

મને હંમેશા સાચા માર્ગ તરફ દોરવા માટે, મારામાં સંસ્કારોનું સિંચન કરવા માટે, મારાં ઘડતર પાછળ અથાગ પરિશ્રમ કરવાં માટે અને મને જીવનનો સાચો અર્થ સમજાવવાં માટે મારાં સહુ પ્રથમ ગુરુ માતાપિતાની આજીવન ઋણી તો ખરી જ. પણ એ સિવાય આ ગુરુ પૂર્ણિમાનાં પાવન અવસર પર મારાં જીવનનાં ઉત્કર્ષમાં શરૂઆતથી આજદિન સુધી પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે અગત્યનો ભાગ ભજવનાર સૌ ગુરુજનો, શિક્ષકો અને મહાનુભાવોને યાદ કરું છું અને કોટી કોટી વંદન કરું છું. આજનો દિવસ એ ઋણ સ્વીકારનો અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે.

.

હું રહી કૃષ્ણપ્રેમી એટલે મારે મન તો ગુરુઓનાંય ગુરુ એવાં જગતગુરુ શ્રી કૃષ્ણને મનોમન વંદન કરવાનો દિવસ પણ જેમણે પૃથ્વી પર મનુષ્ય અવતાર લઈને એ તમામ ગુણો પછી એ ક્રોધ હોય, સુખ હોય કે પીડા અનુભવી જાણ્યા અને જીવી પણ જાણ્યા. જીવન જીવવાની સાચી રીત મનુષ્ય તરીકે જીવીને બતાવી. એનાથી ઉત્તમ ગુરુ બીજું કોણ હોઈ શકે?

.

ગુરુપૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનો પણ દિવસ. દરેક વ્યક્તિએ પોતાનાં જીવનમાં ગુરુ અવશ્ય બનાવવા જોઈએ. ગુરુ પૂર્ણિમા અંધશ્રદ્ધાનાં આધારે નહિ પણ આદરથી અને યોગ્ય વ્યક્તિ માટે ઉજવાવી જોઈએ. આપ સહુને મારાં તરફથી ગુરુપૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!

.

( વૈભવી જોશી )

તડકા ઉપર – નરેશ સોલંકી

તડકા ઉપર

કાળી રાત ઢોળીને

આ કોણ ચાલ્યું ગયું?

તડકાને અડતા જ

બેઉ હાથ કાળા થઈ જાય છે.

હાથ જ્યાં જ્યાં અડકે

દીવાલ કાળી

બારી કાળી

બારી બહાર હાથ લાંબો કરતા

સમગ્ર ક્ષિતિજ કાળી

કાગડો રાજી

કોયલ રાજી

રાજી થાતું અંધારું

નથી ભેદ

હવે લાલ પીળા લાલનો

કાળી ધોળી ખાલનો.

.

છેદ કર્યો છે કોણે

આમ કાળી રાતમાં?

કોણે તેની આંખમાં

નાખી છે કાળી શાહી

કે પછી લોહી જ સુકાઈને

બની ગયું છે કાળું.

.

( નરેશ સોલંકી )

તાન્કા – ફિરોઝ હસ્નાની

.

(૧)

હોળીના રંગે

કાનજી સંગ રાધા

થ્યો રંગોત્સવ,

તેથી મંદિર દ્વારે

મળે તેનો સંગમ.

.

(૨)

લાગણીને ક્યાં ?

હોય છે ભેદ કશા

રંક રાયના,

કૃષ્ણએ ખાધી ભાજી

હેતથી વિદુરની !

.

(૩)

લાગણી ભલે

અભણ રહી ગઈ

સાચી તો ખરી,

શબરીના બોર જો

એટલે ચાખે રામ.

.

( ફિરોઝ હસ્નાની )

मैं फटी जींस नहीं पहनती, लेकिन प्रगतिशील हूँ-पंकज प्रसून

.

मैं फटी जींस नहीं पहनती।
क्योंकि मेरी प्रगति
कपड़ों के छेदों से नहीं मापी जाती।
मेरी आज़ादी
घुटनों से झांकती खाल में नहीं है।
वो तो मेरी रीढ़ की उस सीध में है
जो भीड़ की तालियों पर नहीं डगमगाती।

.

मेरा नारीत्व
कपड़ों के चिथड़ों में नहीं टंगा,
वो मेरी आवाज़ में बसता है —
जो झूठ को झूठ कहने की हिम्मत रखती है।
मेरा नारीवाद
शरीर की परतें खोलकर वाहवाही पाने में नहीं,
सच बोलने की ताकत में है।

.

मुझे दिखावे की आज़ादी नहीं चाहिए।
मेरी आज़ादी वो है
जो अपने घर की देहरी से लेकर
दुनिया की पंचायत तक
अपना सच कह सके।

.

हाँ, मैं जींस पहनती हूँ —
वो जींस जो मेरे डीएनए में बुनी है।
वो जींस जिसमें गार्गी की बुद्धि है,
मीराबाई की जिद है,
रानी लक्ष्मीबाई की जंग का साहस है,
कल्पना चावला का आकाश छू लेने का सपना है,
पी.वी. सिंधु की हर स्मैश में गूंजती गरज है,
मेरी कोम की हर मुक्के में भरी असंभव जीत है,
और इसरो की उन बेटियों की वो आग है
जिन्होंने मंगल की ज़मीन पर
भारत का निशान जड़ दिया।

.

मेरी प्रगति उस लड़की की तरह है
जो गाँव से शहर आई,
किताबें उठाईं, सपनों की सीढ़ियाँ खुद बनाई।
जो रैम्प पर नहीं चढ़ी,
पर अपनी मेहनत से
ज़िंदगी की ऊँचाईयों पर पहुँची।

.

मैं जानती हूँ —
फटी जींस पहनना आसान है।
उससे ज़्यादा मुश्किल है
सोच के छेदों को सीना,
संस्कारों की सिलाई को बचाना।

.

अब बाजार में
जींस के छेद बिकते हैं,
आत्मा की सच्चाई नहीं।
दिखावे का गर्व बिकता है,
विचारों की गहराई नहीं।

.

अब सवाल ये नहीं कि कपड़े कितने फटे हैं,
सवाल ये है कि सोच कितनी बची है।
सवाल ये नहीं कि घुटने दिखे या छुपे,
सवाल ये है कि हिम्मत कितनी सच्ची है।
सवाल ये नहीं कि तुमने क्या ओढ़ा है,
सवाल ये है कि आँधियों के सामने
तुम कितना अडिग रह सके।

.

( पंकज प्रसून, लखनऊ )

आषाढ़, तुमने ये क्या किया ?-भानु प्रताप सिंह

आषाढ़,

तुमने ये क्या किया?

अमलतास के बदन से

पीली मोतियां छीन लीं!

.

ज़मीन पर बिखरी

बारिस की बूंदों में लिपटी

धूल में सनी

ये पीली मोतियां

कितनी बेबस दिख रही हैं

.

मेरे अमलतास !

तुम अपने मौसम में

फिर खिलना

अपने यौवन को फिर पाना

.

आषाढ़ नहीं आ सकता

चैत, बैसाख और जेठ में

वरना तुम्हारे यौवन को देख

मचल जाता

.

फिर नहीं आती

पृथ्वी के हिस्से ये बारिस

.

मेरे अमलतास!

मैंने

तुम्हारी अनगिनत पीली मोतियां

अनगिनत प्रेमी जोड़ों के पास

संभाल के रख दी हैं

.

तुम्हें मिट्टी होते

ये जोड़े नहीं देख सकते

.

( भानु प्रताप सिंह ) 

મને ક્યાં આવડે છે હેં ભૂરા ?-દીપક ત્રિવેદી

નિસરણીથી ઊતરવાનું મને ક્યાં આવડે છે હેં ભૂરા ?
તણખલાથી જ તરવાનું મને ક્યાં આવડે છે હેં ભૂરા ?

.

ખૂલી આંખે મેં જોયું’તું સપન એ તું જ પરગટ કર હવે,
બધાં સપનાંઓ લખવાનું મને ક્યાં આવડે છે હેં ભૂરા ?

.

નથી સમજણ ગુલાબોની ચમેલી રાતરાણી, જૂઈની
કમળ સઘળે ખીલવવાનું મને ક્યાં આવડે છે હેં ભૂરા ?

.

તમે ઊભા નદીકાંઠે અને હું રણ મહીં ભટક્યા કરું
નદીકાંઠે વરસવાનું મને ક્યાં આવડે છે હેં ભૂરા ?

.

નહીં છોડે જગતમાંથી ભલે ભગવાન આવે સ્વર્ગથી
ફૂદરડીભેર ફરવાનું મને ક્યાં આવડે છે હેં ભૂરા ?

.

નશો તો આ કલમની દેણગી એ પારખો, પંડિતજી રે !
નથી બાક્સ ? સળગવાનું મને ક્યાં આવડે છે હેં ભૂરા ?

.

ઢળે છે રાત ને દિવસ અવિરત સૂર્ય ને આ ચંદ્રમા
ઉમળકાભેર ઢળવાનું મને ક્યાં આવડે છે હેં ભૂરા ?

.

( દીપક ત્રિવેદી )

हताशा से एक व्यक्ति बैठ गया था-विनोदकुमार शुक्ल

हताशा से एक व्यक्ति बैठ गया था

व्यक्ति को मैं नहीं जानता था

.

हताशा को जानता था

ईसलिए मैं उस व्यक्ति के पास गया

.

मैंने हाथ बढाया

मेरा हाथ पकडकर वह खडा हुआ

.

मुझे वह नहीं जानता था

मेरे हाथ बढाने को जानता था

.

हम दोनों साथ चले

दोनों एक दूसरे को नहीं जानते थे

.

साथ चलने को जानते थे

.

( विनोदकुमार शुक्ल )

तुम आओ तो जरा बता देना⁣-हेमन्त परिहार

तुम आओ तो जरा बता देना⁣

मैं थोड़ा घर अपना सजा दूंगा⁣

बहुत काँटे चुभते हैं यूँ तो⁣

तन्हाई की इस राह पर मुझे⁣

तुम आओ तो जरा बता देना⁣

मैं कुछ फूल प्रेम के बिछा दूंगा⁣

⁣.

बायीं तरफ से टूटा हुआ है सोफा⁣

जरा दायीं तरफ ही बैठना तुम⁣

मैं चाय बना कर लाऊं तब तक⁣

दीवार पे अपनी तस्वीरें देखना तुम⁣

ऊब लगे तुम्हें तो,बेहिचक जता देना⁣

मैं कोई गीत तुम्हारे लिए गा दूंगा⁣

⁣.

घर के हर कोने में रखी हैं यादें⁣

प्रतीक्षा में पथरा गई हैं अधूरी बातें⁣

उन्हें आहिस्ता-आहिस्ता छूना तुम⁣

छूना मेरी आँखों के आंसुओं को भी⁣

इंतज़ार में ठोस हुए हृदय को छूकर⁣

पुनः पत्थर से अहिल्या करना तुम⁣

असहज हो मन भीतर तो इशारे से बता देना⁣

मैं दो चेयर बालकनी में लगा दूंगा⁣

⁣.

आ ही जाओ तो जरा ⁣

शाम तक ठहरना तुम⁣

खाना अच्छा बना लेता हूँ अब⁣

चख कर जरूर देखना तुम⁣

मुझे देखना,घड़ी मत देखना तुम⁣

जान बूझ कर बिखराई है मैंने किताबें⁣

अपने हाथों से एक बार समेटना तुम⁣

जाने का हो समय जब⁣

अपना सर मेरे कांधे से बस सटा देना⁣

मैं यह कविता तुम्हें सुना दूंगा।⁣

.

तुम आओ तो जरा बता देना⁣

मैं थोड़ा घर अपना सजा दूंगा⁣।

.

⁣.( हेमन्त परिहार )⁣

हर तरफ़ तेज़ आँधियाँ रखना-ध्रुव गुप्त

हर तरफ़ तेज़ आँधियाँ रखना
बीच में मेरा आशियाँ रखना

.

धूप छत पर हो, हवा कमरे में
लॉन में शोख़ तितलियाँ रखना

.

चाँद बरसे तसल्लियों की तरह
घर में दो-चार खिड़कियाँ रखना

.

अपनी दुनिया है दिल-फ़रेब बहुत
एक दिल को कहाँ कहाँ रखना

.

तूम रहोगे, जहाँ ज़मीं है तेरी
मैं जहाँ हूँ, मुझे वहाँ रखना

.

लफ़्ज़ मिल जाएँ तो बयाँ होगा
होंट काँपे तो उँगलियाँ रखना

.

बाँह फैले तो तुम को छू आए
फ़ासला इतना दरमियाँ रखना

.

मेरे लफ़्ज़ों में दर्द दे या रब
मेरे मुँह में मेरी जुबाँ रखना

.

( ध्रुव गुप्त )

એમણે તમને કાળું ઘેટું કહી બોલાવ્યા – અજ્ઞાત (અનુ. બકુલા ઘાસવાલા)

They called you the black sheep.

Not because you were wrong — but because you were different.

.

While the herd followed the path without question, you paused. Looked up. Listened to the wind.

And whispered, “There must be another way.”

.

The black sheep doesn’t blend in.

Not because they can’t…

But because they won’t.

.

They’ve seen too many cliffs disguised as traditions. Too many cages called “normal.”

.

So they step out. Alone, maybe. But awake. 🖤✨

They ruffle feathers. Stir waters. Break silence.

And sometimes — they build the bridges the flock never knew it needed.

.

To every black sheep out there:

You are the quiet revolution.

The shift in the pattern.

The wild note in the chorus.

.

You don’t need to fit in.

You were born to stand out — and lead forward. 🖤

.

(Unknown)

.

એમણે તમને કાળું ઘેટું કહી બોલાવ્યા.

એટલા માટે નહીં કે તમે ખોટા હતા – પરંતુ

તમે અલગ અને અનોખા હતા એટલે!

.

જ્યારે ટોળું વગર સવાલે એકમાર્ગી ચાલતું હતું,

તમે થંભી જઈ શ્વાસ લેતા હતા,

આંખો ઉઘાડીને ઉપર જોતા હતા અને પવનની દિશામાં નજર રાખી ગણગણતા હતા,

“બીજો કોઈ રસ્તો જરૂર હશે.”

.

કાળું ઘેટું એમાં સમરસ થયું નહીં.

એટલા માટે નહીં કે એને ન આવડે

પણ એણે થવું ન હતું.

.

કંટાળાજનક બુઝર્વા પરંપરાઓગ્રસ્ત

એમણે ઘણી પથરાળ-કંકર જમીન જોઈ હતી.

ઘણાં પિંજરાઓ સહજપણે જોયાં હતાં.

.

તેથી એઓ થંભી ગયા હતા.

વખતે એકલાં જ, પરંતુ સજાગ અને સચેત.

.

એમણે પાંખો પસારી એને ભીંજવી, પછી

મૌન તોડ્યું.

અને ક્યારેક—એમણે ટોળાંની જાણબહાર

સેતુ બાંધીને ચલાવ્યું

.

દરેક કાળા ઘેટાંથી તમે અલગ રીતે બહાર જઈ:

ટોળામાં જંગલીસૂરે,

નોખી શૈલીથી પરિવર્તિત, 

તમે શાંત ક્રાન્તિકારી બની રહ્યા.

.

તમને એમાં ભળવાની જરૂર જ નો’તી, કારણ

તમે તો જન્મજાત અલગ અને અડગ આગળ વધી સીમા પાર કરી

સુકાન સંભાળનાર.

.

 ( અજ્ઞાત, ગુજરાતી અનુવાદ : બકુલા ઘાસવાલા )