હું વિનાશથી નિર્બલ થઈ જાઉં ત્યારે
મને સમુદ્ર પાસે જવા દો.
અતાગ સમુદ્રને કાંઠે મને બેસવા દો.
રાતદિવસ સતત પછડાતાંને ઊછળતાં રહેતાં
મોજાંઓ મને નિહાળવા દો.
મને સમુદ્રકાંઠે બેસવા દો
અને કાતિલ સમુદ્રી પવનોને
પોતાના ઠંડાગાર ભીના હાથ વડે મારા ગાલ પર
થપાટો મારવા દો
હું ફરી પાછી સ્વસ્થ થાઉં ત્યાં સુધી
રાતે મને આકાશ નિહાળવા દો
અને તારાઓને વાત કરવા દો
અસીમ ક્ષિતિજો અને અજાણ્યાં વિશ્વોની,
હું ફરી પાછી શાંત ને સબળ થાઉં ત્યાં સુધી.
.
( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )