મોત (ત્રણ કાવ્યો)-જયંત દેસાઈ

By heenaparekh  

(૧)

જરા, જો તો…..

કોણ

દરવાજો ખટખટાવે છે ? !!

અરે, હા ! સાંભળ,

કદાચે’ક તો

પેલું નવરું, નખ્ખોદિયું

મોત જ હશે-

એ જો નીકળે, ને ??

તો કહી દેજે :

“નથી”, ‘એ’ તો બહાર ગયા છે.

.

(૨)

બસ

એક જ મિનીટ થોભી જા.

મોતને છેલ્લી

કાકલૂદી કરી જો ઉં…..

કદાચ,

માની યે જાય !!

આમે, જન્મોનાં ચોપાનિયાં

ઉથલાવતાં જ તો એને જડી’તી

મારી છબિ-

જોવી છે તારે ??

એણે ‘સાઈન’ પણ કરી છે, પાછળ !!

.

(૩)

આ દુનિયામાં

ગતાગમ જેવી ય કોઈ

ચીજ તો હશે, ને ?

હમણાં, જ

યમરાજનો ટેલિફોન આવ્યો હતો-

લાગે છે : હમણાં હમણાંથી

એમની ‘ડીરેક્ટરી’નાં

‘પ્રિન્ટીંગ’માં

કંઈને કંઈ ‘ફિયાસ્કો’

થયા જ કરે છે.

મેં તો કહી દીધું : ‘રોંગ નંબર ….. !’

હા વળી !!

કોણ રોજ ઉઠીને …………………!!

.

( જયંત દેસાઈ )

Share

One Comment

  1. Posted January 4, 2011 at 3:51 am | Permalink | Reply

    સરસ ,
    વધુ કહેવાનું મન થય છે
    હું પુછુ છું કે આ યમરાજની ફરજ બદલી ક્યારે થશે ?

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME