જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુ:ખની ગાંઠો રે
કદીક હોય મઝધારે ઝૂઝવું, કદીક મળી જાય કાંઠો રે.
.
રાત-દિવસની રમણાઓમાં અંધારું, અજવાળું રે
તેજ-તિમિરના તાણાવાણા, વસ્તર વણ્યું રૂપાળું રે.
.
હરિનું દીધેલ હડસેલી તું આમ શીદને નાઠો રે?
જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુ:ખની ગાંઠો રે
.
રાજમારગે ચાલ ભલે પણ ભૂલીશ મા તું કેડી રે
ડગલે પગલે વ્હાલ કરીને લેશે તુજને તેડી રે.
.
શુભ અવસરની જેમ જ લે તું અવસર પોંખી માઠો રે
જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુ:ખની ગાંઠો રે.
.
( લાલજી કાનપરિયા )
સરસ અને ગહન વાત સાથે કવિએ જીવતરને શેરડીનાં સાંઠા સાથે સરખાવી પાકટ કવિકર્મ અને આધ્યાત્મિક વૈચારિક સમૃદ્ધિનો પરિચય કરાવ્યો આપણને….
સુંદર માર્મિક રચના.
nice song..