એકાંતના કિનારે – મીરા આસીફ

વેરાન મારા ઘરના આંગણની વાત કર મા !

તૂટેલ-દ્વાર કેરા તોરણની વાત કર મા !

 .

થંભી જશે કદાચિત દુ:ખતા હૃદયની ધડકન,

દે તું દવા, દરદના કારણની વાત કર મા !

 .

એકાંતના કિનારે બેસી નિહાળ દુનિયા,

દીવાના લોકો પાસે સમજણની વાત કર મા !

 .

આ જિન્દગી કરી દઉં બસ ઓળઘોળ તુ જ પે,

તું ફૂલ કે ભ્રમરના સગપણની વાત કર મા !

 .

સીવી લે હોઠ તારા મોસમ ભલેને છલકે,

પિંજરમાં કેદ થઈને ફાગણની વાત કર મા !

 .

સોમલને તું ગઝલમાં ઘૂંટીને પી જા મીરા!

તારી તરસના ધારાધોરણની વાત કર મા !

 .

( મીરા આસીફ )

Share this

2 replies on “એકાંતના કિનારે – મીરા આસીફ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.