ઈશ્વરની હથેળી જેવા
પાંદડા ઉપર
હવા કોનું નામ લખે છે
એ જાણવાનો વિસ્મય
હજી હું જાળવી શક્યો છું
એના આનંદથી
હું રોજ નવાનકોર ઊગતા સૂર્યનું
પૂર્ણ ઉમળકાથી સ્વાગત કરું છું.
.
હવે મને
વીતી ગયેલી રાત
પરાઈ લાગે છે
અને દિવસ મને મારો લાગે છે.
.
કોઈક આપણું હોય
અને આપણે પણ કોઈકના હોઈએ
પછી એને પ્રેમ કહેવાય કે નહીં
એની પળોજણમાં પડ્યા વિના
હું મારી રીતે
મારું જીવન આમ ને આમ
ઊજવતો જાઉં છું
-અને આપણું ગીત
તરોતાજા લયમાં ગાઉં છું.
.
( સુરેશ દલાલ )
આ સાહચર્ય સુખદ બની રહે એવી ઈશ્વર ને પ્રાર્થના…
આ સાહચર્ય સુખદ બની રહે એવી ઈશ્વર ને પ્રાર્થના…