શાંતિનિકેતન (ચિત્રકથા-૭)

શાંતિનિકેતન પરિસરમાં મારી નજરમાં આવેલા કેટલાક શિલ્પો અને ચિત્રો

.

સંથાલ પરિવાર - શિલ્પકાર : રામકિંકર બૈજ

.

સંથાલ પરિવાર - શિલ્પકાર : રામકિંકર બૈજ

.

.

.

.

.

.

ભગવાન બુદ્ધ

.

દાંડી કૂચ માટે નીકળેલા મહાત્મા ગાંધી

.

.

.

.

.

.

.

.

સમાપ્ત

શાંતિનિકેતન (ચિત્રકથા-૬)

નાટ્યઘર

.

નાટ્યઘર

નન્દનની સામે તથા રવીન્દ્રભવનની પશ્ચિમ દિશામાં એક મોટો હોલ છે એનું નામ છે ‘નાટ્યઘર’. હોલની અંદર મંચની બન્ને બાજુ અને ઉપરની દીવાલો પર રામકિંકર બૈજ દ્વારા બનાવેલા ચિત્રો છે. એક બાજુ નારદ છે તથા બીજી બાજુ નૃત્યની મુદ્રામાં લાલન ફકીર છે. રવીન્દ્રસપ્તાહ, વર્ષામંગલ, શરદોત્સવ વગેરે કાર્યક્રમો અહીં થાય છે.

.

કાલાઘર

.

કાલાઘર

.

કાલાઘર

.

કાલાઘર

.

.

કાલાઘર

કલાભવન વિસ્તારમાં થોડા આગળ જતાં સંગીતભવનની પાસે કલાભવનના વિદ્યાર્થીનું છાત્રાવાસ છે જેનું નામ છે ‘કાલાઘર’. આ માટીનું ઘર છે. ઘરની દીવાલો તથા થાંભલાઓ શિલ્પોથી અલંકૃત છે. દેશ-વિદેશની વિવિધ શિલ્પકૃતિઓના અનુકરણમાં આ કૃતિઓ બનાવવામાં આવી છે. આની પરિકલ્પના નન્દલાલ બસુએ કરી હતી. વરસાદના પાણીથી આ કૃતિઓ નાશ ના પામે એટલા માટે એના પર coal tarનો લેપ નિયમિત રીતે લગાવવામાં આવે છે.

.

માધવી ગર્લ્સ હોસ્ટેલ

.

માધવી ગર્લ્સ હોસ્ટેલ

.

.

પેઈન્ટીંગ ડિપાર્ટમેન્ટ

.

.

.

.

.

.

ક્રમશ:

શાંતિનિકેતન (ચિત્રકથા-૫)

ગૌર પ્રાંગણ

.

ગૌર પ્રાંગણ

સિંહસદ અને પાઠભવનની વચ્ચે જે મોટું મેદાન છે તેનું નામ છે ગૌર પ્રાંગણ. શાંતિનિકેતનના પૂર્વ વિદ્યાર્થી અને અધ્યાપક ‘ગૌરગોપાલ ઘોષ’ની સ્મૃતિમાં આ પ્રાંગણનું નામ ‘ગૌર પ્રાંગણ’ રાખવામાં આવ્યું છે. નેતાજી સુભાષચંદ્રનો જન્મદિવસ, સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસના અવસર પર અહીં કાર્યક્રમો રાખવામાં આવે છે.

.

વિદ્યાલય ગૃહ

.

વિદ્યાલય ગૃહ

.

વિદ્યાલય ગૃહ

.

વિદ્યાલય ગૃહ

.

વિદ્યાલય ગૃહ

.

વિદ્યાલય ગૃહ (પાઠભવન-જૂનું ગ્રંથાગાર)

સિંહસદનની સામે ગૌર પ્રાંગણની ઉત્તર દિશામાં વિદ્યાલય ગૃહ છે. જેમાં પાઠ ભવનની ઓફિસ છે. પહેલા અહીં વિશ્વવિદ્યાલયનું ગ્રંથાગાર હતું. આ ઘરના એક માળને ૧૮૯૯માં બલવેન્દ્રનાથ ટાગોરે બનાવડાવ્યો હતો. ૧૯૦૧માં રવીન્દ્રનાથે આ ઘરમાં બ્રહ્મચર્યાશ્રમ વિદ્યાલયનો આરંભ કર્યો હતો. આ ઘરના વરંડાને વિવિધ ચિત્રોથી સજાવવામાં આવ્યો છે. (હજુ થોડા વધુ ચિત્રો વરંડાની દીવાલો પર હતા જેના ફોટોગ્રાફ્સ લઈ શકાયા હોત. પણ બે મળેલા જીવ શાંતિથી ત્યાં બેસીને વાતો કરતા હતા. તો તેમને ખલેલ પાડવાનું યોગ્ય ન લાગ્યું).

.

છાતિમતલા

.

છાતિમતલા

.

છાતિમતલા

.

છાતિમતલા

.

છાતિમતલા

શાંતિનિકેતન આશ્રમનું પ્રાણકેન્દ્ર છે “છાતિમતલા”. એ ઉત્તરાયણની સામે સ્થિત છે. ઈ.સ. ૧૮૬૨માં મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર જ્યારે રાયપુરથી લોર્ડ ભૂવનમોહન સિંહના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં આ છાતિમતલામાં થોડો સમય વિશ્રામ અને ઉપાસના કરી હતી. અહીં તેમણે ધ્યાન દરમ્યાન મનની શાંતિનો અનુભવ કર્યો હતો. ત્યારે તેમને પહેલી વખત આ જગ્યાએ શાંતિનિકેતન આશ્રમની સ્થાપના વિશે વિચાર આવ્યો હતો. આ જગ્યા છાતિમ વૃક્ષ, શાલ, તાલ, મહુઆ, બેડા દ્વારા ઘેરાયેલી છે. જેની વચ્ચે મનોરમ્ય વેદી છે. વેદીની ઉપર સફેદ પત્થરો પર લખ્યું છે “”तिनि आमार प्राणेर आराम, मनेर आनन्द, आमार शांति’. આ મહર્ષિ દેવેન્દ્રનાથની આત્મ ઉપલબ્ધિ છે.

.

કલા ભવન

.

.

કલા ભવન

.

કલા ભવન (નવનન્દન)

રવીન્દ્રભવન અને નાટ્યઘરની દક્ષિણ દિશામાં શ્રીનિકેતન જવાની પાકી સડકના કિનારે આવેલું છે ‘કલાભવન’. જેનું ઉદ્દઘાટન ૧૯૮૧માં ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. કલા ભવનના જૂના ઘરનું નામ હતું ‘નન્દન’. આ નામ નન્દલાલ બસુ દ્વારા આપવામાં આવ્યું હતું. આ પરથી જ નવા ઘરનું નામ પડ્યું ‘નવનન્દન’. અહીં પ્રદર્શન કક્ષા સિવાય સંગ્રહશાળા, ગ્રંથાગાર અને ઓફિસ છે. સંગ્રહશાળામાં પ્રતિષ્ઠિત કલાકારોના ચિત્રો તથા શિલ્પોનો સંગ્રહ છે. પ્રદર્શન કક્ષમાં ચિત્રોનું પ્રદર્શન યોજાય છે.

નવનન્દનથી થોડે દૂર કલા ભવન છે. આ વિસ્તારમાં વિખ્યાત શિલ્પિઓ રામકિંકર બૈજ, નન્દલાલ બસુ, વિનોદબિહારી મુખોપાધ્યાય, સોમનાથ હોડ પ્રભિતિ વગેરે દ્વારા તૈયાર કરવામાં આવેલા ચિત્રો કે શિલ્પો મૂકવામાં આવ્યા છે. ઘરદ્વાર પણ શિલ્પકલા દ્વારા અલંકૃત છે. ભવનના વિભિન્ન સ્ટુડિઓ વિદ્યાર્થીઓ માટે ખૂલ્લા રહે છે. અહીં વિતાવેલી પ્રત્યેક ક્ષણ દર્શકોને મોહિત કરી દે છે.

                                                                                                                                                                  ક્રમશ:

શાંતિનિકેતન (ચિત્રકથા-૪)

 

આમ્રકુંજ

.

આમ્રકુંજ

.

આમ્રકુંજ

.

.

આમ્રકુંજ

ઉત્તરમાં મંદિર અને દક્ષિણમાં શાલવીથિની મધ્યમાં આમ્રકુંજ છે. અહીં ખૂલ્લા આકાશમાં વૃક્ષની નીચે અભ્યાસ કરવામાં આવે છે. વિશ્વવિદ્યાલયના અનેક કાર્યક્રમો અહીં થાય છે. પહેલાં અહીં રવીન્દ્રનાથનો જ ન્મોત્સવ, નોબેલ પુરસ્કાર પ્રાપ્તિનો અભિવાદન કાર્યક્રમ વગેરે કાર્યક્રમો યોજવામાં આવતા હતા.  શાંતિનિકેતનની મુલાકાતે આવનારા મહાનુભાવો પણ અહીંથી સંબોધન કરતા હતા. હજુ પણ વિશ્વભારતીનો પદવીદાન સમારંભ આ આમ્રકુંજમાં જ યોજવામાં આવે છે.

.

ઘંટાઘર

.

બાઉલ ગીત ગાનાર

.

ઘંટાઘર

.

ઘંટાઘર

.

ઘંટાઘર

.

ઘંટાઘર

શાલ્વીથિની વચ્ચોવચ માધવી કુંજની દક્ષિણમાં ગૌરપ્રાંગણના વટવૃક્ષની નીચે ઘંટાઘર છે. પ્રાચીન બૌદ્ધ સ્તુપનું અનુકરણ કરીને આ ઘંટાઘરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્તમાનમાં અહીં વિદ્યાર્થીઓના ક્લાસ લેવાય છે.

.

સિંહસદન

.

સિંહસદન

.

સિંહસદન

.

સિંહસદન

.

સિંહસદન

.

સિંહસદન

ગૌર પ્રાંગણની દક્ષિણમાં સિંહસદન છે. આ ઘરની પરિકલ્પના સુરેન્દ્રનાથ કૌરે કરી હતી. આ ઘરની છત ઉપર એક બાજુ ઘંટાઘર છે અને બીજી બાજુ ઘડિઘર છે. ઘંટના સાંકેતિક ધ્વનિથી વિદ્યાર્થિઓ સમજી જાય છે કે તે શેના માટે વગાડવામાં આવે છે. રાયપુરના જમીનદાર લોર્ડ સત્યેન્દ્રપ્રસન્ન સિંહની આર્થિક સહાયથી આ ઘરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એટલે આ ઘરનું નામ ‘સિંહસદન’ રાખવામાં આવ્યું છે. ૧ ઓગષ્ટ ૧૯૪૦માં આ જ ઘરમાં રવીન્દ્રનાથને ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયે ડી. લિટ.ની પદવીથી વિભૂષિત કર્યા હતા. વર્તમાનમાં અહીં વિશ્વવિદ્યાલયના નાના-મોટા કાર્યક્રમો અને સાહિત્યસભાનું આયોજન થાય છે.

                                                                                                                                                                  ક્રમશ:

 

 

શાંતિનિકેતન (ચિત્રકથા-3)

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

.

શીશમહલ મંદિર (ઉપાસના ગૃહ)

શાંતિનિકેતન ઘરની સામે ઉપાસના ગૃહ છે. ૧૮૯૧માં આ આ મંદિરનું નિર્માણ થયું હતું. અલગ અલગ પ્રકારના કાચથી આ ઘર બનાવવામાં આવ્યું છે. મહર્ષિ દેવેન્દ્રનાથની ઈચ્છા અને પરિકલ્પના પ્રમાણે આ મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મૂર્તિહીન મંદિર કોઈ પણ જાતિના અને તમામ વર્ગના મનુષ્યો માટે ખૂલ્લું છે. રવીન્દ્રનાથ નિયમિત રીતે આ મંદિરની ઉપાસનામાં ભાગ લેતા હતા. દરેક બુધવારે સવારે મંદિરમાં ઉપાસના થાય છે. આ સિવાય મંદિરમાં વિશેષ પ્રસંગોએ પણ ઉપાસના થાય છે.

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

છાતિમતલાની થોડી દૂર જમણી દિશામાં જે બે માળનું મોટું ઘર છે એનું નામ શાંતિનિકેતન. મહર્ષિ દેવેન્દ્રનાથના નિર્દેશમાં ૧૮૬૩માં આ ઘરનું નિર્માણ થયું હતું. આ શાંતિનિકેતનનું જૂનામાં જૂનું ઘર છે. ઘરની ઉપર ઉપનિષદની એક પંક્તિ છે-‘सत्तामा प्रानारामं मन: आनन्दं’. અતિથિઓ શાંતિનિકેતનમાં આવીને ઘણાં દિવસો સુધી રહીને ઈશ્વરની ઉપાસના કરી શકે એટલા માટે મહર્ષિ દેવેન્દ્રનાથે આ ઘર બનાવ્યું હતું. ૧૮૭૩માં પિતા સાથે પ્રથમવાર શાંતિનિકેતનમાં આવીને રવીન્દ્રનાથ ટાગોર આ ઘરમાં થોડા દિવસો સુધી રહ્યા હતા. પછી જ્યારે રવીન્દ્રનાથ સ્થાયીરૂપમાં શાંતિનિકેતનમાં રહેવા આવ્યા ત્યારે પહેલા આ ઘરમાં રહ્યા હતા. આ ઘરની સામે રામકિંકર બૈજ દ્વારા નિર્મિત ‘અનિર્વાન શિખા’ નામની સુંદર મૂર્તિ છે.

                                                                                                                                                              ક્રમશ:

શાંતિનિકેતન (ચિત્રકથા-૨)

સંતોષાલય

.

સંતોષાલય

.

સંતોષાલય

મુકુટઘરની ઉત્તર દિશામાં રેલિંગથી ઘેરાયેલું ઘર ‘સંતોષાલય’ છે. પહેલા અહીં વિદ્યાલયના છાત્રો રહેતા હતા. હવે અહીં બાળકો માટેનું છાત્રનિવાસ છે. રવીન્દ્રનાથે એમના પુત્ર રથીન્દ્રનાથને મિત્રપુત્ર સંતોષચંદ્ર મજમુદાર સાથે અમેરિકા કૃષિવિદ્યા શીખવા મોકલ્યા હતા. અમેરિકાથી પરત આવ્યા બાદ સંતોષચંદ્ર શ્રીનિકેતનમાં સ્વેચ્છાએ કાર્ય કરતા હતા. તેમના અકાળ મૃત્યુ પછી આ ઘરનું નામ સંતોષાલય રાખવામાં આવ્યું.

.

મૃણાલિની આનન્દ પાઠશાળા

.

મૃણાલિની આનન્દ પાઠશાળા

.

.

.

દેહલી

નવા ઘરની પૂર્વ દિશામાં એક નાનકડું ઘર છે એનું નામ દેહલી. ૧૯૦૯માં એને બનાવવામાં આવ્યું હતું. પત્નીના મૃત્યુ બાદ કવિ એકલા ઘણાં દિવસો સુધી આ ઘરમાં રહ્યા હતા. અહીં તેમણે અનેક કાવ્યો અને નવલકથાઓની રચનાકરી. વર્તમાનમાં દેહલીમાં ‘મૃણાલિની આનન્દ પાઠશાળા’ નામે બાળકો માટે વિદ્યાલય ચલાવવામાં આવે છે. કવિપત્નીના સ્મરણમાં ૧૯૬૧માં આ શિશુ વિદ્યાલયનો પ્રારંભ થયો હતો.

.

તીન પહાડ

.

તીન પહાડ

.

તીન પહાડ

.

તીન પહાડ

શાંતિનિકેતનના મંદિરની પાસે પૂર્વ દિશામાં એક ઉંચો માટીનો ઢગલો છે જેનું નામ છે ‘તીન પહાડ.’ આ એક નાનકડા પહાડ જેવું છે. જેના ઉપર વિશાળ વડનું વૃક્ષ છે. પહેલા એની સામે એક પાણી વગરનું તળાવ હતું. મહર્ષિ દેવેન્દ્રનાથે શાંતિનિકેતન માટે પાણીની સમસ્યા દૂર કરવા આ તળાવનું નિર્માણ કર્યું હતું. પરંતુ એમાં પાણીનો સંગ્રહ થયો નહીં. તળાવ ખોદતી વખતે જે માટી નીકળી હતી તેનાથી ત્રણ માટીના ઢગલા બન્યા. આ કારણથી જ આ જગ્યાનું નામ તીન પહાડ પડ્યું. બાદમાં બે ઢગલાનો નાશ થયા પછી પણ આ જગ્યાનું નામ તીન પહાડ જ રહ્યું. દેવેન્દ્રનાથ તીન પહાડ પાસે ઉભા રહીને સૂર્યોદય અને સૂર્યાસ્ત જોતા અને અહીં જ ધ્યાનમગ્ન થતા હતા. શિશુ રવીન્દ્રનાથ અહીં એકલા ફર્યા કરતા હતા.

.

તાલધ્વજ

.

તાલધ્વજ

.

તાલધ્વજ

ઉપાસના મંદિરની પાસે શ્રીનિકેતન જવાની પાકી સડકના કિનારે ‘તાલધ્વજ’ આવેલું છે. તાડના વૃક્ષની આજુબાજુ ગોળાકાર કરીને માટીથી આ ઘર બનાવવામાં આવ્યું છે.  આશ્રમના શરૂઆતના સમયના શિક્ષક તેજસચંદ્ર સેન અહીં વસવાટ કરતા હતા. રવીન્દ્રનાથે ‘વનવાની’ કાવ્ય તેજસચંદ્ર માટે લખ્યું હતું જેમાં તેમને ‘કુટીરવાસી’ કહીને સંબોધ્યા હતા. વર્તમાન સમયમાં અહીં આશ્રમની મહિલાઓની કાર્યચર્ચાનું કેંદ્ર છે.

                                                                                                                                                                                          ક્રમશ:

શાંતિનિકેતન (ચિત્રકથા-૧)

શાંતિનિકેતનની પહેલા મુલાકાત વિશે લખ્યું હતું અને સ્કુલમાં માઈક પર રજૂઆત કરવાની તક પણ મળી હતી. જે અહીં સાઈટ મૂકવાની ઈચ્છા છે પણ ક્યાં મૂકાઈ ગયું છે તે મળતું નથી.

તો હાલ મારી શાંતિનિકેતનની બીજી મુલાકાત ચિત્રોમાં રજૂ કરું છું. મેં જે ક્રમમાં ફોટોગ્રાફ્સ લીધા હતા તે પ્રમાણે જ હું અહીં મૂકીશ.

.

દ્વિજ વિરામ

.

દ્વિજ વિરામ

.

દ્વિજ વિરામ

શાંતિનિકેતનની દક્ષિણ દિશામાં પ્રથમ ફાટક પાસે દીવાલોથી ઘેરાયેલું નળિયાની છતવાળું જે ઘર છે એનું નામ ‘દ્વિજ વિરામ’. રવીન્દ્રનાથના મોટાભાઈ દાર્શનિક દ્વિજેન્દ્રનાથ ટાગોર પોતાના જીવનના અંતિમ સમયમાં અહીં રહ્યા હતા. આ ઘરનું નામકરણ સ્વયં રવીન્દ્રનાથે કર્યું હતું. દ્વિજેન્દ્રનાથ પશુ અને વૃક્ષ પ્રેમી હતા. તેમણે અહીં ફૂલો અને ફળોના વૃક્ષો વાવીને આંગણાને સુસજ્જ બનાવ્યું હતું.

.

.

ક્લાસરૂમ

.

હિન્દી ભવન

.

હિન્દી ભવન

.

હિન્દી ભવન

.

હિન્દી ભવન

નેપાલ રોડની પૂર્વ દિશામાં વિશ્વવિદ્યાલય કેન્ટિનની  પાસે બે માળનું હિન્દી ભવન છે. ૧૯૩૯ની ૩૧મી જાન્યુઆરીએ જવાહરલાલ નહેરુ દ્વારા હિન્દી ભવનનું ઉદ્ધાટન થયું હતું. રાયબહાદુર મોતીલાલ, વિશેશરલાલ, હલવાસિયા ટ્રસ્ટની આર્થિક સહાયથી આ ભવનનું નિર્માણ થયું હતું. અહીં હિન્દી સાહિત્યનું પુસ્તકાલય છે. ભવનની અંદરની દીવાલો પર વિનોદબિહારી મુખોપાધ્યાય દ્વારા નિર્મિત નિર્મિત મધ્ય યુગના સાધુ સંતોના જીવન વિશેના ચિત્રો છે. ઈંદિરા ગાંધીએ આ ભવનમાં અભ્યાસ કર્યો હતો.

.

વિશ્વભારતી કેન્ટીન

.

શિક્ષકને બેસવાની જગ્યા

.

બ્લેકબોર્ડ

.

ચાઈનાભવન

.

ચાઈનાભવન

.

ચાઈનાભવન

 હિન્દીભવનની પશ્ચિમ દિશામાં બે માળનું ‘ચાઈનભવન’ છે. ૧૯૨૧-૨૨માં અધ્યાપક સિલભા લેભિ શાંતિનિકેતનમાં પ્રથમ વખત ચીની ભાષા અને બૌદ્ધ શાસ્ત્રની આલોચનાનું સૂત્રપાત કર્યું હતું.  ત્યારથી રવીન્દ્રનાથના મનમાં આ વિષય માટે જિજ્ઞાસા જાગી અને તેના જેના ફલસ્વરૂપ આ ભવનનું નિર્માણ થયું. ૧૯૩૭ની ૧૪મી એપ્રિલે રવીન્દ્રનાથે આ ભવનનું ઉદ્દઘાટન કર્યું હતું. ચાઈનાભવનના પુસ્તકાલયમાં ચીની સાહિત્ય અને બૌદ્ધ શાસ્ત્રના અમૂલ્ય અને દુર્લભ પુસ્તકો અને પોથીઓ છે. વર્તમાનમાં આ ગ્રંથાગાર આખા એશિયામાં મહત્વપૂર્ણ છે. આ ઘરની દીવાલો પર નંદલાલ બસુએ ચિત્રો બનાવ્યા છે. અહીં ચીનીભાષા ઉચ્ચ સ્તર સુધી ભણવાની અને સંશોધન કરવાની વ્યવસ્થા છે.

                                                                                                                                                                                            ક્રમશ:

પ્રેમ – યોગેશ વૈદ્ય

.

૧.

તારી વાડના ટેકે મૂકેલી

મારી સાઈકલ

આખી રાત ભીંજાતી રહી

ઓસમાં.

 .

હું હજુ પણ

૯-૪૫ની બસમાં

બારીવાળી સીટ પર

મારો રૂમાલ પાથરી રાખું છું.

 .

૩.

આખ્ખી શેરી દેખાતાં

તારા ઘરનો પડછાયો

ભળી જાય છે

મારા ઘરના પડછાયામાં.

 .

૪.

ક્યારેક ક્યારેક

બે દૂરના ટેલિફોનને જોડતો

વાયર

બની જાય છે-જૂઈની વેલ.

 .

( યોગેશ વૈદ્ય )

અમને ફરક પડે છે ! – ભાવેશ ભટ્ટ

 .

એક પાંદડું ખરે, તો અમને ફરક પડે છે !

 કોઈ દીવો ઠરે, તો અમને ફરક પડે છે !

  .

થોડાક ભ્રષ્ટ પંખીની ધાકથી ડરીને,

 આકાશ થર-થરે, તો અમને ફરક પડે છે !

.

પાણીને કેમ વહેવું જે શીખવાડતો હોય,

 એ જણ ડૂબી મરે, તો અમને ફરક પડે છે !

 .

બહુ લાડકોડથી જે સંબંધ વાવીએ, ત્યાં,

 ભેંકાર પાંગરે, તો અમને ફરક પડે છે !

 .

કાયમ સહન કરી લઉં એ ખાનદાની તો છે,

 પણ દોસ્ત આખરે, તો અમને ફરક પડે છે !

  .

( ભાવેશ ભટ્ટ )

.

 

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- દ્વૌપદી – કાજલ ઓઝા વૈદ્ય

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

.

.

ખલિલ જિબ્રાનના પુસ્તક ‘પ્રોફેટ’માં એક સ્ત્રી એમને કહે છે, “અમને પીડા અંગે જણાવો.” અલમુસ્તફા કહે છે કે, “તારી પીડા, એ તારી સમજદારીને બાંધી રાખેલા ઈંડાના કોચલાની જેમ તૂટવાની એક પ્રક્રિયા છે. જેમ બીજ તૂટીને એમાંથી ફણગો નીકળે છે એમ જ પીડામાંથી સમજદારી બહાર આવે છે. કોશેટામાંથી પતંગિયું નીકળે છે એમ જ પીડામાંથી જ્ઞાન નીકળે છે.”

આ સવાલ સ્ત્રી પાસે પુછાવીને ખલિલ જિબ્રાને એક સુંદર વાત કરી છે. પીડા સાથેનો સ્ત્રીનો સંબંધ જૂનો છે. એ દરેક વખતે પોતાની અંદર ઘવાતી, પીડાતી આવી છે. સ્ત્રીનું જ્ઞાન ક્યારેય સ્વીકારાયું નથી. સ્ત્રીની આવડત, સમજદારી કે અધ્યાત્મ વિશે સતત સવાલો ઊઠતા રહ્યા છે. આજની અર્બન સ્ત્રીને સફળ થવા માટે એ જ સંઘર્ષ કરવો પડે છે જે આજથી હજારો વર્ષ પહેલાં પુરાણકાળની સ્ત્રીને કરવો પડતો હતો.

ગૌતમ બુદ્ધે સ્ત્રીઓને દીક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો. એક કથા કહે છે કે આમ્રપાલી નામની ગણિકાએ બુદ્ધ પાસે દીક્ષા માંગી હતી, પરંતુ બુદ્ધે એવું કહીને એને દીક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો કે, “ફરસી નીચે મસ્તક મૂકવું કે વિકરાળ વાઘના મુખમાં પડવું સરળ છે, પરંતુ ગણિકાના મોહમાં ફસાવું એથીયે વધુ ભયાનક છે.”

બુદ્ધનો ઉછેર કરનાર ધાત્રી મહાપ્રજાપતિ ગૌતમીને સંસાર ત્યાગીને ભીખ્ખુ સંઘમાં ભળવું હતું. એણે ત્રણ વાર વિનંતી કરી અને બુદ્ધે ત્રણ વાર ના પાડી.

એ સિવાયના કેટલાક ધર્મોમાં સ્ત્રીઓને દીક્ષા આપવાનો કે દર્શનનો નિષેધ છે. આ કેમ છે, શા માટે છે એ વિશેનો સવાલ દરેક વખતે, દરેક યુગમાં, દરેક સ્ત્રીએ પૂછ્યો છે.

રાજ્યસભાની વચ્ચે જે દ્વૌપદીએ કુરુવંશના અનેક વડિલો અને દુર્યોધનને સવાલ પૂછ્યો હતો કે, “મારા પતિ પહેલા મને હાર્યા કે પોતાની જાતને ?” ત્યારે એનું અપમાન કરવામાં આવ્યું હતું. એ જ દ્વૌપદીએ વર્ષો સુધી એક પણ સવાલ પૂછ્યા વિના સતત એ જ પાંચ પતિઓની સેવા કરી હતી એ વિશે કોઈએ ઉલ્લેખ સુદ્ધાં કર્યો નહીં.

એક સ્ત્રીએ જ – એની સાસુ કુંતીએ જ એને પાંચ પુરુષો વચ્ચે વહેંચાવાનો આદેશ આપ્યો હતો, તેમ છતાં એણે અનૌરસ કર્ણના મોઢે ‘વેશ્યા’ શબ્દ સાંભળવો પડ્યો ત્યારે કોઈએ ઊભા થઈને એનો પક્ષ ન લીધો !

સમાજની આ આખીયે વ્યવસ્થા સ્ત્રી વિરોધી શા માટે છે એ સવાલ હવે ખરેખર મહત્વનો બનતો જાય છે. કારણ કે સ્ત્રી સમાજવ્યવસ્થાના પાયામાં છે. દરેક વખતે કોઈ પણ સમાજ જ્યારે હચમચી ઊઠે ત્યારે એના પાયા – એના પાયામાં રહેલી સ્ત્રી હચમચી ઊઠી છે એમ ચોક્કસ માની લેવું.

સ્ત્રી બદલાતા સમાજની સાક્ષી અને સાધન બંને છે, કારણ કે નવા સમાજને પોતાના શરીરમાંથી અને પોતાના મનમાંથી એણે જ જન્મ આપ્યો છે. સ્ત્રી જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી જ સમાજવ્યવસ્થાને આધીન રહે છે. સમાજવ્યવસ્થા તોડી નાખવાનું સ્ત્રી માટે અત્યંત સરળ છે, કારણ કે સ્ત્રીના ચારિત્ર્ય પર આ સમાજવ્યવસ્થાના પાયા ગોઠવાયેલા છે. કોઈ પણ સમાજ જ્યારે પણ સ્ત્રીને અવગણીને આગળ વધે છે ત્યારે એ સમાજ બહુ પ્રગતિ સાધી શકતો નથી.

જેમને વેદો-પુરાણોમાં શુદ્ર તરીકે ઓળખાવાય છે તેવા લોકોના સમાજ બહુ પ્રગતિ સાધી શકતા નથી, કારણ કે ત્યાં સ્ત્રી સન્માનની પ્રથા નથી. સ્ત્રીની નિરક્ષરતા આખાય સમાજની નિરક્ષરતા છે કારણ કે નિરક્ષર માતા ભાગ્યે જ સાક્ષર કે વિદ્વાન બાળક ઉછેરી શકે છે.

સ્ત્રીનો સ્વભાવ એક જ પુરુષ સાથે બંધાઈને રહેવાનો અને સલામતી ઝંખવાનો છે, પરંતુ એ સહી શકે એનાથી વધારે અત્યાચાર એના ઉપર ગુજારવામાં આવે ત્યારે એમાંથી જન્મેલો વિદ્રોહ સર્વનાશ સર્જે છે. સ્ત્રીનો વિદ્રોહ સમાજને બદલે છે – બદલવાની ફરજ પાડે છે.

બહુ શાંતિથી વિચારીએ તો સમજાશે કે પુરુષ ભાગ્યે જ બદલાયો છે. આજથી ૨૦ વર્ષ પહેલાંના પુરુષમાં અને આજના પુરુષમાં ઝાઝો ફરક નથી પડ્યો. એની જરૂરિયાત, માનસિકતા અને માન્યતા આજે પણ એ જ છે જે આજ થી ૨૦ વર્ષ પહેલાં હતાં. મા-બહેન-પત્ની કે દીકરીને અમુક રીતે સુરક્ષિત રાખવી અને બહારની સ્ત્રીને ઉપભોગની દ્રષ્ટિએ જોવી એ પુરુષની માનસિકતા ત્યારે પણ હતી અને આજે પણ છે. એને માટે ત્યારે પણ સ્ત્રી મનોરંજન અને ઉપભોગનું, સવલતનું અને સેવાનું સાધન હતી આજે પણ છે. એને માટે ત્યારે એની પત્નીએ એનું કહ્યું માનવું જરૂરી હતું આજે પણ છે…

ખરું પૂછો તો છેક પુરાણોના કાળથી પુરુષના મન અને વિચારોમાં બહુ ઝાઝો ફેર પડ્યો નથી પરંતુ સ્ત્રી પ્રત્યેક યુગે બદલાઈ છે. એણે પોતાનો વિકાસ જાતે સાધ્યો છે અને એનું કારણ એની પીડા છે. ફિનિક્સ પંખી પોતાની જ રાખમાંથી ઊભું થાય છે. એવી રીતે સ્ત્રી દરેક વખતે પોતાના જ વિનાશમાંથી નવું સર્જન કરે છે.

જેમ બીજને ઊગવા માટે ધરતીમાં દબાવવું પડે છે એમ દબાયેલી, કચડાયેલી સ્ત્રી ફણગો ફોડીને વિકસે છે અને વિશાળ વૃક્ષ બની જાય છે. જ્યારે પુરુષ માટીની જેમ ત્યાંનો ત્યાં જ રહી જાય છે. ભર્તૃહરિએ પોતાના એક શ્લોકમાં આ વાત કહી છે.

મનુસ્મૃતિમાં મનુએ પતિ-પત્નીને એમનો ધર્મ સમજાવવાની સાથે જ પતિને પત્નીનો આદરસત્કાર કરવાનો આદેશ અપ્યો છે. મનુએ પત્નીનું માનસન્માન શા માટે કરવું જોઈએ એ વર્ણવવા ત્રીજા અધ્યાયમાં કેટલાક શ્લોકો રચ્યા છે.

-“જ્યાં સ્ત્રીનો આદરસત્કાર થાય છે ત્યાં દેવીદેવતાઓ પ્રસન્ન થાય છે પણ જ્યાં એમનો સત્કાર થતો નથી ત્યાં યજ્ઞયાજ્ઞાદિ સર્વ ધર્મક્રિયાઓ વિફળ નીવડે છે.”

-જ્યાં પત્ની, ભગિની, પુત્રી, દેરાણી, જેઠાણી, સાસુ, વહુ, નણંદ વગેરે સ્ત્રીઓ શોક કરે છે તે કુળ તત્કાળ નાશ પામે છે પણ જ્યાં તેઓ શોક કરતી નથી તે કુળ હંમેશાં વૃદ્ધિ પામે છે.

-‘આદરસત્કાર નહીં પામેલી પત્ની, બહેન વગેરે સ્ત્રીઓ જે ઘરને શાપ આપે છે તે ઘરો જાણે કૃત્યાથી હણાયાં હોય તેમ ચારેબાજુથી નાશ પામે છે.’

-‘ઐશ્વર્યેચ્છુ પુરુષોએ સત્કારના પ્રસંગોમાં તથા ઉત્સવોમાં દાગીના, વસ્ત્રો અને ખાનપાનોથી સ્ત્રીઓનો નિત્ય સત્કાર કરવો.’

સ્ત્રીઓ વિશેના પરસ્પર વિરોધી આટઆટલાં મંતવ્ય છતાં આ જગત સ્ત્રી વિના ચાલી શકે તેમ નથી એ સત્ય છે. કોઈ નવલકથા, વ્યાખ્યાન, કવિતા કે સિનેમા પણ સ્ત્રીની હાજરી વિના રસહીન-અર્થહીન બની જાય છે.

સ્ત્રીઓની કથાઓ અત્યંત પ્રચલિત છે. મહાભારત, રામાયણથી શરૂ કરીને આપણી વાર્તાઓમાં સ્ત્રીઓનાં જુદાં જુદાં પાત્રો જોવા મળે છે. આમાંનાં કેટલાંક પાત્રોનો માત્ર નામોલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મહાભારત અને રામાયણમાં આવાં પાત્રો ઘણાં મહત્વનાં હોવા છતાં એમના વિશે ખાસ કશું લખાયું નથી.

એમની પીડા, એમની મનોવ્યથા, એમના સુખ કે એમની સમજદારીની કથા મેં એમના જ મુખે લખવાનું નક્કી કર્યું છે.

‘હું’ – ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં લખાતી આ કથા સ્ત્રીની પોતાની કથા છે.

આ કોઈ ઇતિહાસ, સંશોધન કે બીજા સંદર્ભ ગ્રંથો પર આધારિત દાખલા-દલીલો ટાંકીને કરવામાં આવતો શાસ્ત્રાર્થ નથી જ. આ કથા છે, એવી સ્ત્રીની, જેમને કંઈ કહેવું છે…એમની પોતાની કથા તમે જાણો, સાંભળો એવું કદાચ આ સ્ત્રી પણ ઇચ્છતી હશે.

એવાં સંવેદનો, જેને તમે પોતીકાં માન્યાં હશે એવી લાગણીઓ, જેમાં ક્યાંક તમે તમારું પ્રતિબિંબ જોઈ શક્યા હશો.

સ્ત્રી હોય કે પુરુષ – સંવેદનોની તીવ્રતા ભિન્ન હોઈ શકે સંવેદનાઓ ક્યારેય ભિન્ન નથી હોતી.

આ કથા કહેવાનું એકમાત્ર કારણ એ છે કે જેને ક્યારેય મહત્વ નથી આપવામાં આવ્યું અથવા જેમના શબ્દ આપણા સુધી નથી પહોંચી શક્યા એવી સ્ત્રીને પુરાણોનાં પાનાંઓમાંથી જગાડીને સદીઓથી એની આંખો પર છવાઈ ગયેલાં ઊંઘનાં આવરણ હટાવીને મારે કશુંક એવું કહેવું છે, જેમાં એ સ્ત્રી તો છે જ – સાથે સાથે થોડીક હું છું, થોડાક તમે છો અને થોડીક આપણી સહભાગે વહેંચાતી સમસંવેદનાઓ છે.

આ દ્વૌપદી ‘આજની’ છે…હજી જીવે છે ક્યાંક, તમારામાં અને મારામાં પણ !

( કાજલ ઓઝા વૈદ્ય )

દ્વૌપદી – કાજલ ઓઝા વૈદ્ય

પ્રકાશક : આર. આર. શેઠની કંપની પ્રા. લિ.

પૃષ્ઠ : ૨૫૫

કિંમત : રૂ. ૧૯૫/-