ક્યારેક જરૂરી હોય છે
હૃદયને હદપાર કરી
ત્યાં પથ્થર મૂકવાનું
અને પછી
જીવવાનું.
.
કદાચ
એવું પણ બને
કે કોઈક
આલિંગન ને ચુંબનો વડે
એ પથ્થરને કોરવાનો પ્રયત્ન કરે
અને
ખબર પણ ન પડે એમ
ધકેલી દે એને ખીણમાં
.
આવું ન બને
એ માટે હું શું કરું ?
પથ્થરને પણ હદપાર કરું ?
.
( પન્ના નાયક )
Nice Post.
Nice Kavya thoughts by Pannaben
Nice Post.
Nice Kavya thoughts by Pannaben
સરસ
સરસ