.
જીવનથી એ જ મળે છે,
જે તમે જીવનને આપો છો,
તમે જે આપો છો, એ જ પામો છો.
તમે પ્રેમ આપો અને ભૂલી જાઓ.
તમે પ્રેમ આપો અને બદલામાં માંગો નહીં,
તમે પ્રેમ આપો અને ધન્યવાદ આપો કે
કોઈએ તમારા પ્રેમનો સ્વીકાર કર્યો ;
ત્યારે તમે ધીરે-ધીરે જોશો
પ્રેમ ઉપર ઊઠવા લાગ્યો
ત્યારે એક નવા જ આયામમાં
તમારી ગતિ થાય છે.
તમારી ચેતના એક નવા લોકમાં
પ્રવેશ કરે છે.
.
.
જ્યારે પણ પ્રેમ જાગે છે તો ભય પેદા થાય છે.
કારણ કે જ્યાં પ્રેમ પેદા થાય છે,
ત્યાં અહંકાર વિસર્જિત કરવો પડે છે,
અને ત્યાં જ ભય લાગે છે.
આપણે અહંકારને પકડી રાખીએ છીએ,
ચાહે પ્રેમ મરે તો મરી જાય.
પ્રેમને પકડો, અહંકારને મરી જવા દો.
પ્રેમ સંપદા છે. પ્રેમ સમાધિ છે.
પ્રેમ સર્વસ્વ છે.
પ્રેમની નૌકા જ તમને
પાર લઈ જઈ શકે છે.
.
( ઓશો )
ઓશોની રચના અદભુત ,જે આપો તે જ પામો
આપુ ચ્હુ પ્રતિભાવ,
જીવનનો સાચો ભાવ ચ્હે પ્રેમ
એના વિના ્કહો જિવાય કેમ
કૌશિક ભણશાળી
Good.